SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપધસરિકૃત ગંધર્વદેના ગીતરતિ અને ગીતયશા નામે બે ઈંદ્રો જાણવા. કુલ ૧૬ ઇદ્રો થયા. ૧૭-૧૮-૧૯ પહેલાં વ્યંતરેના સ્થાન જણાવવાના પ્રસંગે હજાર જનેમાંથી તાજેલા ઉપરના ભાગના ૧૦૦ જનોમાંથી ઉપર નીચે દશ દશ યેાજનો છેડીને બાકીના ૮૦ જન પ્રમાણ ક્ષેત્રમાં અપ્રજ્ઞપ્તિક નિકાય વગેરે ૮ નિકાયાની કંઈક ઓછી ઋદ્ધિવાળા વાણુવ્યંતર દેના નગર જણાવ્યા છે. અહીં પણ દરેક નિકાયમાં દક્ષિણનો, ને ઉત્તરનો એકેક ઇંદ્ર ગણતાં વાણવ્યંતર દેવાના કુલ ૧૬ ઇંદ્રો કહ્યા છે. ૨૦–૨૧-૨૨ આ જંબુદ્વિપના મધ્ય ભાગે રહેલો સુવર્ણમય મેરૂ પર્વત લાખ જન ઉચે છે. છે ૨૩ છે અને અહીં (જંબુદ્વીપમાં) ભરત ક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રે, તથા જેએની ઉપર શાશ્વતા જિનાલયે આવેલા છે એવા હિમાવાન વગેરે ૬ વર્ષધર પર્વત પણ છે. માર૪ લાખ યોજન લાંબા પહેલા જબૂદ્વીપથી આગળ લવણ સમુદ્ર ગળાકારે તેને (જંબુદ્વીપને) વીંટાઈને રહ્યો છે. તે બે લાખ જન પ્રમાણ લાંબો પહોળો છે. એજ પ્રમાણે તેનાથી આગળ કમસર બમણું બમણાં લાંબા પહોળા ધાતકીખંડ, કાલેદધિ સમુદ્ર વગેરે અસંખ્યાતા દ્વીપ સમુદ્રો છે, ને છેવટે સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એમ પ્રભુએ કહ્યું છે. જે ૨૫-૨૬ તેમાંના ચાર સમુદ્રો જુદા જુદા સ્વાદવાળા જલથી ભરેલા છે, તથા ત્રણ સમુદ્રોનું પાણી એક સરખા સ્વાદવાળું છે. ને બાકીના સમુદ્રોનાં પાણીનો સ્વાદ શેલડીના રસ જે કહ્યો છે. છે ર૭વારૂણીવર સમુદ્રના પાણીને સ્વાદ ઉત્તમ દ્રવ્યો નાંખીને બનાવેલા દારૂના સ્વાદ જેવું હોય છે. અને ક્ષીરેદ સમુદ્રના પાણીનો સ્વાદ સાકર વગેરે નાંખીને સ્વાદિષ્ટ બનાવેલ દૂધના સ્વાદ જેવા હોય છે, તથા ધૃતવર સમુદ્રના પાણીનો સ્વાદ ઉકાળેલા તાજા ગાયના ઘી જેવો હોય છે જે ૨૮-૨૯ છે તેમજ લવણું સમુદ્રના પાણીનો સ્વાદ લવણ (મીઠા) જેવા હોય છે. વળી કોલેદ સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર, અને સ્વયંભૂ રમણ સમુદ્રના પાણીનો સ્વાદ મેઘના પાણી જેવો હોય છે. પરંતુ કાલેદ સમુદ્રનું પાણી રંગે કાળું ને પચવામાં ભારે હોય છે. ને પુષ્કરે સમુદ્રનું પાણી તેવું હોતું નથી. કારણકે તે પચવામાં હળવું હોય છે, તેથી તે પીવાથી શરીરનું આરોગ્ય સચવાય છે. વળી સ્ફટિકના જેવું સ્વચ્છ હોય છે. એ જ પ્રમાણે સ્વયંભૂ રમણનું પાણી પણ તેવું જ હોય છે. એમ આ પ્રભુએ કહ્યું છે. ૩૦–૩૧-૩૨ છે. તે સિવાયના બાકીના અસંખ્યાતા સમુદ્રના પાણીનો સ્વાદ સારી રીતે ઉકાળેલા સ્વાદિષ્ટ શેલડીના રસ જેવો હોય છે. જે ૩૩ છે. સરખા ભૂમિતલથી (સંભૂતેલા પૃથ્વીથી) ઉપર ૭૯૦ જન સુધી ગયા પછી તિશ્ચક્રનું નીચેનું તળીયું દેખાય, ત્યાંથી ઉંચે દશ યોજન છેટે સૂર્યના વિમાને, અને ત્યાંથી ઉપર ૮૦ જન છેટે ચંદ્રના વિમાને શોભી રહ્યા છે. ત્યાંથી ઉપર વીસ જન દૂર ગ્રહ નક્ષત્ર તારાના વિમાને ચળકી રહ્યા છે. આ રીતે સૂયાદિ પાંચેના વિમાનો ૧૧૦ એજનમાં રહ્યા છે. અહીં (૯૦૦ પેજમાં) તિછલેકની હદ પૂરી થાય છે, છે ૩૪-૩૫-૩૬ જબૂદ્વીપના બે સૂર્ય ને બે ચંદ્રમા તથા લવણું સમુદ્રના ૪ સૂર્ય ને ૪ ચંદ્રમા, તેમજ ધાતકી ખંડના ૧૨ સૂર્ય ને ૧૨ ચંદ્રમા. વળી કાલેદધિ સમુદ્રમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy