SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૪ શ્રી વિજયપરિકૃતમોક્ષે જવાના હોય છે તે વખતે બાળપણથી જ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે જ્ઞાન તથા અવધિ દર્શન વગેરે ગુણોને ધારણ કરે છે. અને બાલ્યાવસ્થામાં પણ પ્રૌઢ જેવા એટલે મોટી ઉંમરવાળામાં જણાતું ઠરેલપણું, સમજણ વગેરે ગુણે વડે જાણે મેટા હેય તેવા જણાય છે. તથા તેઓ બીજા દુઃખી પુરુષોની પીડાઓને દૂર કરે છે. તેમજ યુવાન અવસ્થામાં સંસારના પદાર્થોની આસક્તિને દૂર કરીને શુદ્ધ ભાવે નિર્મળ ચારિત્રનું પાલન કરે છે, વળી અનેક પ્રકારના પરિષહેને સહન કરે છે. તેમજ કેઈ આદર સત્કાર કરે, અથવા કેઈ અપમાન કરે તથા અનેક પ્રકારે હેરાન કરે તે છતાં બંને જીવેની તરફ સમભાવ રાખે છે. માન કરનાર જીવની ઉપર રાગ કરતા નથી. અને અપમાન કરનાર જીવની ઉપર દ્વેષ કરતા નથી. ૧૮૮ ' છદ્મસ્થ ભાવે મૌનધારી સ્વપર તારક થઈ અને, વિચરતા પુણ્ય પ્રભાવે દેશના ઉપસર્ગને, ટાળે સ્વભાવે શાંત સમતાદિક ગુણોને ધારતા, - શત્રુને પણ બોધ આપી મુક્તિ માર્ગે જોડતા. ૧૮૯ સ્પષ્ટાઈ–વળી જ્યાં સુધી આ તીર્થકર ભગવાન છદ્મસ્થ ભાવમાં વિચરતા હોય છે એટલે કેવલજ્ઞાન થાય નહિ ત્યાં સુધી મૌન ભાવને ધારણ કરે છે. એટલે ત્યાં સુધી કેઈને ઉપદેશ આપતા નથી. પરંતુ પછીથી પુણ્યના ઉદયથી કેવલજ્ઞાન પામીને સ્વપર તારક એટલે પિતાને તથા પરને તારનારા બનીને એટલે ઉપદેશ આપતા છતાં મહીતલ પર વિચરે છે અને શાંત એવા તેઓ દેશ નગરાદિના ઉપસર્ગોને દૂર કરે છે. કારણ કે તેમને એ અપાયાપગમાતિશય નામને અતિશય હોય છે, કે જે મારી, મરકી વગેરે ભયને દૂર કરે છે. અને તેઓ સમતા વગેરે ગુણેને ધારણ કરે છે. એટલે દુશ્મન ઉપર પણ દ્વેષ રાખતા નથી. વળી શત્રુને પણ આત્મ હિતકર બંધ આપીને મેક્ષ માર્ગમાં જોડે છે. એટલે તેમના પસાયથી તેઓ પણ જ્ઞાન દર્શન, ચારિત્રની આરાધના કરી સ્વર્ગે કે મોક્ષે જાય છે. ૧૮૯ પ્રભુ જીવનને વાંચજે ને અન્યને સમજાવજો, તત્ત્વ ચિત્ત ધારજે પ્રભુ માર્ગ માંહી વિચરજે, આત્મગુણ રંગી બની બીજા જનેને તારો, પ્રભુ જીવનના લાભ એ મારી શીખામણ માનજે. ૧૯૦ - સ્પષ્ટથ– હે ભવ્ય છે! તમે આ પાંચમાં શ્રીસુમતિનાથ ભગવાનના ચરિત્રને વાંચજો. તેમજ બીજા ને તેને અર્થ સમજાવજે. અને તત્વને એટલે સારને ચિત્તમાં ધારણ કરજો એટલે ગ્રહણ કરીને પ્રભુએ ઉપદેશેલા માર્ગમાં વિચરજે. વળી આત્મ ગુણ રંગી એટલે આત્માના જ્ઞાનાદિક ગુણમાં રમણતા કરીને તમે ભવ સમુદ્રને તરજે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy