SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્યસંકૃિત સ્પષ્ટા :———અધમ પુરૂષ અથવા નીચ સ્વભાવવાળા મનુષ્યે આવી ઉત્તમ પ્રકારની દીક્ષા કદાચ ગ્રહણ કરે તેા પણ તેને પાર પામી શકતા નથી અથવા તેએ દીક્ષાનું સારી રીતે પાલન કરતા નથી. કેટલાક તેા ચારિત્ર લઇને વચ્ચે જ તેને ત્યાગ કરે છે, પરંતુ જે ઉત્તમ પુણ્યશાળી ધન્ય પુરૂષા હાય છે તેમજ આ દીક્ષાના પાર પામે છે અથવા તે દીક્ષા લઈને ઉમંગથી જીવનપર્યંત તેનું પાલન કરે છે. એ પ્રમાણે દીક્ષાનું સ્વરૂપ કહ્યું. હવે હું તમને દીક્ષા લેનાર મુનિના ધર્મોનુ સ્વરૂપ સમજાવું છું. ખાહ્ય શત્રુ એટલે જે જીવની સાથે વૈર ભાવ થયેા હાય તેનો તથા આંતર શત્રુ જે રાગ દ્વેષ એમ અને પ્રકારના શત્રુઓના સંપૂર્ણ પણે ત્યાગ કરો. વળી પરબ્યથા એટલે બીજા જીવાને પીડા કરવાની ભાવનાનો ત્યાગ કરીને અથવા પારકાની પીડાને દૂર કરીને તેમજ પરદત્ત ભાજન એટલે પારકાએ પોતાના માટે તૈયાર કરેલી રસેાઇમાંથી માધુકરી વૃત્તિએ મળેલ આહારાદિકનુ ભાજન કરીને તમે ભાવમુનિપણું ધારણ કરજો. ૫૪ કર દ્વિવિધ શિક્ષા શીખજો ને વસ્તુ તત્ત્વ પિછાણો, સબંધ ગુરૂની સાથે રાખી મુક્તિ મારગ સાધજો; સ્વપર શાસ્ત્રજ્ઞાન પરહિત અન્ય આશય વક્રિતા, ધર્મ સાધન સામ્યથી ઉપદેશ પણ ગુણ ગુરૂતણા, ૫૫ સ્પા :—હે રાજર્ષિ ! તમે દ્વિવિધ એટલે એક ગ્રહણ શિક્ષા અને બીજી આસેવન શિક્ષા ૨ આ બંને પ્રકારની શિક્ષાનું સ્વરૂપ શીખી લેજો. વળી તમે વસ્તુતત્ત્વને એટલે જીવાજીવાદિ પદાર્થોના સારને પિછાણજો એટલે સ્યાદ્વાદ શૈલીથી જાણજો. તથા તમે ગુરૂની સાથે સબંધ રાખીને એટલે ગુરૂના કહ્યા પ્રમાણે વતીને મેાક્ષ માર્ગની સાધના કરો અથવા મેક્ષ માગમાં કારણ રૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રને પરમ ઉલ્લાસથી ભાવપૂર્વક સાધો. તેમજ તમે સ્વશાસ્ત્રોનું એટલે આગમાદિનું તથા પર શાસ્ત્રોનું એટલે અન્ય દશનીઓના શાસ્ત્રોનું જ્ઞાન મેળવજો. વળી ભવ્ય જીવાનુ હિત ( ભલું ) કરજો. અને અન્ય એટલે તમારી સાથે વાત કરનાર ભન્ય જીવાના શા આશય અથવા ઇરાદો છે તે જાણીને ઉત્તર આપજો. કારણ કે સામા માણસના અભિપ્રાયને જાણ્યા વિના ખેલવાથી ખીજા મહાવ્રતના ભંગ થવાના સંભવ છે. અને ક્ષમાદિ દશ પ્રકારના ધર્મોને સાધો, તથા ધનવંત વગેરેમાં તે ગરીમ વગેરેમાં ભેદ ભાવ રાખ્યા વગર સમાન ભાવે ભવ્ય જીવાને ઉપદેશ આપજો, તેમજ ગુરૂના જ્ઞાનાચારાદિ પાંચ આચારની આરાધના કરવા રૂપ પાંચ ગુણાને ધારણ કરજો. ૫૫. ગુરૂવિનય ના ભૂલો બાહુ સુમાહુને સ્મરી, વિધિરંગ હૃદયે ધારજો ને જયેષ્ટક્રમને આદરી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy