SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] શુદ્ધ તપ આરાધજે આહાર શુદ્ધિ પાલજે, વિકથાદિ વ ચરણને ઉપગપૂર્વક સાધજે. ૫૬ સ્પાર્થ –તમે ગુરૂના એટલે શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરૂષના વિનયને ભૂલશો નહિ. કારણ કે દીક્ષાના આપનાર આચાર્યાદિ ગુરૂઓને વિનય કરતાં વિદ્યા જલદી આવડે છે અને કર્મની નિર્જરા વગેરે જરૂર થાય છે. પરંતુ જેઓ તેમને અવિનય કરે છે તેઓ પાપ કર્મોને બાંધે છે. આ પ્રસંગે ગુરૂ વગેરેને વિનય કરતાં બાહુ તથા સુબાહુને યાદ કરજો એટલે બાહુ સુબાહુની પેઠે ગુરૂને વિનય ઉમંગ પૂર્વક કરજે. વળી હદયમાં વિધિ તરફ ભાવ રાખજે. ચેષ્ઠ ક્રમને આદરીને એટલે જેઓ પોતાથી દીક્ષા પર્યાયે મોટા હોય તેમના ક્રમ પ્રમાણે તેમને વંદનાદિક કરજે. અને શુદ્ધ તપની આરાધના કરજો એટલે વિધિપૂર્વક શુભ તપ કરજે, કારણ કે નિર્દોષ તપ વડે નિકાચિત કર્મોને પણ નાશ થાય છે. વળી આહાર શુદ્ધિનું પાલન કરજો. એટલે બેંતાલીશ દેષ રહિત આહાર પાણી ગ્રહણ કરજે અર્થાત્ કોઈ પણ જાતના દોષ રહિત શુદ્ધ આહારદિને વાપરજે. તેમજ વિકથા એટલે અન્યની નિંદા કરવી તેને અથવા દેશકથા, રાજકથા, કથા ને ભક્તકથા એ ચાર પ્રકારની વિકથાને ત્યાગ કરજે. અંતે ઉપયોગ પૂર્વક એટલે અતિચારાદિક ન લાગે તેવી રીતે મોક્ષના પરમ કારણ રૂપ ચારિત્ર ધર્મનું અપ્રમત્ત ભાવે પાલન કરજે. ૫૬. સાચવી જયણા ક્ષણે ક્ષણે શયન ભેજન આદિને : કરો તમે શ્રુતશ્રવણ વિધિને શીખ ધરી હર્ષને સ્વાધ્યાય કરજો ને ભણેલું યાદ કરજો ચિત્તની, સ્થિરતા ધરીને વજે હાંસીજ અલ્પજ્ઞાનીની, પ૭ સ્પષ્ટાથે–તમે ક્ષણે ક્ષણે જયણ સાચવજે એટલે ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરજો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ જીવની હિંસા ન થઈ જાય તેનું બાબર ધ્યાન રાખજો. શયન કરતાં એટલે સૂતી વખતે તથા ભેજન વગેરે કરતાં અવશ્ય જયણા રાખજો. કહ્યું છે કે “જયણાએ ધમ્મ” જયણાથી જ ધર્મ સચવાય છે. અથવા જયાં જયણા નથી ત્યાં ધર્મ નથી, કારણ કે જયણા એજ ધર્મનું મૂલ છે. માટે જયણાં સાચવીને દરેક ક્રિયા કરજે. વળી શ્રત શ્રવણવિધિ એટલે શ્રુતજ્ઞાન જે આગમે તેને સાંભળવાની વિધિને મનમાં રાજી થઈને શીખજે. વળી તમે સ્વાધ્યાય કરે એટલે વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાથને કરજો. અથવા સૂત્રાદિનું ભણવું, વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા એટલે ભણેલાનું સંભારવું ધર્મકથા એમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરજે. વળી ચિત્તની સ્થિરતા રાખવા પૂર્વક જે સૂત્રાર્થો જાણી ગએલા હે તેને વારંવાર યાદ કરજે અથવા સંભાળજે. કારણ કે જે ભણેલું સંભારવામાં આવે નહિ તે ભૂલી જવાય છે. વળી પિતાથી અલ્પજ્ઞાનવાળા એટલે જેઓ ઓછા જ્ઞાનવાળા હોય તેમની મશ્કરી કરશે નહિ. કારણ કે આ કર્માધીન છે તેથી જે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ હોય તે પ્રમાણે જ ભણી શકે છે. ૫૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy