SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [વિજ્યપધરિકૃતઅહંકારી હેવાથી કઈ કેઈનું સાંભળતું પણ નથી. છેવટે બંને જણાને ઝઘડે કેરટે ગયે. ત્યારે ચૂકાદે પણ તેમણે માને નહી. ત્યારે ન્યાયાધીશ વગેરે રાજપુરૂષોએ તે બંનેને કહ્યું કે-જે માલીક રાજાને ૬૦૦ સ્પર્ધ્વક આપશે, તે અહીં બેસીને દાતણ કરી શકશે. આ બીના સાંભળી બંને જણ ચડસમાં આવીને ૬૦૦ સ્પદ્ધકોથી આગળ વધતાં વધતાં છેવટે જગડુશાહના નોકરે રાજાને ૨૫૦૦ સ્પર્ધકો આપવાનું કબૂલ કરીને બીજી વખારના માલીકને હરાવ્યું, ને પિતાના શેઠની આબરૂ વધારી. તેણે આ વાત પોતાના શેઠને જણાવી, તો તેણે પણ નોકરને શાબાશી આપીને તે શિલા પોતાને ઘેર મંગાવી. તેની ઉપર બેસીને જગડુશાહ દરરોજ દાતણ કરે છે. એક વખત બપોરના ટાઈમે જગડુશાહ જમતા હતા, તે અવસરે એક મહાગી તેના ઘરના આંગણે આવીને ઉભે રહ્યો. તેને જોઈને જગડુશાહે પિતાની પત્નીને કહ્યું કે-“આ યોગિરાજને જેવી રસોઈ હું વાપરું છું તેવી, અને એક પુરૂષને જેટલો આહાર જોઈએ, તેટલી રસોઈ (ભજન સામગ્રી) આપજે.” પતિના વચનને સ્વીકારીને તેણીએ તે પ્રમાણે ભેજન દેવા માંડયું, પણ જ્યારે તે લેતા નથી, ત્યારે તેણીએ જગડુશાહને આ વાત કરી. તે સાંભળીને શેઠે ફરી કહ્યું કે-રૂપાની થાળી, ને રૂપાની વાટકી સહિત ભેજન આપજે. આ રીતે દેતાં સંતુષ્ટ થયેલા તે મહા ગિરાજે કહ્યું કે—“હે મહાદાનેશ્વરી ! હું તારી ભિક્ષા લેવા માટે આવ્યો નથી, પણ તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો છું. એટલે એક વખત મને વિચાર આવ્યો કે દુનિયામાં જગતને ઉદ્ધાર કરી શકે, એવો દાનેશ્વરી કોણ છે? તેની ખાત્રી કરવા ૬ મહિના સુધી જુદા જુદા નગર વગેરેમાં ફરતાં ફરતાં થાકીને જ્યારે છેવટે અહીં આવ્યા, ત્યારે તેવા ગુણવંત જગદુદ્ધારક એવા તને મેં આજે જે.” મહાયોગીરાજના આવા વચન સાંભળીને જગડુશાહે તેમને (ગિરાજને) પૂછયું કે-હે મહાગિરાજ ! જેથી આખા જગતનો ઉદ્ધાર થઈ શકે, તેટલું ધન મારી પાસે ક્યાં છે? અર્થા–હાલ મારી સ્થિતિ સામાન્ય છે, તેથી આપ કહો કે–હું આખા જગતને ઉદ્ધાર કઈ રીતે કરી શકું ? આ પ્રશ્નના જવાબમાં ગિરાજે કહ્યું કે–“ હે જગડુશાહ ! તેની તારે લગાર પણ ચિંતા કરવી નહી. હવે તારો જલદી પ્રબલ ભાગ્યોદય થવાનો છે. ચિકકસ સમજી લેજે કે-તું જે શિલા ઉપર બેસીને દરરોજ દાતણ કરે છે, તે શિલા પિલી છે. તેની વચમાં તડ છે, તે કેઈને ખબર ન પડે, તે રીતે સાંધેલી છે. તેની અંદર અખૂટ ધન છે. તેનાથી તું જરૂર જગતને ઉદ્ધાર કરી શકીશ. આટલું કહી તે મૌન રહ્યા. યોગિરાજના આ વચને સાંભળીને મનમાં રાજી રાજી થયેલા જગડુશાહ તેમનો ઉત્તમ વસ્ત્રાદિના દાનથી સત્કાર કરવા માટે જેટલામાં તે વસ્ત્રાદિને લેવા ઘરમાં જાય છે, તેટલામાં તો તે ગિરાજ અદશ્ય થઈ ગયા. ઘણાં સ્થળે તપાસ કરી, તોયે તે જોવામાં આવ્યા નહી, ત્યારે જગડુશાહને નિર્ણય થયે કે–ચોક્કસ આ પુરૂષ ગિરાજ હતો જ નહીં, પણ મારા પૂર્વ ભવનો સંબંધી કઈ મિત્ર દેવજ હતા. તે મારા પુણ્યોદયથી ખેંચાઈને મારા શુભ ભવિષ્યને કહેવા જ મારી પાસે આવ્યું હતું. તેનું કહેવું સાચું જ પડશે, ને મારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy