SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] એ સર્વ તીર્થકરેના દેહનું અને આયુષ્યનું પ્રમાણ, કલ્યાણક તિથિઓ, લાંછન, વર્ણ અને અંતર વિગેરે પશ્ચાનુપૂવથી વર્તમાન તીર્થકરોની સમાન જાણવું. ૧૮૫ પ્રભુના પાંચે કલ્યાણક પૂજનીય શાથી છે તે બીના પાંચ લોકમાં જણાવે છે – કલ્યાણકો પાંચે કહ્યા શ્રીસુમતિનાથ જિણંદના, જિનશાસને કલ્યાણકારક જીવન સાત્વિકે તણા; તીર્થપતિના જીવન ઉત્તમ આત્મ દૃષ્ટિ જગાવતા, કર્મ શત્રુ હઠાવતા પુણ્યશાલી ભવ્ય વિચારતા. ૧૮૬ સ્પષ્ટાર્થ – એ પ્રમાણે પાંચમાં શ્રીસુમતિનાથ જિનેશ્વરનાં ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ પાંચે કલ્યાણકે કહ્યા. શ્રીજૈન શાસનને વિષે સાત્વિકે એટલે સત્ત્વશાળી તીર્થકરોના જીવનને પરમ કલ્યાણકના (મોક્ષના) કારણ કહેલાં છે. કારણ કે તીથકના ઉત્તમ જીવનચરિત્રો આત્મદષ્ટિ એટલે આત્માની રમણતાવાળી દષ્ટિ (ભાવના) જગાડે છે. વળી તે ચરિત્ર કર્મ રૂપી શત્રુને હઠાવે છે. એ પ્રમાણે પુણ્યવંતા ભવ્ય જ વિચારે છે. ૧૮૬ એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સૌને બનાવું એ ઉત્તમ ભાવથી; વીસ થાનક આદિ તપને સાધતા સંયમી બની, દેવ ભવમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૧૮૭ સ્પષ્ટાર્થ –આ પૂજ્ય તીર્થકર ભગવંતે પૂર્વ ભવના સારા સારા સંસ્કારને લીધે સર્વ જીવોને જન શાસનના રસિયા બનાવું” એવી ઉત્તમ ભાવનાથી વીસ સ્થાનક આદિ તપ એટલે વીસ સ્થાનકમાંથી ઓછામાં ઓછું એક સ્થાનક, કોઈ બે સ્થાનક અને કઈ ઉત્કૃષ્ટપણે વીસે સ્થાનક વગેરે તપની આરાધના કરે છે. તે સાથે ચારિત્રને પણ ગ્રહણ કરે છે. અને તે ભવનું આયુષ્ય પૂર્ણ કરીને દેવભવમાં જઈને આનંદપૂર્વક રહે છે ખરા, પણ તેમાં આસકત થતા નથી. કદાચ કઈ ભાવિ જિનને જીવ નરકમાં જાય, તે ત્યાં સમતા ભાવમાં રહીને નરકની વેદનાને સહન કરે છે. ૧૮૭ અંત્ય ભવમાં બાલ્યથી જ્ઞાન આદિ ગુણ ધરે, પ્રૌઢ જેવા દીયતા મુશ્કેલીઓ પરની હરે; વીવને આસક્તિ ટાળી શુદ્ધ સંયમ પાળતા, પરીષહ સહતા સમ બને માન અપમાને થતા. ૧૮૮ સ્પાર્થ—અને જ્યારે છેલ્લે તીર્થકર થવાને ભવ પામે છે, એટલે જે ભાવમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy