SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] કઈ કોઈનું છેજ નહી, એટલે તમારૂં કઈ નથી, ને તમે પણ કેઈના નથી જ. આ રીતે દીનતાને ત્યાગ કરીને દરરોજ આત્માને શીખામણ આપજે. ને સમજી લેજે કે એક મારે આત્મા જ શાશ્વત છે, ને તે ઉત્તમ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણોને ધારણ કરનાર છે. તે સિવાયના જે બીજા તમામ પદાર્થો દેખાય છે, તે સર્વ આત્મકલ્યાણને બગાડનારા ક્ષણ ભંગુર બાહ્ય પદાર્થો જ છે. એટલે તે સર્વે પદાર્થો દુઃખના જ કારણ છે એમ સમજી લેજે. યાદ રાખજો કે સંજોગના નિમિત્તેજ એટલે અનિત્ય પદાર્થોના ખોટા મેહને લઈને જ આ તમામ જીવે દુઃખની પરંપરા ભેગવી રહ્યા છે. માટે તમે ભેગ તૃષ્ણાને ત્યાગ કરજો, ને હંમેશાં શુદ્ધ ચિત્ત મમતાનો નાશ કરાવવામાં અસાધારણ કારણ એવી આ અનિત્ય ભાવનાને ભાવજે. અહીં આરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવતાં કેવલ જ્ઞાનને પામેલા શ્રી ભરત ચક્રવતીનું દષ્ટાંત શ્રીભાવના કલ્પલતા વગેરે ગ્રંથોમાં વિસ્તારથી જણાવ્યું છે. તે વારંવાર વિચારવું જોઈએ. ૨. અશરણ ભાવના–આ જીવ અશાતા વેદનીવાદિકને અચાનક ઉદય થાય, ત્યારે ઘણું આધિ વ્યાધિની પીડા રીબાઈ રીબાઈને ભગવે છે. તે વખતે ત્યાં તેના માતા, પિતા, ભાઈ, દીકરા, સ્ત્રી વગેરે પણ હાજર હોય છે. ને નજરે નજર તેની દયામણું દુઃખમય પરિસ્થિતિને જુએ છે. છતાં તે હાજર રહેલામાં કઈ પણ આત્મા તેનું દુઃખ વહેંચીને લઈ શકતા નથી. જ્યારે તેનું મરણ નજીક આવે, ત્યારે શરણ વિનાને તે જીવ રેતાં રેતાં અહીંના તમામ સગાં સંબંધિ, ધન, દેહ વગેરેને તજીને બાંધેલાં આયુષ્ય કર્મને અનુસારે ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય છે. શ્રી જિનભાષિત ધર્મનું જ જે શરાણું, તેજ સાચું શરણું છે. આ ધર્મનું શરણુ જેણે સ્વીકાર્યું નથી, તે જીવ શરણુ રહિત કહેવાય છે. અને જે જીવે ન્યાય શાસ્ત્રાદિને જાણે છે, તથા જેઓ મંત્ર તંત્રની પ્રક્રિયાના, ને તિષ શાસ્ત્રોના જાણકાર છે, તેઓ પણ ત્રણ લેકના સંસારી જીવોને હણવામાં હોંશિયાર એવા યમરાજાને હરાવવાને સમર્થ થઈ શકતા નથી. તથા જે ઈદ્ર ચક્રી વાસુદેવાદિની આજુબાજુ શસ્ત્રધારી મહાસુભટે વીંટાએલા છે, ને સેંકડે મદોન્મત્ત હાથીઓ આડા ઉભા રહેલા હોવાથી જેમની પાસે જવું પણ બહુજ મુશ્કેલી ભરેલું છે, તેવા મહાસમર્થ ઈદ્ર વગેરે સંસારી છે પણ મહાસુભટ હાથી વગેરેની મદદ છતાં પણ આવતા મરણને રોકી શકતા નથી. આ રીતે જીવને પિતાના માનેલા પદાર્થોમાંથી કોઈ પણ પદાર્થ મરણથી બચાવી શકતું નથી. માટે તેઓ અશરણ કહેવાય છે. વળી જેઓ લગાર પણ તકલીફ જોગવ્યા વિના મેરૂ પર્વતને દંડ જે કરવાને ને પૃથ્વીને છત્ર જેવી બનાવવાને સમર્થ છે, તેવા શ્રી તીર્થંકર દે પણ મરણને રોકી શક્તા નથી. એટલે તેમનું જીવન પણ આયુષ્ય કર્મની સ્થિતિને આધીન જ હોય છે. એટલે તેવા મહાસમર્થ આત્માઓ પણ આયુષ્યને વધારી શકતા નથી. જે જેને નાયક હોય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy