SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી વિજયપધરિકૃત આઠમા તીર્થકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી અર્ધ પલ્યોપમ સમય વ્યતીત થતાં તેજ નગરમાં નવમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે જ સમયે તેજ નગરમાં આઠમા ચક્રવર્તી પણ ઉત્પન્ન થાય છે. તે બંનેના શરીરનું પ્રમાણ ચાલીશ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ એક લાખ વર્ષનું હોય છે. તેમના શરીરનું માન સાડી એકતાલીશ ધનુષ્યનું અને આયુષ્યનું માન ત્રણ લાખ વર્ષનું હોય છે, તે નવમા ચક્રવર્તી કથાશેષ થયા પછી કેટલોક સમય જતાં સાવથી નગરીમાં દશમા ચક્રવતી ઉત્પન્ન થાય છે. તેના શરીરનું માન સાડી બેંતાલીશ ધનુષ્યનું અને આયુષ્યનું માન પાંચ લાખ વર્ષનું હોય છે. દશમા ચક્રવર્તી થઈ ગયા પછી રત્નપુર નગરમાં સુવર્ણ કાંતિવાળા દશમા તીર્થંકર નવમા તીર્થંકરના જન્મથી પિણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમે થાય છે, તેમના શરીરનું પ્રમાણ પિસ્તાળીસ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ દશ લાખ વર્ષનું હોય છે તે સમયે બલદેવાદિ ચાર પ્રધાન પુરૂષ અવતરે છે, તેમનું સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલું કે પાંચમા વાસુદેવના આયુષ્ય તથા શરીરનું માન તે સમયના જિનના જેટલું જાણવું; અને બલદેવના આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું જાણવું. દશમાં તીર્થકર મુક્તિ રુપ પતિવ્રતાના સ્વામી થયા પછી તેમના જન્મથી ચાર સાગરેપમ જેટલો સમય વીત્યા બાદ અધ્યા નગરીમાં અગિયારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે, શરીરનું પ્રમાણ પચાશ ધનુષ્યનું હોય છે અને આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું હોય છે. એમના સમયમાં છઠ્ઠા બલદેવ વિગેરે ચાર પુરુષે ઉદ્દભવે છે. તેમાં અર્ધચકીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનની જેટલું સમજવું; અને બલદેવનું આયુષ્ય પંચાવન લાખ વર્ષનું જાણવું. અગિયારમા તીર્થંકર પિતાના આત્મવરુપને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી નવ સાગરેપમ પ્રમાણુ કાળ વીત્યા બાદ કંપિલપુરમાં બારમા તીર્થંકર ઉદ્દભવે છે. તેમના શરીરનું પ્રમાણ સાઠ ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ વર્ષનું હોય છે. એ સમયે સાતમા બલદેવાદિ ચાર પુરુષ ઉત્પન્ન થાય છે. તેમનું સર્વ સ્વરુપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલું કે સાતમા અર્ધચક્રીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનના જેટલું અને બલદેવના આયુષ્યનું પ્રમાણ પાંસઠ લાખ વર્ષનું જાણવું. બારમા જિનેશ્વર મુક્તિ પામ્યા પછી તેમના જન્મથી ત્રીશ સાગરોપમ ગયા પછી તેરમાં તીર્થકર ચંપાનગરીમાં ઉત્પન્ન થાય છે. એમનું શરીર સિત્તેર ઘનુષ્યનું અને આયુ તેર લાખ વર્ષનું હોય છે. દેહને વર્ણ સુવર્ણ સમાન હોય છે. તેમના સમયમાં આઠમા બલદેવાદિ ચાર પુરુષે પ્રગટે છે. તેમાં વાસુદેવના આયુષ્ય તથા શરીરનું પ્રમાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy