SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] - પ્રબલ પુણ્યોદયે જગતમાં મારી યશકીર્તિ ફેલાશે.” એમ વિચારીને જગડુશાહે તે શિલાને તપાસી, તો યોગિના કહ્યા મુજબ તેમાંથી પાંચ સ્પર્શ પાષાણના ટુકડા નીકળ્યા. જે પાષાણના અડવાથી લોઢું સોનું બને, તે સ્પર્શ પાપણ કહેવાય” જગડુશાહ આ બીના જાણતા હતા, તેથી તેમણે ગુરૂ મહારાજના વચનને સાચું માન્યું, ને હું જગતને ઉદ્ધાર કરી શકીશ. એવી પણ ખાત્રી તેમને થઈ ગઈ શ્રી ગુરૂ મહારાજના કહ્યા મુજબ જ્યારે ભયંકર દુકાળ પડે, ત્યારે તેમણે તમામ દેશોમાં પોતાના નોકરોની મારફત ધાન્ય (અનાજ) એકઠું કરાવ્યું, ને દીલ્હી–સ્તભપુરધોળકા-અણહિલપુરપત્તન (પાટણ) વગેરે મોટા મોટા શહેરોમાં ને બીજા પણ ગ્રામ વગેરેમાં ૧૧૨ દાન શાલાઓ ખુલ્લી મૂકાવી. તે દરેક દાનશાલામાં લોકોને તૃપ્તિ થાય એટલું ભોજન ઘી સાથે અપાતું હતું. અને તેણે દરેક કઠારની ઉપર “રંક (ગરીબોને લાયક આ કોઠાર છે” એટલે આ કેડારમાં ભરેલું અનાજ ગરીબોને જ અપાય છે. આ રીતે લખાવ્યું હતું. તેમાં મુદ્દો એ હતો કે એ લખાણ વાંચીને દુષ્ટ રાજાઓ પણ તેમાંનું અનાજ લઈ શકે જ નહીં. જગડુશાહે આ રીતે વ્યસ્થા કરી હતી, છતાં ક્ષુધા (ભૂખ) ના દુઃખથી ઘેરાયેલા ઘણાં સુલ્તાન વગેરે પણ “અમે રંક (ગરીબ) છીએ” એમ કહીને જગડુશાહની પાસેથી અનાજ લેતા હતા. આ બાબતમાં વિવિધ પ્રબંધાદિ ગ્રંથમાં કહ્યું છે કે-જગડુશાહે દુકાળના પ્રસંગે વીસલરાજ નામના રાજાને ૮૦૦૦ મૂંડા, હમ્મીર (રાજા કે બાદશાહ) ને ૧૨૦૦૦ મૂંડા અને સુરત્રાણ (સુલતાન, બાદશાહ) ને ૨૧૦૦૦ મૂડ પ્રમાણ અનાજ આપ્યું. આથી જગડુશાહની કીર્તિ દશે દિશામાં ફેલાઈ. તે જોઈને વિશલરાજાએ સ્પર્ધાથી પિતાના વીશલ નગરમાં દાનશાળા શરૂ કરી. પણ તેમાં બધા લોકોને ઘી સાથે ભોજન આપવામાં મુશ્કેલી પડવાથી તેલ પીરસવામાં આવતું હતું. આ રીતે પણ થડા દિવસ સુધી ચાલ્યું. છેવટે તેલ પીરસવાનું પણ બંધ કરવું પડયું. એક વખત વિશલ રાજાએ ખાસ કામને અંગે જગડુશાહને પિતાની પાસે બોલાવ્યા. તેથી જગડુશાહ વિશલરાજાને નમીને ઉચિત સ્થાને બેઠા. વીસલરાજા જગડુશાહને જે કંઈ કહે, ત્યારે જગડુશાહ “જીજી કહે છે. તે સાંભળીને નજીકમાં ઉભેલા એક ચારણે રાજાને કહ્યું કે-“હે રાજન ! તમે જગડુશાહની પાસે “જી-જી” કહેવરાવે છે, તે વ્યાજબી નથી. કારણકે તમે એક દાનશાલામાં પણ લોકોને તેલ સાથે ભોજન દેવામાં થાકી ગયા, ને આ જગડુશાહ તે હાલ પણ ૧૧૨ દાનશાલઓમાં પણ લોકોને ઘી સાથે ભેજન આપે છે. માટે તમારે તેની સ્પર્ધા કરવાનું અભિમાન ન કરવું જોઈએ.” ચારણના આ વચનોની અસર એ થઈ કે રાજાએ મત્સર ભાવને દૂર કરીને જગડુશાહને કહ્યું કે–તમે જ્યારે મારી પાસે આવે, ત્યારે મને નમસ્કાર કર્યા વિના બેસવું. એટલે તમે નમ્રતા, વિવેક, ઉદારતા વગેરે ગુણેને યથાર્થ રીતે ધારણ કરે છે, માટે જગતભરના સાચા જગન્ધિતા એક તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy