SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધરિકૃતસ્પષ્ટાર્થ – વૃદ્ધાવસ્થા આવ્યા છતાં તને હજી એમ લાગતું હોય કે હજી તે ધર્મ સાધના કરવાને ઘણે વખત છે તે તે તારો વિચાર વ્યાજબી છે જ નહી. આટલા વખત સુધીમાં તને આ અનુભવ થયે નથી કે જેમને તે સવારમાં જોયાં હતાં તેઓ બપોરે તે ચાલ્યા ગયા (મરી ગયા) અને જેમને તે બપોરે સાજા તાજા જોયા છે તેઓ પણ સાંજે પરભવમાં ચાલ્યા ગયા. એજ પ્રમાણે આ સંસારના બધા પદાર્થો ક્ષણભંગુર છે એટલે ક્ષણવારમાં નાશ પામી જાય છે એવું તે શું ઘણી વાર જોયું નથી. માટે હે જીવ! તમે આ સંસારના બધા પદાર્થોને નાશવંત જાણીને, તેમજ આયુષ્ય પણ કયારે પૂરું થઈ જશે તેની કેઈને અગાઉથી ખબર પડતી નથી એમ જાણીને તું આ બધી બાબતેને બરાબર વિચાર કરી જેજે. અને હવે જરા પણ આળસ કર્યા સિવાય ધર્મ સાધનામાં ઉદ્યમી થજે. ૧૬૦ ઉત્કટ બલાદિક ધારનારા પણ જેને ચાલ્યા ગયા, તેવી સ્થિતિ ના તાહરી તે હાલ જીવ ! તારા કયા; જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના ભારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે. ૧૬૧ સ્પાઈ–વળી હે જીવ! તું આ બાબતને પણ નિરંતર જરૂર વિચાર કરજે કે જે કેઈથી પરાભવ ન પામે એવા બેલ વગેરેને ધારણ કરનારા મનુષ્યો પણ પરભવમાં ચાલ્યા ગયા છે, તેમના જેવી તે તારી સ્થિતિ નથી, તે તારા શા હાલ થશે? તેને તું વિચાર કરજે. તથા જેમ બિલાડી દૂધ પીતી હોય છે તે વખતે લાકડીનો પ્રહાર તેને કરવામાં આવે તો પણ તે લાકડીના ભારને ગણકારતી નથી, તેમ વિષયના ભાગોમાં આ સકત થએલા છે પણ પિતાના માથા ઉપર ભમી રહેલા મરણના ભયને જોઈ શકતા નથી અથવા વિચારતા નથી એટલે તું મનમાં મરણને ભય રાખીને વિષય કષાયાદિને સેવીશ નહીં, ને મેક્ષમાર્ગની આરાધનામાં સાત્વિક ભાવે હંમેશાં જરૂર લીન બનજે. કારણ કે પિતાના આયુષ્યના એક પણ ક્ષણને જેઓ પ્રમાદમાં ગુમાવતા નથી, તેઓજ ખરા સમજુ કહેવાય છે. ૧૬૧ ક્ષણવારમાં શું કર્મ કરશે? ખબર તેની ના તને, છોડ આળસ થઈ ઉમંગી સાધી લે ઝટ ધમને લગ્નમાં પિદાશમાં તે ના કરે કદિ વાયદા ધર્મ કરવામાં કરતા વાયદા શા ફાયદા. ૧૬૨ સ્પાર્થ –આ કર્મ (રાજા) ક્ષણ વારમાં તને શું શું કરશે (કઈ સ્થિતિમાં મૂકી દેશે) તેની તને ખબર નથી. કારણ કે શુભ કર્મને ઉદય ચાલતો હોય તે બદલાઈને અચાનક ધડા વખતમાં પણ અશુભ કર્મોને ઉદય થઈ જાય છે, તે વખતે બધી ચાલુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy