SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ રેશનાચિ‘તામણિ ] ૫૩ ૩. સંસાર ભાવના——સંસરણુ એટલે ભટકવું કે કરવું, તેનું નામ ‘સંસાર ’ કહેવાય. આમ કહેવાનુ રહસ્ય એ છે કે-કર્માનુસારે સંસારી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, તે જવાનું નામજ સંસાર કહેવાય, સિદ્ધોને કર્યું નથી, તેથી તેમને સંસાર (એક ગતિમાંથી બીજી ગતિમાં જવા રૂપ) હોય જ નહિ. જેમ લીંબડાના ઝાડમાં ઉત્પન્ન થયેલા કીડા તે (લીખડા) કડવા છતાં તેને તે અજ્ઞાનાદિ કારણે મીઠે માને છે, તેમ આ જ્ઞાનાદિથી ઘેરાયેલેા સ`સારી જીવ સ`સાર અપાર દુ:ખથી ભરેલા છે છતાં તેમાં તે સુખ માનીને રખડી રહ્યો છે. તથા જેમ મસાણીયા લાડવામાં એલચીના સ્વાદ ન હોય, તેમ સંસારમાં ખરી સુખ શાંતિના લગાર પણ સ્વાદ છેજ નહિ. ઘણાં શહેર વગેરેમાં એવા રિવાજ હેય છે કે કેાઈ મરી જાય, ત્યારે કુતરાને તુ-તુ કહીને ભેગાં કરી લાકડશી ( લાકડાના જેવા સ્વાદ વગરના ) લાડવા નાંખે છે. તે મસાણીઆ લાડવા કહેવાય છે. તે ખીજા સારા (સ્વાદિષ્ટ) લાડવાની અપેક્ષાએ તદ્દન સ્વાદ વગરના હોય છે. કારણ કે તે ઘણું ઓછું ઘી વગેરે નાંખીને બનાવાય છે. માટે અહી સસારનું સ્વરૂપ સમજાવવાને માટે મસાણીયા લાડવાનું દષ્ટાંત આપ્યું છે. આ સંસાર થીએટરના જેવા છે ને તેમાં રહેલા સંસારી જીવા નટ જેવા છે. નૃત્ય કલાના સારામાં સારા જાણકાર, ને દરેક નટને નૃત્ય કલા શીખવનાર તમામ નટાને એક ઉપરી નટ હોય છે, તે નાયક કહેવાય છે. સંસારમાં આ નાયકના જેવા આઠ કર્માં રહ્યા છે. જેમ નાયકના કહ્યા પ્રમાણે નટા નાચ કરે છે, તેમ સંસારી જીવા કરેલા કર્મને અનુસારે દેવ મનુષ્ય તિર્યંચ વગેરે સ્વરૂપે નાચ કરી રહ્યા છે. એટલે એક ગતિમાં તે અનેક ગતિમાં પણ વિવિધ રૂપે પરિભ્રમણ કરે છે. તે આ રીતે-મનુષ્યામાં પણ કોઈ મનુષ્ય બહુ જ સાદી બુદ્ધિવાલે હૈાય છે, તેા કાઈ મનુષ્ય જડ બુદ્ધિવાળા દેખાય છે, ૧ લક્ષ્મીવાળા, ને નિન, ૨ સુખી, ને દુઃખી ૩ નીરોગી, ને રાગી. ૪ સુંદર આકૃતિ (દેખાવ) વાળા, ને એડાળ આકૃતિવાળા. ૫ શેઠ કે નેકર. ૫ વ્હાલા કે અળખામણેા છ રાજા કે પ્રજા. ૮ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક. આ જણાવેલા સ્વરૂપામાંના કોઈપણ સ્વરૂપે સ'સાર રૂપી થીએટરમાં સ’સારી જીવા નાચી રહ્યા છે. એટલે કેટલાએક મનુષ્યા મહાર ભાદિ કારણેાને સેવવાથી જયાં ઘણા અંધકાર હેાવાથી રસ્તાએ પણ દેખાતા નથી એવા નરક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમને પરમાધામીએ શરીરનું છેદન ભેદન બાળવું વગેરેમાંના કાઈ પણ પ્રકારે એવા તીવ્ર દુઃખા ઉપજાવે છે, કે તે દુ:ખાને કહેતાં બ્રહ્મા (મહાજ્ઞાની) પણ થાકી જાય. ને કેટલાએક જીવા કપટ, ખીજાને દુ:ખ દેવું, વગેરેમાંના કોઈપણ કારણથી જ્યારે તિર્યંચગતિમાં જાય છે, ત્યાં પણ સિંહ વાઘ હાથી હરણુ ખળદ ખાકડો વરૂ વગેરે સ્વરૂપે ભૂખ તરસ વધે અંધન (પાંજરામાં પૂરાવુ’, વગેરે) તાડન તજના, વાહનાદિમાં જોડાવવું, વગેરે જે દુઃખા સહન કરે છે, તેને કહેવાને કાઈ પણ સમથ નથી. તથા દાનરૂચિ આદિકારણેાથી મનુષ્ય ગતિને પામેલા મનુષ્યેામાં પણ અના મનુષ્ચાને લક્ષ્ય-અભક્ષ્ય સેન્ચુ—અસેન્યના વિવેક લગાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy