SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત જ છે. અમે તેા નામના જ જગત્પિતા કહેવાઇએ છીએ. આ કારણથી તમે મારી પ્રજા છતાં નમસ્કાર કરવા લાયક છે. એમ કહીને જરૂરી કામ પતાવીને સત્કારાદ્દેિ માન સાચવવા પૂર્વક જગડુશાહને સ્વસ્થાને જવાની રજા આપી. આ રીતે સ્પર્શ પાષાણની બીના પૂરી કરીને જગડુશાહની દાન દેવાની શ્રેષ્ઠ પતિ ટૂંકામાં જણાવે છે--જગડુશાહ દરરાજ સવારે જે માંડવી ( વિશાલ ચેાક )માં બેસીને દાન આપે છે, ત્યાં પેાતાની અને દાન લેનાર પુરૂષાદિની વચમાં પડદો બંધાવે છે, ને મધ્ય ભાગમાં ( દાન લેનાર પુરૂષાદિનો હાથ પોતાની નજીકમાં આવી શકે, એવું જેમ હાલ ટીકીટ ઓફીસમાં ટીકીટ લેનાર પુરૂષાદિ નાની મારીમાં પોતાનો હાથ નાંખીને ટીકીટ લે છે તેવું. ) છિદ્ર રખાવે છે. આ રીતે કરવાથી લજ્જાળુ કુલવાન (ખાનદાન) માણસો પણ નિઃસ કાચ ભાવે દાન લઈ શકે. કારણકે પડદો ન હોય તેા પરિચિત લાકા પ્રકટપણે દાન લઈ શકે જ નહી. અને છિદ્રવાળા પડદા હોવાથી લાળુ ખાનદાન લેાકેાનુ મુખ દાન દેનાર અને દાન દેનારનું મુખ દાનના લેનારા પુરૂષાદિ—પણ જોઈ શકતા નથી. તેથી છિદ્રમાં હાથ લાંબેા કરે, કે તરતજ જગડુશાહ તેના ( ગ્રાહકના ) ભાગ્ય પ્રમાણે સાનૈયા વગેરેનું દાન આપતા હતા. આ બીના સાંભળીને વિશલરાજાએ પોતાના ભાગ્યની પરીક્ષા કરવાના મુદ્દાથી વઆદિ વેષને બદલીને પડદાની પાસે આવી જમણો હાથ છિદ્રમાં લખાવ્યેા. જગડુશાહે તેના હાથમાં વિવિધ પ્રકારના વિશિષ્ટ લક્ષણો લાલાશ, કઠિનતા, ઉત્તમવર્ણ, ભાગ્યરેખા, વિદ્યારેખા, સૌખ્યરેખાદિ ઘણી ઉત્તમ રેખા જોઇને વિચાર્યું કે--“ જગતના જીવાને માનવા લાયક કોઈ મોટા રાજાનો આ હાથ છે. એમ તેની રેખા વગેરે ઉપરથી જાણી શકાય છે. તે રાજા અશુભેાદયથી હાલ દુઃખમય હાલત ભાગવતા હાય, એમ લાગે છે. મારી ફરજ એ કે−હું તેને અહુજ વધારે દઉં, જેથી તે જીવે ત્યાં સુધી સુખી રહે ” આવા વિચાર કરીને જગડુશાહે મહા કીમતી મણિથી જડેલી એક વીંટી તેના હાથમાં મૂકી, કે તરતજ રાજાએ હાથ ખેંચી લીધા. ફરી પણ તેણે કૌતુક જોવાની ભાવનાથી ડાબેા હાથ છિદ્રમાં લખાવ્યેા. ત્યારે જગડુશાહે તેવી ( બહુ જ કી'મતી ) બીજી વીંટી તેના હાથમાં મૂકી. આ રીતે એ વીંટી લઇને રાજા પાતાના મહેલમાં ગયેા. વિશલદેવ રાજાએ ખીજે દિવસે જગડુશાહને પેાતાની પાસે ખેલાવીને ‘ આ શું છે એમ કહીને તે એ વીટી દેખાડી. તે જોઇને ખરા રહસ્યને સમજી ગયેલા મહાગભીર દાનેશ્વરી તે જગડુશાહે વિશલદેવ રાજાને કહ્યું કે—“ સિંહ ગમે ત્યાં જાય, પણ તે ખેતી કરવા હળ સાથે જોડી શકાતા નથી, ને પાડો જ્યાં જાય ત્યાં પાણીને ( (પાણીની ભરેલી પખાલને ) ઉપાડે છે-એટલે ભાગ્યની બલિહારી છે. ” જગડુશાહના આ વેણ સાંભળીને બહુજ રાજી થયેલા ગુણાનુરાગી વિશલદેવ રાજાએ બહુજ સન્માન કરવા પૂર્વક વસ્ત્રાદિને ભેટમાં આપીને હાથી ઉપર બેસાડીને જગડુશાહને સ્વસ્થાને પ્હોંચાડયા. જગતૂશાહ માર વ્રતધારી પરમ શ્રાવક હતા. તેમણે દાન, શીલ, તપની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરી, અંતે સમાધિ મરણ પામી મહદ્ધિક દેવપણું મેળવ્યું. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મેક્ષે જશે. ઘણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy