SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપઘસરિકૃતતેના જન્મ નક્ષત્રમાં ભસમગ્રહની છાયા પડે, તે તેણે પ્રવર્તાવેલા કાર્યમાં જરૂર વિના આવ્યા વિના રહેજ નહી. તે પ્રબલ પુણ્યશાલી મહાપુરૂષના અભાવમાં તેવું બને, પણ તેની હયાતિમાં તેના પુણ્યના પ્રભાવે તેવું વિન આવે જ નહીં. આવી સચોટ હકીકતને અવધિજ્ઞાનથી જાણનારા શક્રેન્દ્ર પ્રભુ શ્રી મહાવીરદેવને ડું આયુષ્ય વધારવાની વિનંતિ કરી. તેના જવાબમાં પ્રભુએ એજ જણાવ્યું કે અમારા જેવા તીર્થંકરે પણ આયુષ્યને વધારવાને સમર્થ નથી. કારણ કે તેને તે (વધવાને) સ્વભાવ છે જ નહી. માટે દરેક જીવને મરવાને ભય એક સરખો જ રહ્યો છે. આ બાબતમાં એક દષ્ટાંત સમજવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું–રાજાએ એક ભયંકર ગુન્હ કરનાર માણસને ફાંસીને હુકમ ફરમાવ્યો. ત્યાં કચેરીમાં બેઠેલા ઘણાં દયાળુ છાની ભાવના તેને બચાવવાની થઈ, તેથી તેમણે રાજાને વિનંતિ કરી કે–હે રાજન ! આપ મહાદયાળુ છે. કૃપા કરીને આ માણસને ફાંસીએ ચઢાવીને મારવાને હુકમ ફરમાવ્યો છે, તે રદ કરે. રાજાએ શરૂઆતમાં તે તેમ કરવાની ના કહી. પણ બહુજ વિનંતિ કરવાથી છેવટે રાજાએ ફરમાવ્યું કે–જે આ ભયંકર ગુન્હો કરનાર માણસ ઠસો ઠસ કાંઠા સુધી ભરેલી તેલની તપેલી ઉપાડીને બજારમાં તેમાંથી એક પણ ટીપું નીચે ન પડે, તમ ફરીને અહીં આવે, તેજ ફાંસીને હુકમ રદ કરીશ. તે માણસ તેજ પ્રમાણે કરીને રાજાની પાસે આવ્યું, ને તેમ કરવાથી તે બચી ગયે. આ દષ્ટાંતમાંથી સમજવાનું એ છે કે આ માણસે મરણથી બચવા માટે જેવી તીવ્ર કાળજી રાખીને તપેલીમાંથી એક બિંદુ પણ પડવા દીધું નહી, તેવી કાળજી રાખીને આપણે સ્ત્રી આદિના ઝાંઝવાના નીર જેવા ખોટા મોહમાં ન ફસાઈએ, ને પરમ ઉ૯લાસથી મેક્ષ માર્ગને આરાધીએ, તે જરૂર મરણના ભય વિનાના સિદ્ધ સ્થાનને અ૫ કાળમાંજ પામી શકીએ. જેના હૃદયમાં આવી નિર્મલ ભાવના સે ઠસ ભરેલી છે એવા એક રાજકુંવરને જ્ઞાન દષ્ટિથી જણાયું કે-આ હું આંખની તીવ્ર વેદના ભેગવું છું. તેને સ્ત્રી આદિ કે ઔષધાદિ કોઈ પણ મટાડી શકે તેમ જણાતું નથી. મને ખાત્રી થઈ કે-સંસારમાં કઈ કેઈનું શરણ (દુઃખમાંથી બચાવનાર) છેજ નહી. હવે કદાચ મારા ભાગ્યોદયે આ વેદના શાંત થઈ જાય, તે સવારે જરૂર હું દીક્ષા લઇશ. આ રીતે વિચારતાં ઉંધ આવતાં વેદના શાંત થઈ ગઈ. ને સવારે તેણે માતપિતાની આજ્ઞા લઈને દીક્ષા લીધી. તે “અનાથી મુનિ' નામે ઓળખાયા. તેમણે સંયમને સાધીને આત્મહિત સાધ્યું. અશરણ ભાવનાના પ્રસંગે બહુજ ટુંકામાં જણાવેલું આ દષ્ટાંત છે કે તે વખતનું નથી, તે પણ અશરણ ભાવનાને પોષનારૂં હવાથીજ જણાવ્યું છે. ખરી રીતે શરણ તરીકે માનવા લાયક અરિહંત સિદ્ધ અને જિનધર્મજ છે. કારણ કે જેનાથી સાચું અને સ્થિર સુખ મળે, તેજ શરણ કહેવાય.” શ્રી અરિહંત વગેરેની આરાધના કરવાથી તેવું સુખ જરૂર મળે છે. હે જીવ! સ્ત્રી આદિના ખોટા મોહને નાશ કરનારી આ અશરણ ભાવનાને તું દરરોજ ભાવજે. એથી તારે આત્મા પરમ શાંતિથી મક્ષ માર્ગની આરાધના કરીને જરૂર સિદ્ધિપદને પામશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy