SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] નથી. તેમજ સ્વાભાવિક પૂર્ણતા ગુણને ધારણ કરજે. કલેશ વિનાનું એટલે વિષય કષાયાદિની ભાવના રૂપ આર્તધ્યાનાદિથી રહિત એવું જે મન તેજ મુક્તિ છે એવું મનમાં અવધારે એટલે નકકી કરજે. ૫૯. દિવસચર્યા રાત્રિચર્યા પાલ અપ્રમત્તતા, ધારજો ગુણ આઠ હિતકર આત્મગુણગણરમણતા; શુભ ભાવનાઓ ભાવજે દીપાવવા નિજ સાધુતા, રાજર્ષિ ઇમ ગુરૂ દેશના અવધારતા રાજી થતા. ૬૦ સ્પષ્ટાર્થ –દિવસ ચર્યા એટલે દિવસે કરવાની પ્રતિકમણાદિ તથા સૂત્રપૌરૂષી આદિના સમુદાયરૂપ ક્રિયા અથવા જ્ઞાનાચાર વગેરે પાંચ આચાર તેમજ રાત્રિચર્યા એટલે રાત્રે પાળવાના આચારોનું અપ્રમત્તપણે પાલન કરો. અને હિતકારી એટલે આત્માને મોક્ષ માર્ગની આરાધનામાં ટકાવનારા આઠ ગુણોને તથા આમ ગુણ ગણ રમણતાને એટલે પોતાના જ્ઞાનાદિક ગુણામાં રમણ કરવા રૂપ ગુણને ધારણ કરો. તેમજ અનિત્ય ભાવના વગેરે સારી સારી ૧૬ ભાવનાઓને ભાવજે. કારણ કે સારી ભાવનાએ ભાવવાથી પોતાનું સાધુપણું શોભે છે. આ પ્રમાણે ગુરૂએ વિપુલવાહન રાજર્ષિને દીક્ષા લીધી ત્યારે ઉપદેશ આપે. ગુરૂ મહારાજનો આ ઉપદેશ રાજષિએ એકાગ્રતાથી સાંભળ્યો અને તે સાંભળીને તેઓ આનંદ પામ્યા. આ શ્લોકમાં જણાવેલા–આત્માને હિતકારી ૮ ગુણોની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી–૧ ખાસ જરૂરી જ વિચારે કરવા–બીન જરૂરી વિભાવ દશાના વિચારોથી કર્મ બંધ થાય છે, એમ સમજીને અહિતના કરનાર અશુભ વિચાર ન કરવા જોઈએ. જે વિચારોનું ભાવિ પરિણામ (ફલ) આત્મતત્વને અથવા મેક્ષમાગને પોષે, તેવા જ વિચાર કરવા જોઈએ. અત્યાર સુધીમાં આ આત્માએ બીન જરૂરી વિચાર કરવાથી ઘણું જ નુકશાન ભોગવ્યું છે. માટે કદાચ અશુભ વિચારે અશુભ નિમિત્તાદિના સંસર્ગથી આવી જાય, તો તરત જ સાવધાન થઈને શુભ વિચાર કરવા જોઈએ. ૨. ખાસ જરૂરી બલવું-જેમ આરંભ સમારંભાદિ નિમિત્તે ગૃહસ્થ શ્રાવિકાને ઘણું વાર બલવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે, તેમ મુનિવરોને હોતું નથી. કારણ કે મુનિ જીવનમાં આરંભ સમારંભાદિ કરાય જ નહી. માટે મુનિવરે જ્યારે અભ્યાસ કરવાનો, ધર્મોપદેશ દેવાનો, કે ધાર્મિક પ્રશ્નાદિને પૂછવાનો, કે સમજાવવાનો પ્રસંગ જણાય, ત્યારે જ હિત–મિત—પ્રિય—અને સત્ય વચન બોલે છે, ને તે સિવાયના ટાઈમમાં મૌન ધારણ કરે છે. પણ તેઓ બીન જરૂરી વાત કે ગપ્પા ઠઠ્ઠા મશ્કરી કરતાજ નથી. જે બેલવાનું હોય, તેના ભાવિ શુભ પરિણામનો નિર્ણય કરીને જ કુશલ મુનિવર ગાઢ કર્મ બંધાદિથી જરૂર બચી શકે છે, ને બહુજ કર્મનિર્જરાદિ વિશિષ્ટ લાભને જરૂર પામી શકે છે, ને મેક્ષમાર્ગની આરાધના કરવા રૂપ પિતાના સાધ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy