SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ]. કારણ કે જેઓ પિતાનું કાર્ય પિતે કરતા નથી, પરંતુ બીજા પુત્ર વગેરે કામ કરી દેશે તેવી આશામાં રહે છે તેમનું કાર્ય સિદ્ધ થતું નથી. જેમ પાશમાં સપડાએલો પશુ (હરણ આદિ) તેમાંથી નીકળી શકતા નથી તેવી રીતે આશા રૂપી પાશમાં સપડાએલે જીવ પણ તેમાંથી નીકળી શકતો નથી. વળી આ પરની આશા ધર્મની સાધનામાં ઘટાડો કરાવે છે, કારણ કે બીજા પદાર્થોની આશાએ તે જીવ પિતાનું ધર્મ સાધનરૂપ કાર્ય સાધી શકતો નથી. તેથી જ કહેવત છે કે પારકી આશ સદા નિરાશ. જે પારકી આશામાં રહે છે તેને હંમેશાં નિરાશા મળે છે. અહીં પરનો બીજો અર્થ પદ્ગલિક પદાર્થો પણ થઈ શકે અને જે જીવ તે પદાર્થોની આશામાં રહે છે તેને સદા નિરાશા જ મળે છે એટલે તેનાથી પિતાનું આત્મહિત સાધી શકાતું નથી. આ આશા મન વચન કાયાના ગની અસ્થિરતામાં વધારો કરે છે. અને તેથી દુર્ગતિમાં લઈ જાય તેવી બુદ્ધિ અથવા પરિણામ કરાવે છે. માટે સારા નિમિત્તના અભ્યાસથી જેઓ તે આશાનો પરિવાર એટલે ત્યાગ કરે છે તેઓ ધન્ય છે. આ રીતે વિચારીને તે આશાને ત્યાગ કરનારા જીવો પતે પૂજ્ય બને છે અને બીજા ને પૂજક (મક્ષ માર્ગના સાધક) બનાવે છે. છેવટે તેઓ મોક્ષ રૂપી નંદનવનમાં કાયમ ફરે છે એટલે સાદિ અનંત ભાંગે મોક્ષનાં સુખને મેળવે છે. ૧૭૦ પાપકર્મના ઉદયથી જીવની કેવી હાલત થાય છે તે બે શ્લોકમાં જણાવે છે – કાજી બનેલે પણ અશુભના ઉદયથી પાજી બને, જન યશસ્વી પાપ ઉદયે તેમ અપભ્રાજી બને, રંક હવે ભૂપ પણ ધીમંત જડ જે બને, વર રૂપવંત વિરૂપ બને ધનવંત પણ ભિક્ષક બને. ૧૭૧ સ્પષ્ટાર્થ હે જીવ! તું કઈ વખત પુણ્યદયથી કાજી એટલે બીજાઓને ન્યાય કરનાર બને છે છતાં જ્યારે પાપકર્મનો ઉદય થાય છે ત્યારે તું પાછ (પાગલ) બને છે. તેવીજ રીતે પુણ્યના ઉદયથી યશકીર્તિ મેળવીને દુનીયામાં પોતાની નામના કરનારા છે પણ જ્યારે પાપને ઉદય થાય છે ત્યારે અપજશના ભાગી થાય છે. અને જે રંક એટલે ગરીબ હોય તે પુણ્યોદયે રાજા પણ બની જાય છે. અને રાજા હોય છતાં પણ પાપના ઉદયથી રંક બની જાય છે. તથા બુદ્ધિશાળી હોય તે જડ જે (બુદ્ધિ વિનાને) પાપના ઉદયથી બને છે. તેમજ જે જીવ ઉત્તમ રૂપવાળ હોય તે સુંદર રૂપ વિનાને કદરૂપ બની જાય છે. તથા ધનવાળો હોય તે પણ પાપના ઉદયથી ધન વિનાને અથવા ગરીબ બની જાય છે. આ પ્રમાણે પાપને ઉદય જાગે ત્યારે સારું હોય તે સઘળું ઉલટું બની જાય છે. અને પુણ્યને ઉદય જાગે તે ખરાબ હોય તે પણ સારું બની જાય છે. ૧૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy