SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ | શ્રી વિજયપદાસરિકતસ્થા, ૪ આપત્તિ ટાળવાનો ઈલાજ (તેનું જ્ઞાન અને તેની યોજના), ૫ કાર્યસિદ્ધિ. નીતિના એ પાંચ અંગોના જાણકાર જગડુશાહ હતા. ૫. જેમ સૂર્યકાંત મણિમાં સૂર્યના કિરણો પડે તો અગ્નિ ઉત્પન્ન થતો મનાય છે, તેમ ચંદ્રકાંત મણિ માટે પણ કહેવાય છે કે તેની ઉપર ચંદ્રના કિરણો પડે ત્યારે તેમાંથી પાણી ઝરે. ૬. વીસ કેડીની એક કાકિણી થાય, ૪ કાકિણીનો એક પસ, ને ૧૬ પૈસાને દ્રશ્ન (પા રૂપિયે, પાવલી) થાય. કહ્યું છે કે-થરાદામાં ૪૪ રન, સા વાળ સાહ્ય gi તન્ના છે તે રામ નારિ. ૭. દાન, માન, વિવેક, સુવાણ, સુનીતિ, સાહસ, કીર્તિ, ધૈર્ય, સભ્યતા, લજજા, વડીલે પ્રત્યે નમ્રતાવાળું વર્તન, દયા, યોગ્યતા, સદ્ભાવના, હિંમત, વગેરે ગુણોને ધારણ કરનારા જગડુશા શ્રાવક વિશાશ્રીમાળી જ્ઞાતિના સહા શેઠના પુત્ર હતા. ને તે પંચાલ દેશના ભદ્રેશ્વર ગામમાં રહેતા હતા. જે વિવેકી પુરૂષ ગુણી જનના ગુણ સાંભળી રાજી ન થાય? ૮. જગડુ શ્રાવકે ૧૦૮ જિનાલયે નવા કરાવ્યા, ને સંઘ કાઢી ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થની ચતુર્વિધ સંઘ સાથે ત્રણ વાર યાત્રા કરી. ૯. સાધર્મિક બંધુઓ, સીદાતા છતાં પણ ખાનદાનીને આંચ આવવાનો ભય, શરમ વગેરે કારણોથી દાન લઈ શકે નહિ. આ ઇરાદાથી જગડુશાહ લાડવાની અંદર ગીનીઓ ગોઠવીને કરડે મેદકે તૈયાર કરાવી દાન દેતા હતા. વ્યાખ્યાનાદિ પ્રસંગે પ્રભાવના પણ કરતા હતા. કેઈને વિશેષ આપવા જેવું લાગે તો તેવી વ્યક્તિઓને વધારે ગીનીઓવાળા મોદક દેવાની સૂચના પણ પ્રભાવના વેંચનાર માણસને કરતા હતા. આવી પ્રભાવના સૌ કેઈ લઈ શકે, આવી જાતના ભેદકે લજાપિંડ કહેવાય. કીર્તિની ઈચ્છા રાખ્યા વગર લેનારની આબરૂને આંચ ન આવે, લેતાં સંકેચ પણ ન થાય, આ વસ્તુ તરફ ધ્યાન રાખી જગડુની દાન દેવાની આ યુક્તિ હાલના જેનેન્દ્રશાસનના પરમારાધક, લક્ષ્મીની ચપલતાને યથાર્થ સ્વરૂપે સમજનાર ધર્મિષ્ઠ ધનવંત શ્રમણોપાસકેએ (શ્રાવકેએ) યાદ રાખી જરૂર અમલમાં મૂકવી જોઈએ. જગડુ શ્રાવક દુકાળમાં દાન દેતી વખતે આડો પડદે રાખતા હતા ને વચમાં પડદાની બહાર રહેલ લેનાર ખાનદાન માણસને હાથ પિતાની પાસે આવી શકે, તેવું મોટું છિદ્ર રખાવી દાન દેતા હતા. હાથની રેખા તપાસતાં કોઈ દાન લેવા આવનાર ખાનદાન માણસ વધારે દુઃખી જણાય તો તેને બહુ કીંમતી રત્ન વગેરે પણ દેતાં અચકાતા ન હતા. ૧૦. દીનારમાં ૩ર રતિભાર સેનું આવે છે. ૧૧. સૂંઠ, મરી, ને પીંપર એ ત્રિકટું કહેવાય. ૧૨. વરાહમિહિરે સં. ૧૯૪માં પંચસિદ્ધાંતિક નામનો ગ્રંથ રચે. ૧૩. કાલિદાસ નામના કવિ-બે થઈ ગયા. એક વિક્રમ રાજાને રાજ્યકાલે ને બીજે કાલિદાસ ભેજ રાજાના રાજ્યસમયે થયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy