SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] મેહથી જીવના કેવા પરિણામ થાય છે તે ત્રણ શ્લેાકમાં જણાવે છેઃ—— માહથી પરિવાર કરી વિવિધ ચિંતા સારે, ડૂબકી માર્યા કરે સમજે ન નિજ સ્થિતિ વિસ્તરે, અંતકાલે માઘ ચિંતા કરત પણ નિજ ચિંતના, રજ કરે ન વિચારતા ન બનાવ વિષમા ભવતણા. ૩૯ સ્પાર્થ:—આ જીવ માહને લીધે પેાતાના સ્ત્રી પુત્ર પુત્રાદિક પરિવારની વિવિધ પ્રકારની ચિંતા કર્યા કરે છે. સ્ત્રીને માટે સારાં સારાં ઘરેણાં બનાવુ, સારાં સારાં વચ્ચે લાવુ', મેાટાં મોટાં બંગલા બંધાવુ, મોટરગાડી લાવું, તથા પુત્ર પુત્રી વગેરે માટે પણ તેમને પરણાવવા વગેરેની અનેક પ્રકારની ચિંતામાં ડૂબ્યા રહે છે. પરંતુ પેાતાની શી સ્થિતિ છે અથવા પેાતાનું શું થશે, તેને વિચાર ન કરતાં કુટુંબ પિરવારને માટે અનેક પ્રકારનાં પાપ કાર્યા કરે છે, પરંતુ પોતાનું આત્મસ્વરૂપ ભૂલી જાય છે. પાતે કાણુ છે, કુટુંબ સાથે પેાતાનો કેવા સંબંધ છે વગેરેનો વિચાર કરતા નથી અને છેવટે મરણ વખતે પણ માહને લીધે બાહ્ય ચિંતા કરે એટલે મરવાનું નજીકમાં છે એવું જાણ્યા છતાં પણ અમુક કામ કરવાનું બાકી રહ્યું, અમુક પુત્રાદિકને પરણાવવાના રહી ગયા. મારાં મરણ પછી એમનું શું થશે એમ પેાતા સિવાય બીજાની ચિંતા કર્યા કરે છે, પર`તુ મરણ પછી પેાતાની શી ગતિ થશે, પાતે ખાલી હાથે આળ્યા ને ખાલી હાથે જવાનો છે, પરભવમાં જરૂરી કાંઈ પણુ આત્માને હિતકારી કાર્યો કર્યા કે નહિ ? વિગેરે વિચારણા કરે નહિ. છેવટે આત ધ્યાનમાં મરણુ પામીને દુર્ગતિમાં જાય છે. ને ત્યાં અનેક પ્રકારનાં દુઃખા ભાગવે છે. ૩૯ દુઃખ દેતા સાધનાને શર્મદાયક માનતા, વૈરાગ્યને ના ધારતા મૃત્યુ અચાનક પામતા; જેમ ભાજન અન્નનુ લ તેમ ફલ આ દેહનુ, ધર્મ સાધન નિત્યમુક્તિ શ્રેષ્ઠ લ આ દેહનુ ૩૫ ४० સ્પા—આ જીવ શરૂઆતમાં સુખકારી જણાતાં પરંતુ પરિણામે દુઃખ આપનારાં સાધનોને એટલે ધન વિષય વગેરેને તથા વિષય ભાગેાના સાધનોને મેાહને લીધે સુખકારી -સુખના આપનાર માને છે. સંસારના પદાર્થોની અનિત્યતા જોવા છતાં પણ વૈરાગ્ય આવતા નથી. તેમાંજ રચ્યા પચ્યા રહે છે અને અંતે અચાનક મરણ પામે છે. જેમ લેાજન એ અન્નનુ ફળ છે અથવા અન્ન ભેાજનના કામમાં આવે છે તેમ આ શરીરનુ ફળ ધર્મ સાધના છે અથવા આ નાશવંત શરીર વડે ધર્મની સાધના કરવી તેમાં જ શરીરની સાર્થકતા છે. કારણ કે ધર્મ સાધના કરવાથી સર્વોત્તમ ફલરૂપ મેાક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે આ નાશવંત શરીર વડે મેક્ષ રૂપી શાશ્વત ફળ મેળવવાના ચહ્ન દરેક જણે કરવા જોઇએ. ૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy