SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હ રાનાચિંતામણિ ] ભો કરવાના હોય છે. કેઈ તે તેજ ભવમાં જાય છે. કેટલાક એક બે વગેરે ભવ કરીને પણ મોક્ષે જાય છે. ૪૭ આપદા સંહારનારી તેમ સર્વ વિડંબના, | વિવિધ રોગ દરિદ્રતા ભવ ભ્રમણ નાશે એહના; ગેજ સિંહસમાં થઈને જિમ તમે દીક્ષા ગ્રહી, આરાધજે તેવા થઈને શ્રમણ ગુણમાં સ્થિર રહી. ૪૮ સ્પષ્ટાથે–આ દીક્ષા આપદા એટલે અનેક પ્રકારનાં સંકટોને દૂર કરનારી છે. વળી તેનાથી સઘળી વિડંબના એટલે હેરાનગતિઓને પણ નાશ થાય છે. તેમજ દીક્ષા લેનાર ભવ્ય જેના અનેક પ્રકારના રોગો, દરિદ્રતા એટલે ગરીબાઈ તથા ભવ ભ્રમણ એટલે સંસારની રખડપટ્ટી વગેરે દુઃખો નાશ પામે છે. હે રાજર્ષિ ! જેમ પુણ્યના ભેગે તમે સિંહ સમા થઈને એટલે હિંમત પૂર્વક દીક્ષા લીધી છે અને રાજપાટ છોડી દીધાં છે. તેવી જ રીતે પ્રમાદી બન્યા સિવાય સાધુના ગુણામાં સ્થિરતા રાખીને તમે તે દીક્ષાની આરાધના કરજે. ચારિત્રનું પાલન કરવામાં આળસુ થશે નહિ. પરંતુ ચારિત્ર લેવામાં જે તમારે ઉત્સાહ છે, તે જ ઉત્સાહ ચારિત્રનું પાલન કરવામાં રાખજે. ૪૮ દીક્ષા પ્રતાપે મુનિવર ટાળે ઉપદ્રવ સાર્થને, પાપમલ વૈરાગ્ય તકે ઘેઈ સાધે મુક્તિને અનંતાનંદે ભરેલી કલેશ વર્જિત મુક્તિ એ, પાંચે સકારે સેવીએ તે મુક્તિ પદને પામીએ. ૬૯ સ્પષ્ટાથે–આ દીક્ષાના પ્રભાવથી મુનિરાજે ઉપદ્રવ સાર્થને એટલે અનેક જાતના સંકટના સમૂહને દૂર કરે છે. તેમજ વૈરાગ્ય રૂપી કતચૂર્ણ વડે પાપ રૂપી મલને ઘેઈ નાંખીને એટલે દૂર કરીને મોક્ષને મેળવે છે. જેમ મેલાં પાણીમાં કતક જાતના ફળનું ચૂર્ણ નાંખવાથી તેમાં મેલ અથવા કચરે નીચે બેસી જાય છે અને પાણી સ્વચ્છ બને છે તેમ વૈરાગ્ય રૂપી કતક ફળના ભૂકાથી પાપ રૂપી મેલ સાફ થઈ જાય છે અથવા પાપને નાશ થાય છે તેથી પાણીની જેમ આત્માની નિર્મળ દશા પ્રગટ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મુક્તિ અથવા મોક્ષ અનંત આનંદથી ભરેલ છે એટલે મોક્ષમાં હંમેશાં આનંદ હોય છે. કારણ કે ત્યાં કલેશ-રાગાદિના ઉપદ્રવને અભાવ છે. એટલે મોક્ષમાં જેને રાગ દ્વેષ હોતા નથી માટે તેમનામાં કછુઆ કંકાસ પણ હોતા નથી. પાંચ સકારોને સેવીએ તે મુક્તિ પદ પામીએ છીએ. ૪૯ શીલ તિમ સંતેષ તિમ સાદાઈ સમતા સંયમે, નિજગુણાનંદી મુનીશ્વર મુક્તિ ઉદ્યાને રમે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy