SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ દરાનાચંતામણિ ભાગ પાંચમ ]. ઉપર કહેલા બીજા અર્ધચક્રીનું શરીર સેળ ધનુષ્ય પ્રમાણુ હોય છે, અને આયુષ્ય બાર હજાર વર્ષ પ્રમાણ હોય છે અને બલદેવનું આયુષ્ય પંદર હજાર વર્ષનું હોય છે. એ ચાર પુરુષે કીતિશેષ થયા પછી ચેથા તીર્થકરના જન્મથી છ લાખ વર્ષ વીતતાં રાજગૃહ નગરમાં પાંચમા તીર્થંકર થાય છે. તેઓ શ્યામ કાંતિવાળા, ત્રિીશ હજાર વર્ષના આયુષ્યવાળા અને વીશ ધનુષ્યની કાયાવાળા હોય છે. તે અવસરે વારાણસી નગરીમાં વીશ ધનુષ્યની કાયાવાળા અને ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા ચોથા ચકવતી થાય છે. પાંચમા તીર્થકર મોક્ષે ગયા પછી તેમની ઉત્પત્તિના સમયથી ચેપન લાખ વર્ષ વ્યતીત થતાં છઠ્ઠા તીર્થકર મિથિલાનગરીમાં ઉત્પન્ન થાય છે. તેમની કાયા પચવીશ ધનુષ્યની, આયુષ્ય પંચાવન હજાર વર્ષનું અને શરીરની કાંતિ મરકત મણીના જેવી હોય છે. તે પણ પ્રથમના પાંચ પ્રભુની જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કર્યા પછી કેટલાક કાળ જતાં ત્રીજા વાસુદેવાદિ ચાર પુરુષો ઉદ્ભવે છે. તેમનું સર્વ સ્વરુપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલું કે તે ત્રીજા વાસુદેવનું શરીર છવીશ ધનુષ્ય પ્રમાણને આયુષ્ય છપ્પન્ન હજાર વર્ષનું હોય છે, અને બલરામનું આયુષ્ય પાંસઠ હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષે વ્યતીત થયા પછી કેટલાક કાળ જતાં પાંચમા ચકવતી હસ્તિનાપુરમાં ઉત્પન્ન થાય છે. તેના શરીરનું પ્રમાણ અઠ્ઠાવીશ ધનુષ્યનું અને આયુષ્ય સાઠ હજાર વર્ષનું હોય છે, તે પાંચમા ચકવતી થયા પછી કેટલોક કાળ વ્યતીત થતાં ચોથા બલદેવાદિ ચાર પુરુષો થાય છે, તેમનું સ્વરુપ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એટલું કે ચોથા અર્ધચકીના શરીરનું પ્રમાણ ઓગણત્રીશ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પાંસઠ હજાર વર્ષનું હોય છે. બલદેવના આયુષ્યનું માન પંચાશી હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષ કાળ કરી ગયા પછી છઠ્ઠા તીર્થકરના જન્મથી એક હજાર કટી વર્ષ વ્યતીત થતાં દિલ્લી નગરમાં સુવર્ણવણું સાતમા તીર્થંકર ઉદભવે છે. તે અવસરે તેજ નગરમાં ચક્રવતીને પણ પ્રસવ થાય છે. તે ચક્રવત અને ભગવંતના શરીરનું પ્રમાણ ત્રીશ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ રાશી હજાર વર્ષનું હોય છે. તે સાતમા તીર્થકર મેક્ષે ગયા પછી તેમના જન્મથી એક હજાર કોડ વર્ષે જૂન પોપમના ચોથા ભાગ જેટલો કાળ વ્યતીત થતાં આઠમા તીર્થંકર હસ્તિનાપુરને પિતાના અવતારથી પવિત્ર કરે છે. તેમના શરીરનું પ્રમાણ પાંત્રીશ ઘનુષ્યનું આયુષ્યનું પ્રમાણ પંચાણું હજાર વર્ષનું અને શરીરની કાંતિ સુવર્ણ જેવી હોય છે. તેજ અવસરે તેજ નગરમાં સાતમા ચક્રવત પણ થાય છે. તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થકર જેટલું હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy