SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] પડે નહિ તેમ મને પણ હવે આ સંસારમાં ચેન પડતું નથી, તેથી હવે હું આ રાજપાટને તરતજ છોડી દેવા માગું છું. અને પ્રવજ્યા એટલે દીક્ષા લેવા ચાહું છું. આ પ્રમાણે બેલીને રાજાએ પોતાના હાથે જ પુત્રને મેટા ઓચ્છવ પૂર્વક રાજ્યાભિષેક કરીને રાજસિંહાસન ઉપર બેસાડો, પછી જેવી રીતે પોતે ન્યાય નીતિપૂર્વક રાજ્યનું પાલન કર્યું છે તેવી રીતે રાજ્યનું–પ્રજાનું પાલન કરવાનું જણાવીને તથા બીજાં પણ હિતનાં એટલે લાભદાયી ઉપદેશ વચનો કહીને પુત્રને રાજ્ય સોંપ્યું. તેમજ બીજા મંત્રી સામત વગેરેને પણ “તેઓ પિતાની સાથે જેવી રીતે વર્તતા હતા તેવી રીતે બાલ રાજાની સાથે હવેથી વર્તવું” એવી શિખામણ આપી. ૪૩ વિમલકીર્તિ રાજા પિતાને દીક્ષા મહોત્સવ કરે છે તે જણાવે છે – દીક્ષાભિષેક કરેલ જેને વિમલકીર્તિ નરેશ્વર, તે વિપુલબલ ઉત્સવે ચારિત્ર લેવા સંચરે; પાલખીમાં બેસતા બહુ દાન રંગે આપતા, સ્વયંપ્રભુ ગુરૂની કને દીક્ષા વિચાર જણાવતા. ૪૪ સ્પષ્ટાર્થ –ત્યાર પછી રાજા બનેલા વિમલકીતિ રાજાએ પિતાને દીક્ષાભિષેક કર્યો. એટલે આ રીતે મોટા ઓચ્છવ પૂર્વક વિપુલવાહન રાજા મોટા સૈન્યના પરિવાર સાથે ગાજતે વાજતે ચારિત્ર લેવાને નીકળ્યા. તે વખતે પાલખીમાં બેસીને હર્ષ પૂર્વક અનેક ઈવેને દાન આપવા લાગ્યા. ત્યાર પછી તેઓ ત્યાં ઉદ્યાનમાં પધારેલા સ્વયંપ્રભુ નામના ગુરૂની પાસે આવી પહોંચ્યા અને ગુરૂની પાસે જઈને તેમને વંદન કરીને પોતાનો વિચાર જણાવ્યું. બીજા ગ્રંથમાં વિપુલવાહન રાજાનું બીજું નામ “વિપુલબલ” પણ જણાવ્યું છે. ૪૪. કયા છે દીક્ષા લઈ શકે તે જણાવે છે – બહુ કર્મ લાઘવતા બલ તિમ પ્રબલ પુણ્યોદય થતાં, દીક્ષા વિચારે પ્રકટતા સંસ્કાર શુભ જાગૃત થતાં સ્વાધીન ધન આદિક તજી વૈરાગ્ય રંગે હાલતા, વિરલા જને ઊભા પગે ભવવાસમાંથી નીકળતા. ૪૫ સ્પષ્યાર્થ–જ્યારે જીવને કર્મની લઘુતા થાય એટલે જે જીવને કર્મોનાં ઘણાં દલિયાં તથા કર્મોની ઘણી લાંબી સ્થિતિએ ઓછી થઈ ગઈ હોય, અને થોડા વખતમાં જે જીવ મેક્ષે જવાનું હોય તે લઘુકમી આત્મા દીક્ષા લેવાને તૈયાર થાય છે. લઘુકમ હવા છતાં પાપને ઉદય ચાલતું હોય તો જીવ દીક્ષા લઈ શકતો નથી. માટે જ્યારે જેને પ્રબલ પુણ્યને ઉદય થાય છે, ત્યારે તે જીવને પાછલા ભવના સારા સારા ધર્મના સંસ્કાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy