SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [ શ્રી વિજયપધરિકતે ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા સાત સ્વપ્ન જુએ છે. તે વાસુદેવ ચક્ર વિગેરે સાત રત્નના અધિપતિ, એક હજાર વર્ષના આયુષ્યવાળા, પીતાંબરધારી, દેવજમાં ગરુડના ચિન્હવાળા, શ્યામ મૂર્તિ અને દશ ધનુષ્યની કાયાવાળા હોય છે. તેના જ્યેષ્ઠ બંધુ બલદેવ હોય છે. તે ઉજવલવણ કાયાવાળા, ગર્ભમાં આવે ત્યારે ચાર સ્વપ્નથી સુચિત થનારા, નીલ વસ્ત્ર ધરનારા, વજામાં તાલવૃક્ષના ચિન્હવાળા, હળ મુશલાદિ શસ્ત્રને ધારણ કરનારા, બાર વર્ષના આયુષ્યવાળા, મૃત્યુ પામીને સ્વર્ગ કે મેક્ષે જનારા અને પિતાના અનુજ બંધુ સાથે પરમ સનેહાકુળ એવા ઉત્પન્ન થાય છે. તે સમયે પ્રથમ નારદ મુનિ પણ થાય છે કે જે ઘણા કલહપ્રિય, આકાશગામી વિદ્યાવાળા, સર્વ રાજાએ વિગેરેથી પૂજા સત્કાર મેળવનારા અને દઢ શીલવાળા હોય છે. તે સંયમે તથા કેવલજ્ઞાને કરીને તેજ ભવે મોક્ષગામી થાય છે; એવી રીતે ત્રીજા તીર્થંકરના વારામાં ચાર ઉત્તમ પુરુ થાય છે. ત્રીજા જિન મુક્તિ પામ્યા પછી કેટલોક કાલ વ્યતીત થતાં રાજગૃહ નગરમાં બીજા ચકવતી ઉત્પન્ન થાય છે. તેની સુવર્ણ જેવી કાંતિ, બાર ધનુષની કાયા અને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. તેના સર્વ વૈભવને વિસ્તાર પહેલા ચકવતી જે હોય છે. ત્રીજા તીર્થકરના જન્મથી પાંચ લાખ વર્ષ વીત્યા પછી ચોથા તીર્થકર ઉત્પન્ન થઈ મિથિલાપુરીને પવિત્ર કરે છે. તેમનું આયુષ્ય દશ હજાર વર્ષનું, કાયા પંદર ધનુષ્યની અને દેહને વર્ણ સુવર્ણના જેવો હોય છે. એ અવસરે કાંપિયપુરમાં ત્રીજા ચક્રવતી થાય છે. તેને વૈભવ વિગેરે સર્વ પહેલા ચકવર્તી પ્રમાણે હોય છે. એવી રીતે આગળ થનારા ચક્રવતીઓ માટે પણ સમજી લેવું. તે ચક્રવર્તીઓની ગતિ આશ્રીને એમ સમજવું કે જે પરિગ્રહની અત્યંત આસક્તિથી અંત અવસ્થા સુધી ચક્રવતપણું છોડતા નથી તે મરણ પામીને અવશ્ય અગતિમાં (નમેં) જાય છે; અને જેઓ ધર્મદેવપણું અંગીકાર કરે છે એટલે કે ચારિત્ર ધર્મને આચરે છે તેઓ અવશ્ય સ્વર્ગ કે મોક્ષમાંથી એક ગતિને પામે છે. ચેથા તીર્થકર મોક્ષે ગયા પછી કેટલાક કાળ જતાં બીજા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બલદેવ તથા નારદમુનિ થાય છે. તેમનો વૈભવ તથા મૃત્યુ પછીની ગતિ વગેરે પૂર્વવત જાણી લેવાં. સર્વે અર્ધ ચકી (વાસુદેવ) પૂર્વ જન્મ ઉપાર્જન કરેલ સુકૃતમાં નિયાણું કરવાથી તેવી સંપત્તિ પ્રાપ્ત કરી મૃત્યુ પછી નરકે જાય છે. પ્રતિવાસુદેવ પણ તેજ રીતે નરકે જાય છે, અને બલદેવ પૂર્વ ભવે નિયાણા વિના ધર્મારાધન કરવાથી સમૃદ્ધિના વિસ્તારને સંપાદન કરી સંયમ લઈ ઉર્વ ગતિમાં જ જાય છે. સર્વ નારદ પ્રાંતે શુદ્ધ ચારિત્ર લઈ મોક્ષે જ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy