SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિપરિતપણ હોતો નથી. ને લાજ, શરમ, દયા વગેરે પણ હોતા નથી. તેથી તેઓ હંમેશાં મહારંભાદિ કરવામાં જ લીન બનીને ઘણાં ચીકણા કર્મો બાંધે છે કે જેથી તેમને ફરી પણ ઘણાં આકરાં દુખે ગવવાં જ પડે છે. તેમજ આર્ય દેશમાં જન્મેલા ક્ષત્રિય બ્રાહ્મણ વગેરે આર્ય મનુષ્ય પણ અશાન નિધનપણું, દૌર્ભાગ્ય, વ્યસન, વિવિધ રંગ, બીજાને હુકમ સ્વીકાર, અપમાન અવજ્ઞાદને સહન કરવા, વગેરે પ્રકારે માંના કેઈ પણ પ્રકારે એવાં તીવ્ર દુખ સહન કરે છે કે જે દુઃખે ઘણાં લાંબા કાલે પણ કહી શકાય નહી. છે જન્મ કાલની વેદના છે એક માણસ કેળના ગર્ભ જેવી કે મળ કાયાવાળો ભરજુવાન ને સુખી છે. તેની કાયાના રોમે રોમે અગ્નિમાં તપાવેલી લાલચોળ સે ભાંકવાથી તેને જે દુઃખ સહન કરવું પડે, તેનાથી આઠગુણું આકરૂં દુઃખ સ્ત્રીના ગર્ભમાં રહેલા જીવને હાય છે. ને તેનાથી અનંત ગુણું દુઃખ જ્યારે જીવ જન્મ, ત્યારે હોય છે. સંસારી જીવને બચપણમાં મૂત્ર, વિઝા, ધૂળમાં આળોટવું, અજ્ઞાન, પરાધીનતા વગેરે દુઃખ ભોગવવા પડે છે, ને જુવાનીમાં ધનને કમાવવું, માતાપિતા વગેરેને વિરહ (મરણ, અભાવ), અનિષ્ટ રેગ, દ્રવ્ય નાશાદિની આકરી પીડા ભેગવવી પડે છે, તથા ઘડપણમાં શરીરમાં પૂજા થાય, આંખમાં ઝાંખાશ, શ્વાસ દમ વગેરેના નિમિત્તે અશાંતિ ભોગવવી પડે છે. આ રીતે બાલ્યાદિ ત્રણ અવસ્થાએ આકરા દુખેથી જ ભરેલી છે. હવે તમે કહો કે જેમાં આ જીવ સુખે રહી શકે, એવી અવસ્થા કઈ છે? જવાબમાં એજ સમજવું કે-ચાથી અવસ્થા છે જ નહી. તથા કેટલાએક જ સમ્યકત્વ, સંયમાદિની આરાધના કરીને દેવગતિમાં જાય છે. ત્યાં પણ શેક, ખેદ, અદેખાઈ, ભય, ઓછી ઋદ્ધિવાળાપણું, ઈર્ષ્યા, ભોગ તૃષ્ણ વગેરેની વેદનાથી પીડાએલા ને દીનતાને ધારણ કરનારા દેવે બહુજ કલેશ ભોગવતાં ભોગવતાં પોતાનું લાંબું આયુષ્ય પૂરું કરે છે. આ રીતે સંસાર ભાવના ભાવવાથી સંસાર ઉપર મોહ દૂર થતાં જરૂર વૈરાગ્યભાવ પ્રકટે છે. માટે હે ભવ્ય જીવો ! તમે વૈરાગ્ય રૂપી વેલડીને સિંચવા માટે અમૃતની વૃષ્ટિ જેવી આ સંસાર ભાવનાને નિરંતર ભાવ. તેથી કાયમ વૈરાગ્ય ભાવ ટકાવશે, ને મોક્ષમાર્ગની આરાધના પણ પરમ શાંતિથી કરી જરૂર મોક્ષના અવ્યાબાધ સુખે ભગવશે. ૪. એકત્વભાવના–આ જીવ અહીં એક જ જન્મે છે, ને મરતી વખતે તે દુઃખી જીવ એકલે જ મરણ પામે છે, તથા એકલો જ કર્મ બંધ કરે છે, ને તે બાંધેલા કર્મોને ફલેને પણ એકલા જ ભોગવે છે. તેમજ આ જીવ ઘણાં મહારંભાદિના દુઃખ વેઠીને જે ધન મેળવે છે, તેને જે કે પુત્રાદિ ભેગા મળીને ભોગવે છે ખરા, પણ તે અશુભાદિ કર્મો રૂપે નરકાદિમાં તો આ જીવ એકલે જ જઈને ઘણું દુઃખ ભોગવે છે. પરંતુ ધનને ભોગવનારા પુત્ર વગેરેમાંથી કોઈ પણ તેની સાથે દુઃખમાં ભાગ લેવા જતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy