SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] મદ મદનને જીતનારા મન વચન ને કાયના, જે વિકારે તે રહિત જે નિસ્પૃહી પરવસ્તુના; મોક્ષસુખની વાનકીને તે શ્રમણ અહીં અનુભવે, ભાવનિમિત્તોને તજે જે તે ભમે ન કદી ભવે. ૨ પર સ્પષ્ટાર્થ –આ મુનિરાજે મદ એટલે અભિમાનને તથા મદન એટલે કામદેવને જિતનારા છે. મન વચન અને કાયાના વિકારોથી રહિત છે એટલે મનથી અનેક જાતની સારી સારી વસ્તુઓ મેળવવાની, ખાવાની વગેરે જે ઈચ્છાઓ તે મનના વિકારે, સારાં સુંદર અને મધુર ગાન સાંભળવા વગેરે વચનના વિકારે, અને સુંદર સ્પર્શાદિક ભેગવવા વિગેરે કાયાના વિકારે કહેવાય છે. આવા વિકારથી મુનિરાજ રહિત છે. વળી તે મુનિરાજેને પારકાની વસ્તુ લેવાની બીલકુલ ઈચ્છા હતી નથી, કારણકે તેઓ નિસ્પૃહી એટલે કે ઈ પણ જાતની સ્પૃહા વિનાના છે. આવા નિર્મલ ચારિત્રને અનુભવ કરે તે આ ભવમાંજ મોક્ષ સુખની વાનગી રૂપ છે. અથવા મોક્ષનું સુખ કેવું છે તેને ખ્યાલ ઉત્તમ પ્રકારે પાળેલા ચારિત્રવડે આવી શકે છે, માટે તે ચારિત્રને મોક્ષની વાનકી સમાન કહેલ છે. વળી ભવનિમિત્તે એટલે સંસારમાં રખડાવનારાં જે કારણે રાગ દ્વેષાદિ તેને જેઓ ત્યાગ કરે છે તેઓ આ સંસારમાં કદાપિ ભમતા નથી, માટે હે રાજર્ષિ! તમારે આવા ઉત્તમ ચારિત્રનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. પર પ્રશમ અમૃતપાન લીના પ્રવ્રયાગ્રાહી મુનિ, રાજર્ષિ! તમને તે મળી આજે નિશાની પુણ્યની; ભવસાગરે ખરૂં પામવાનું જેહ તે પામ્યા તમે, કરજો નિરંતર ચત્ન રંગે ચેતતાં કહીએ અમે. ૫૩ સ્પષ્ટોથ–આ દીક્ષાના ગ્રહણ કરનારા મુનિરાજે પ્રશમ એટલે જેમના રાગ દ્વેષ શાંત થઈ ગયા છે તેથી ઉત્તમ પ્રકારની જે શાંતિ તે રૂપી અમૃતના પાનમાં લીન એટલે આસક્ત હોય છે. હે રાજર્ષિ! આજે તમને મળેલી દીક્ષા પ્રબલ પુણ્યની નિશાની રૂપ સમજજે. આ સંસાર રૂપી સમુદ્રમાં જે ખરૂં પામવાનું છે તે દીક્ષા લઈને તમે મેળવ્યું છે. માટે કઈક વીરલા જીવને જ પ્રાપ્ત થતી તે દીક્ષાને પામીને તમે તેની આરાધના આનંદપૂર્વક કરજે. અને તેનું પાલન કરતાં ચેતતા રહેજે. એટલે તે ચારિત્રનું પાલન કરતાં સાવધાની રાખજે અથવા હંમેશાં આળસને ત્યાગ કરજે. ૫૩ પાર દીક્ષાનો ન પામે અધમ પુરૂષ પારને, પામેજ ઉત્તમ ધન્ય પુરૂષે હવે કહું મુનિધર્મને; બાહ્ય આંતર શત્રુઓના સંગ ઝંડી સર્વથા, પરદત્ત ભેજન ભાવ મુનિતા ઘારજે હરી પરવ્યથા. ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy