SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજયપધરિતબલવંત પણ દુર્બલ બને નરેગ પણ રોગી બને, અનુકુલ પણ પ્રતિકૂલ ક્ષણમાં સુભગ પણ દુર્ભગ બને; નરાદિકપણું તુલ્ય તોએ ભિન્નતા કર્મોદયે, કર્મથી છે સિદ્ધ કર્તા જીવ સિદ્ધિ વિમાસીએ. ૧૭૨ સ્પાઈ–વળી હે જીવ! જ્યારે પાપ કર્મોને ઉદય થાય છે ત્યારે બળવાન માણસ પણ દુર્બળ એટલે બળ વિનાના બની જાય છે. અને જે નીરોગી એટલે રોગ વિનાના હોય તેઓ પણ ક્ષણ વારમાં રોગવાળા-રોગિષ્ટ થઈ જાય છે. તથા જેને હાલ બધી જાતની અનુકુળતા હોય તેને પાપને ઉદય થાય ત્યારે ક્ષણ વારમાં બધી જાતની પ્રતિકૂળતા પણ થાય છે. અથવા જેઓ અનુકૂળ હોય છે તેઓ પણ પ્રતિકૂળ એટલે વિરોધી બની જાય છે. તેમજ સૌભાગી એટલે જે જીવ બધાને વહાલો લાગતું હોય તે પણ પાપના ઉદયથી દૌર્ભાગી એટલે અળખામણો થાય છે. આ બધા જીવોમાં નરદિપણું એટલે મનુષ્યની અપેક્ષાએ મનુષ્યપણું, તિર્યંચની અપેક્ષાએ તિર્યચપણું વગેરે ધર્મો સમાન હવા છતાં શુભ અશુભ કર્મોના જુદા જુદા પ્રકારના ઉદયને લીધે તે જીના સ્વરૂપમાં ભિન્નતા એટલે જુદાપણું જણાય છે. આ પ્રમાણે જીવપણું સમાન છતાં પણ જીમાં જે વિચિત્રપાયું છે તેમાં કર્મોની વિચિત્રતાજ કારણ છે. એ પ્રમાણે કર્મની સિદ્ધિ થતી હોવાથી તે કર્મોને કર્તા પણ સિદ્ધ થાય છે. કારણ કે કર્મ એ કાર્ય રૂપે છે અને કારણ વિના કાર્ય હોય નહિ. આ રીતે કર્મના કર્તા જીવની સાબીતી થઈ શકે છે. ૧૭૨ આ મનુષ્ય ભવની દુર્લભતા જણાવી ગણધર મહારાજ દેશના પૂરી કરે છે તે વગેરે બીના બે શ્લોકમાં જણાવે છે – પામ દુર્લભ ફરી આ મનુજ ભવ પણ યત્નથી, છે વિપાક ભયંકરા કતકર્મના તે હેતુથી; વિષમતા આ કાલની ને દેહનું દુર્બલપણું, પરાધીનતા ઘડપણે જાણી શરણ લઈ ધર્મનું. ૧૭૩ સ્પષ્ટાથી–હે ભવ્ય ! તમે હંમેશાં પળે પળે આ રીતે જરૂર વિચારજે કે આ મનુષ્ય જન્મ ઘણે પ્રયત્ન કરવા છતાં પણ ફરીથી મેળવવું ઘણું મુશ્કેલ છે. કારણ કે કુતકર્મને એટલે પિતે બાંધેલાં કર્મોને વિપાક અથવા ઉદય ભયંકર છે. અથવા મનુષ્ય પણું પામ્યા છતાં જેઓ તે મનુષ્ય ભવમાં ધર્મ સાધન વગેરે સારાં કાર્યો કરતા નથી અને મનુષ્યપણું આળસ વગેરેમાં ફેગટ ગુમાવે છે તેવા મનુષ્યોને ફરીથી મનુષ્યપણું મહામહેનતે પણ મળતું નથી. અને મનુષ્ય પણું મળ્યા સિવાય મેક્ષે જઈ શકાતું નથી. માટે મનુષ્યપણું મેળવવું દુર્લભ કહ્યું છે. વળી મનુષ્ય પણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy