SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ [ શ્રી વિજ્યપધસૂરિકૃતકલ્પવૃક્ષ હોય છે તેને વિષે સુખે કરીને રહે છે. તેમને ખાન, પાન, પ્રેક્ષણ વિગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષેથી પ્રાપ્ત થયા કરે છે. ત્યાં ડાંસ, જૂ, માંકડ અને મક્ષિકા વિગેરે દેહને ઉપદ્રવ કરનાર જંતુઓ ઉત્પન્નજ થતાં નથી. વાઘ સિંહાદિ હિંસક પશુઓ ત્યાં હિસ્ય હિંસક ભાવે વર્તતા નથી. તે ક્ષેત્રમાં ઘડા હાથી વિગેરે ચોપગાં પ્રાણી, શે વિગેરે ભુજ પરિસર્ષ, સર્ષ વિગેરે ઉરપરિસર્ષ તથા ચકર વિગેરે પક્ષીઓ સર્વે યુગલીયા પેજ થાય છે. આ બધા જુગલીયાએ મરણ પામીને પિતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા અથવા તેથી એાછા આયુષ્યવાળા દેવતા થાય છે, પરંતુ અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થતા નથી. ઉત્સર્પિણીને ચોથા આરામાં થયેલા યુગલીયાના દેહની ઊંચાઈ તે આરાને પ્રાંતે એક ગાઉની હોય છે, અને આયુષ્યનું પ્રમાણુ એક પોપમનું હેય છે. તેઓ એકાંતરે આમળાના ફલ જેટલો આહાર કરે છે. તેમને ચેસઠ પાંસળીઓ હોય છે. એ આરામાં યુગલીયા એકાશી દિવસ સંતતિનું પાલન કરે છે, પછી શ્વાસોશ્વાસ, બગાસું, ખાંસી કે છીંક વિગેરેથી પ્રાણ છોડી દે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે બે કટાકેટિ સાગરોપમને સુષમ દુષમા નામે ચેાથે આરે વ્યતીત થયા પછી સુષમા નામે પાંચમે આરે ઉદ્દભવે છે. તે આરાની આદિમાં જુગલીયાએ ચોથા આરાના પ્રાંત સમયે ઉત્પન્ન થયેલા જુગલીયા જેવા હોય છે. પરંતુ હળવે હળવે તેમનાં શરીર તથા આયુષ્ય ત્યાં સુધી વધે છે કે યાવત શરીરનું પ્રમાણુ બે ગાઉનું અને આયુષ્યનું પ્રમાણુ બે સાગરોપમનું થાય છે. તેમની પૃષ્ઠ ભાગની પાંસળીઓ પણ ત્યાં સુધી વધે છે કે તેની સંખ્યા એકસે ને અઠ્ઠાવીસની થાય છે. તેમને આહાર ઘટત ઘટતો ત્યાં સુધી ઘટે છે કે બે દિવસને આંતરે બદરી ફળ (બાર) જેટલે આહાર કરે છે, અને સંતતિને તેઓ ચોસઠ દિવસ સુધી પાળે છે. આ પ્રમાણે ત્રણ કેટકેટિ સાગરોપમ પ્રમાણવાળો પાંચમો આરો વ્યતીત થયા પછી છઠ્ઠો આરે આવે છે. આ છઠ્ઠા આરાના પ્રારંભમાં જુગલીયાઓના શરીર વિગેરેનું પ્રમાણ પાંચમા આરાના અંતે જન્મેલા જુગલીયાના જેટલું હોય છે. પરંતુ તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ ત્યાં સુધી વૃદ્ધિ પામે છે કે યાવત તે આરાને અંતે શરીરનું પ્રમાણ ત્રણ ગાઉનું અને આયુષ્યનું પ્રમાણ ત્રણ પાપમનું થાય છે. તેમના પૃષ્ઠની પાંસળીની સંખ્યા બસે ને છપ્પનની થાય છે. તેમના આહારની હાનિ તેટલે સુધી થાય કે ત્રણ દિવસને આંતરે તુવરના ફળ (દાણા) જેટલો આહાર કરે છે. તેઓ સંતતિનું પાલન ઓગણપચાસ દિવસ સુધી કરે છે. આ આરામાં હાથીનું આયુષ્ય મનુષ્ય જેટલું, અશ્વાદિકનું આયુષ્ય મનુષ્યના ચેથે ભાગે, મેંઢા વિગેરેનું આઠમે અંશે; ગાય, ભેંસ, ખર, ઉંટ વિગેરેનું પાંચમે અંશે, શ્વાન વિગેરેનું દશમે અશે, ભુજ પરિસર્પ તથા ઉરપરિસર્પનું એક ક્રોડ પૂર્વનું, પક્ષીઓનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy