SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃત અહીં જાગૃત થાય છે. આવા જ પિતાની પાસે જે ધન વગેરે હોય તે પણ દાનમાં આપી દે છે અને વૈરાગ્ય ભાવનામાં રાચે છે. પરંતુ આવા જી ઘણુ શેડા હોય છે અને તેવા જીજ આ સંસારમાંથી ઉભા પગે ઘરવાસ છોડીને નીકળે છે, એમ કહી શકાય. બાકીના તે મરતી વખતે આડા પગે જવાના જ છે. ૪૫. સ્વયંપ્રભુ ગુરૂ નવદીક્ષિત રાજર્ષિને પંદર કલેક વડે ઉપદેશ આપે છે – નૃપભાવના અનમેદતા ગુરૂરાજ વિધિ પૂર્વક દઈ, દીક્ષા વિપુલવાહન શ્રમણને દેશના ઘે હિતકરી; હે નવીન રાજર્ષિ ! પુયે જેહ દીક્ષા નિર્મલા, આજ પામ્યા છો તમે તે પાલજ થઈ નિશ્ચલા. ૪૬ સ્પષ્ટાર્થ –વિપુલવાહન રાજાએ ગુરૂ પાસે જઈને પિતાની દીક્ષા લેવાની ભાવના જણાવી. તે વખતે ગુરૂ મહારાજે રાજાને અનુમોદન આપ્યું. પછી ગુરૂ મહારાજે રાજાને વિધિ પૂર્વક દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી ગુરૂ મહારાજ વિપુલવાહન રાજર્ષિને હિતકારી શીખામણ આપતાં જણાવે છે કે હે નવીન રાજર્ષિ! પ્રબલ પુણ્યના ઉદયથી આજે તમે જે નિર્મલ દીક્ષા ગ્રહણ કરી છે તે દીક્ષાને તમે નિશ્ચલ મન પૂર્વક ખરા શુભ ભાવપૂર્વક પાલજે. કારણકે દીક્ષા લઈને તેનું નિરતિચારપણે પાલન કરવાનું કાર્ય ઘણું કઠીન છે. માટે સાવધાનતાથી ચારિત્રનું પાલન કરજે. ૪૬ કાયરેને ભવિષે દુર્લભ પ્રવ્રજ્યા હોય છે, પ્રબલ દુઃખ હઠાવતી તે પુણ્યથી જ પમાય છે; રાગાદિના તેફાનને પણ શાંત કરનારીજ એ, જન્મ મૃત્યુ પરંપરા ભય ટાળનારી છેજ એ. ૪૭ સ્પષ્ટાર્થ –કાયર પુરૂષ એટલે જેઓ દુઃખને સહન કરી શક્તા નથી તેવા પુરૂષોને આ ભવને વિષે પ્રત્રજ્યા એટલે ચારિત્ર લઈને તેનું પાલન કરવું કઠીન છે અથવા કાયરને ચારિત્રની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. આકરાં દુઃખને હઠાવનારી તે દીક્ષા પ્રબળ પુણ્યનો ઉદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. આ દીક્ષા રાગાદિ એટલે રાગ, મેહ, દ્વેષ વગેરેના તોફાનને પણ શાંત કરે છે. ભાવાર્થ એ છે કે ભાવ ચારિત્ર આગળ જીવના મોટા શત્રુ સરખા રાગ દ્વેષ ઢીલા પડી જાય છે. કારણ કે ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે અનંતાનુબંધી કષાયની ચેકડીના, અપ્રત્યાખ્યાનીય કષાયની ચોકડીના તથા પ્રત્યાખ્યાનીય કષાયની ચોકડીના એટલે ક્રોધ, માન, માયા, લોભના ઉદય બંધ થઈ જાય છે. ફક્ત અલ્પ કષાયરૂપ સંજ્વલન ચોકડીને ઉદય હોય છે. વળી દીક્ષા લેનાર પુણ્યશાલી ભવ્ય જીવોને જન્મની પરંપરાને તથા મૃત્યુની પરંપરાને ભય પણ દૂર થાય છે. કારણ કે દીક્ષા લેનાર તે જીવને થોડા જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy