SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસરકૃત ડજ વિવાદને ના અબુદ્ધ બુદ્ધિ ભેદને, કરે ન શાસ્ત્ર ભણાવજે વિનયાદિ હીન કુપાત્રને મૂલ ઉત્તર ગુણ બધાં આરાધ ધરી હર્ષને, પાલજે બહુ રંગથી નિત આઠ પ્રવચન માતને. પ૮ સ્પષ્ટાથી–વિવાદને એટલે શાબ્દિક (બરાડા પાડીને) ઝગડા કરવાનો ત્યાગ કરજો, અને અબુદ્ધ જીવેના બુદ્ધિ ભેદને કર નહી એટલે અજ્ઞાની અને તું બુદ્ધિહીન છું, ને હું બુદ્ધિશાળી છું, એ બુદ્ધિ ભેદ કરવા નહી, કારણકે તેમ કરવાથી કષાયાદિ પ્રકટે છે અને વિનય વગેરે સદ્ગુણોથી રહિત કુપાત્રને જિનગમો ભણાવશે નહિ. કારણ કે જેમ સપને પાએલું દૂધ પણ ઝેર રૂપે બને છે, તેમ કુપાત્રને આપેલી વિદ્યા લાભને બદલે નુકશાન કરે છે. વળી મૂલ ગુણ એટલે પાંચ મહાવ્રતો તથા ઉત્તરગુણ એટલે રાત્રી ભોજન વિરમણ, પિંડ વિશુદ્ધિ વગેરે બધા ગુણોની હર્ષ પૂર્વક અથવા આનંદથી આરાધના કરજો. વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રવચન માતાને હંમેશાં બહુમાનથી આરાધજો. અહીં સમિતિ વગેરે ૮ ગુણે ચારિત્ર રૂપી બાલકનું રક્ષણ કરવાને માતા સમાન હેવાથી અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. ૧૮ કેધને ક્ષાંતિગુણે તિમ નમ્રતાએ માનને, સરલતાથી કુટિલતાને તેષ ગુણથી લેભને, વિરાગ્યરંગે રાગ હણ પૂર્ણતા ગુણ ધારો, કલેશહીન મન મુક્તિ છે ઈમ ચિત્તમાં અવધારો. ૫૯ સ્પષ્ટાર્થ – હે રાજર્ષિ! તમે ક્રોધને ક્ષમા ગુણને ધારીને હણ એટલે નાશ કરજો અથવા કોધ કરવાને પ્રસંગ આવે અથવા જ્યારે બીજા જીવની ઉપર ગુસ્સે થઈ જાય તે વખતે સામાને અપરાધ હોય તે તેની ક્ષમા કરો. એ પ્રમાણે ક્ષમા રાખવાથી ક્રોધને છતાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે એવું વિચારીને તેના ઉપર ક્રોધ કરશે નહિ. વળી માનને એટલે ગર્વ અથવા અભિમાનને નમ્રતા ગુણથી એટલે નરમાશથી જીત. હું બીજા કરતાં ચઢિઆતો છું, મારા જેવો કઈ નથી એવા પ્રકારનું અભિમાન કરવું નહિ. કારણ કે અભિમાન કરનાર છના ગુણે નાશ પામે છે. વળી કુટિલતાને એટલે કપટ –માયા પ્રપંચને સરલતા ગુણથી દૂર કરજો અથવા તો તમે કોઈની સાથે કપટ ભાવ રાખશે નહિ. કેઈને છેતરશે નહિ. પરંતુ વિચાર વાણી તેમજ વર્તનમાં સરલ થજો. જેવા ભાવ હોય, તેવું બેલે, ને તેવું જ વર્તન રાખજે. તથા લાભને તેષ ગુણથી એટલે સંતોષ રાખીને દૂર કરજે. કારણ કે જ્યાં સુધી લોભ દૂર થતો નથી ત્યાં સુધી જીવને ખરી શાંતિ મળતી નથી. વળી રાગને એટલે પદાર્થોની પ્રીતિને વૈરાગ્ય ભાવથી દૂર કરજો. કારણ કે જ્યાં સુધી રાગ દૂર થતો નથી ત્યાં સુધી નિજ ગુણરમતા નિર્મળ ભાવે થતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy