SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] ૨૭ એક વખત જગરૂશાહ સાંજનુ પ્રતિક્રમણ કરી રાતે અંધારામાં નવકાર ગણતા હતા. તે કાઇ પણ જાણતું નથી. આ અવસરે સાધુએએ એક પહેાર રાત ગયા બાદ આકાશમાં જોયું, તા જણાયું કે ચંદ્ર રે!હિણી શકટને ભેદી રહ્યો છે. તે જોઇને તેમણે ગુરુને આ ખીના જણાવતાં ગુરુમહારાજે ખાત્રી કરીને તેનુ રહસ્ય સમજાવતાં પહેલાં પૂછ્યું કે અહીં' અત્યારે આપણા સિવાય બીજો કોઈ છે કે નહિ ? જવાબમાં સાધુઓએ કહ્યું કે અહી' તેવા કોઈ નથી. કારણકે તેમને અહી જગદ્ગુશા છે, એની ખબર ન હતી. ગુરુએ સાધુઓને કહ્યું કે હાલ આકાશમાં જે યાગ વર્તે છે, તેનું કુલ વિ. સં. ૧૩૧૫ની સાલમાં ભંયકર દુકાળ પડશે તે છે. તે સાંભળી સાધુઓએ ગુરુને પૂછ્યું કે-તે વખતે દુઃખી જગતનો ઉદ્ધાર કરનાર કાઈ થશે ? જવાખમાં ગુરુએ જણાવ્યું કે સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે મને પહેલેથી જ જણાવ્યું છે કે આ ભદ્રેશ્વર ગામનો રહીશ જગડૂશાહ દાનશાલાએ ખૂલ્લી મૂકી યાચકોને જમાડવા, દુકાલમાં રીખાતાં ઘણાં રાજાઓને મૂંડા પ્રમાણે અનાજ આપવું, જરૂરિયાત જણાતાં રોકડ નાણાંનું પણ દાન, વગેરે પ્રકારે જગતમાં રહેલા દુષ્કાલમાં પીડાતા લાખા માણસાના દુઃખને દૂર કરશે. ” આ સાંભળી સાધુઓએ ગુરૂને કહ્યું કે તેની પાસે એટલું ધન કયાં છે ? કે જેથી આપના કહ્યા મુજળ કામ કરી શકે. જવાખમાં ગુરુએ જણાવ્યું એના ઘરના વાડામાં ધેાળા આકડાની નીચે જમીનમાં ત્રણ કરોડ રૂપિયાથી ભરેલા ચરુ દાયા છે. વગેરે વચના સાંભળીને ત્યાં રહેલા જગતૂશાહે વિચાર્યુ કે ગુરુ મહારાજ મારે માટે આવી બીના જણાવે છે તેથી માનું છું કે હજુ પણ મારૂ ભાગ્ય ચળકતું છે. આ રીતે વિચારી તે રાતે મૌનપણે ત્યાં રહી સવારે ઘેર જઈ તપાસ કરી તેા, તે જ પ્રમાણે ત્રણ કરોડ રૂપિયાના ચરુ મળ્યો, તેને બ્હાર કાઢી, ગામે ગામ તેણે ધાન્યના સંગ્રહ કરાવવાના વિચાર નક્કી કર્યું. જમીનમાંથી નીકળેલા દ્રવ્યથી મલબાર વગેરે સ્થળે લાકડાની વખારા ભરાવી, સારા નાકરા મારફત વ્હેપાર કરાવ્યેા. ત્યાંથી પોતાના નાકરે ૨૫૦૦ સ્પર્ધકો દઇને મેળવેલા પાષાણુમાં સ્પર્શ પાષાણુના પાંચ ટૂકડા છે એમ યોગિના કહેવાથી જાણી તેમાંથી તે પાંચે પાષાણ ખંડ બ્હાર કાઢયા. આ સ્પર્શ પાષાણના પ્રભાવ એવા છે કે તેને લેાહુ અડે તેા સેાનું થઈ જાય. આ સ્પર્ધા - પાષાણની મીના શ્રી ઉપદેશસારાદિમાં આ પ્રમાણે જણાવી છે—જગડૂશાહના નોકરા મલબારમાં અનાજની વખારા ભરવાનું કામ કરતા હતા. ત્યાં નજીક નજીકમાં બીજી પણ વ્યાપારીઓની વખારા હતી. જગશાહની વખારની અને બીજા વ્હેપારીની વખારની વચ્ચે એક પત્થરની શિલા પડી છે. મને વખારના માલીકામાંથી જુદા જુદા ટાઇમે કોઈપણ માલીક તેની ઉપર બેસીને સવારે દાતણ કરે છે. એક વખત એવું બન્યું કે એક જ ટાઈમે બંને જણાં ત્યાં દાતણ કરવા આવ્યા. શિલા ન્હાની હાવાથી તેની ઉપર અને જણાં એક સાથે બેસીને દાતણ કરી શકે નહિ. તેથી તે બંને જણાં માંહોમાંહે ઝઘડો કરતાં ખેલવા લાગ્યા કે હું હેલાં અહીં બેસીને દાતણ કરીશ, તું પછી દાતણ કરજે. આ રીતે બીજા માલીકે પણ સામા માલીકને કહ્યું. એમ ખેલતાં ખેાલતાં અને હઠીલા ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy