SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૪. સિદ્ધગિરિ, સમુદ્રની સપાટીથી ૧૯૭૭ ફુટ ઉંચે છે. ૧૫. પૂર્વે હરિવંશ કુલના યદુરાજા મથુરા નગરીમાં રાજ્ય કરતા હતા. તેને સૂરકુમાર નામે પુત્ર હતો, તેના બે પુત્ર ૧ શૌરિકુમાર. ૨ સુવીરકુમાર. સૂરરાજાના મરણ પામ્યા બાદ શૌકિકુમાર મથુરાનો રાજા થયો. તેણે આ રાજ્ય નાનાભાઈ સુવીરકુમારને આપીને કુશાવર્ત દેશમાં જઈ શૌર્ય (સીરિ) પુર વસાવી, રાજ્ય કર્યું. રાજા શૌરિને અંધકવૃષ્ણિ નામે, ને સુવીર રાજાને ભેજવૃષ્ણિ નામે કુંવર હતો. અંધકવૃષ્ણિને સમુદ્રવિજય વગેરે દશ કુંવર હતાં, તેમાં મોટા સમુદ્રવિજય, તે શ્રી નેમિનાથના પિતા થાય. ને નાના વસુદેવના બે પુત્ર. ૧. કૃષ્ણ વાસુદેવ ૨. બલરામ (બલદેવ) તથા ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર હતો, તે મથુરાનો રાજા હતા. તેને કંસકુમાર નામે પુત્ર હતો. ૧૬. જગડૂશાહ પરમેશકારી શ્રી ગુરુ મહારાજના દર્શન કરીને બહુ જ ખુશી ખુશી થઈ જતા હતા. તેના ચરિત્રમાં આ બીને દષ્ટ દઈને સરસ રીતે સમજાવી છે. તે આ પ્રમાણે– જેમ મોર મેઘને જોઈને, ચકલાક પક્ષી સૂર્યને જોઈને, ચકેર પક્ષી ચંદ્રને જોઈને રાજી રાજી થઈ જાય, તેમ જગડૂશાહ શ્રી ગુરુમહારાજને જોઈને રાજી રાજી થઈ ગયા. ૧૭. અષ્ટાપદ પર્વતને અંગે જગડુ ચરિત્રની ટિપણમાં જણાવ્યું છે કે અયોધ્યાથી ૧૯૨૦૦ કેસ ઉપર ઈશાન ખૂણામાં હિમાલય પર્વતની પેલી મેર રહેલ ઉત્તરાખંડમાં અષ્ટાપદ પર્વતની ઉપર ભરતચકીએ જિનાલય બંધાવ્યા. તે પર્વત ઉંચાઈમાં ૩૨ ગાઉ છે ને ચાર ચાર ગાઉને આંતરે એકેક પગથિયું હોવાથી તે અષ્ટાપદ (આઠ પગથિયાવાળો પર્વત) કહેવાય છે. આ રીતે બહુ જ સંક્ષેપે (ટૂંકમાં) આ જગડૂ શેઠની બીને જણાવવાનો ખરે મુદ્દો એ છે કે–પરમ પુદયે શ્રી જૈનેન્દ્ર શાસનને પામેલા શ્રદ્ધાળુ ધનવંત શ્રમણે પાસક વગેરે ભવ્ય જીવ પરમ પૂજ્ય પરમેપકારી શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષોના ઉપદેશથી કે પિતાના ક્ષાયોપથમિક બુદ્ધિબલથી દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ તરફ લક્ષ્ય રાખીને હાલ સાધર્મિક ભક્તિ તરફ તીવ્ર ઉત્કંઠા ધરાવે, એ શ્રી જિનશાસનની અપૂર્વ છાયાને જ પ્રભાવ છે. તથા એમ પણ જણાવવું વ્યાજબી જ છે કે હાલનો ટાઈમ, બીજા તે એક બાજુ રહ્યા પણ બુદ્ધિશાલી વિચારક મધ્યસ્થ પુરૂષને ખરી ચેતવણી આપનારો છે તેમજ અનિત્યતાનો સત્ય બોધ દેનારે, શાંતિનો તથા સંપનો સત્ય પાઠ શીખવનારે, તેમજ આત્મદષ્ટિને સતેજ કરનારે, વળી જૂના વેર-ઝેરને ભૂલાવનાર, નવા વેર-ઝેરના કારણે પ્રત્યે તિરસ્કાર ઉપજાવનારે, તથા માનસિક વાચિક કાયિક પ્રવૃત્તિને નિયમિત બનાવનારે, તેમજ મોક્ષના પંથે વધારે પ્રયાણ કરાવનારે છે એમ સી કેઈ જરૂર કબૂલ કરશે જ. વળી એ વાત પણ ધ્યાન બહાર નથી જ કે-હાલ પણ સમયને સૂમ દષ્ટિથી તપાસીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy