SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૧૦૫ એવા આયુ, નામ, ગોત્ર તથા વેદનીય નામના ચાર કર્મોને સંપૂર્ણ ક્ષય કરીને સુમતિનાથ પ્રભુ નિરંજન નિરાકાર થઈને પિતાને અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ ગુણોની રમણતામાં લીન થયા એટલે મોક્ષે ગયા. ૧૮૨ પ્રભુનું કુલ આયુષ્ય વગેરે બીના જણાવે છે – કુંવર ભાવે પૂર્વ દશ લખ ઓગણત્રીશ લખ પૂર્વ ને, બાર પૂર્વાગે નૃપતિતા બેઉ ગૃહિતા ૫૫ જાણીએ; આયુ ચાલીશ લાખ પૂરવ પૂર્ણ આયુષ પ૬ પ્રભુ તણું, ચેથી પ્રભુ નિર્વાણથી શ્રીસુમતિ શિવ પદ આંતરૂં. ૧૮૩ સ્પાઈ--પ્રભુ શ્રીસુમતિનાથ કુમાર અવરથામાં દશ લાખ પૂર્વો સુધી રહ્યા. તથા ઓગણત્રીસ લાખ પૂર્વો ને ઉપર બાર પૂર્વાગ જેટલે કાળ નૃપતિતા એટલે રાજાપણામાં રહ્યા. એ બંને મળીને પ્રભુને ઓગણચાલીસ લાખ પૂર્વ અને ઉપર બાર પૂર્વાગ પ્રમાણુકાળ, તે ગૃહસ્થપણાને કાળ (૧૫૫) જાણવે. ત્યાર પછી બાર પૂર્વાગે ઓછા એક લાખ વર્ષો જેટલે કાળ સાધુપણામાં પસાર કર્યો. એ પ્રમાણે બધું મળીને પ્રભુનું સંપૂર્ણ આયુષ ચાલીસ લાખ પૂર્વ (૧૫૬) પ્રમાણુ જાણવું. હવે ચોથા શ્રી અભિનંદન સ્વામીના નિર્વાણ ગયા પછી શ્રીસુમતિનાથ પ્રભુને કેટલું અંતરૂં હતું તે ૧૮૪ મા લેકમાં જણાવે છે. ૧૮૩ અભિનંદન પ્રભુના સરખા કયા કયા કરે છે? તે બીન જણાવે છે – નવ લાખ કેડી સાગરોપમ ૫૭ પૂજ્ય અભિનંદન પરે, બાર ૫૮થી૧૮ વરે ઇંદ્ર આદિક અંત્ય વિધિ પૂરણ કરે નંદીશ્વરે નિર્વાણ ઉત્સવ કરત સ્વર્ગ સંચરે, ધન્ય ઇંદ્રાદિક સુરેશ પ્રભુ ભક્તિથી ભવ ચુલુ કરે. ૧૮૪ સ્પદાર્થ:-અભિનંદન સ્વામી અને સુમતિનાથ પ્રભુનું આંતરૂં નવ લાખ ક્રોડ સાગરેપમ પ્રમાણ જાણવું. ત્યાર પછીના (૧૫૮ થી ૧૬૯ સુધીના) બાર દ્વારે અભિનંદન સ્વામીની પેઠે જાણવાં. હવે સુમતિનાથ પ્રભુનું નિર્વાણ થયું તે વખતે ઈન્દ્રો સહિત દેવો ત્યાં આવે છે અને પ્રભુની નિર્વાણ સમયની બધી સંપૂર્ણ વિધિ કરે છે. (આ નિર્વાણ વખતની વિધિનું વર્ણન શ્રી દેશના ચિંતામણીના પ્રથમ ભાગમાં વિસ્તારથી કર્યું છે માટે અહીં જણાવવામાં આવ્યું નથી.) પ્રભુની અંત્ય ક્રિયા કરીને ઇન્દ્રો તથા દે નંદીશ્વર દ્વીપે જઈને ત્યાં પ્રભુને નિર્વાણ ઉત્સવ કરે છે. ત્યાર પછી તેઓ પોતપોતાના સ્થાને સ્વર્ગમાં જાય છે. આવી ભક્તિ કરનારા ઈન્દ્રાદિક દેવને ધન્ય છે. કારણ કે તેઓ પ્રભુની ભકિત કરીને આ ભવ સમુદ્રને ચૂલુ પ્રમાણ એટલે ઘણો ઓછો કરે છે. એટલે થોડાજ ભવોમાં તેમને મોક્ષ થાય છે. ૧૮૪ ૧૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy