SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ રેશનાચિંતામણિ ભાગ પાંચમે ] પરિસ્થિતિમાં ફેરફાર થઈ જાય છે. માટે આળસને ત્યાગ કરીને ઉમંગી બનીને તું ઝટ જિન ધર્મની સાધના કરી લેજે. કારણ કે આ બાબતમાં આળસ કરવી, એ તને કઈ રીતે શેભેજ નહીં અને આ ધર્મનું કામ કાલે કરીશું કે બે દિવસ પછી કરીશું એવા વાયદા કરવા, તે તને જ નુકસાન કરનારા થશે. હજી પણ ચેતીને આ રીતે વિચાર કરજે કે–પેદાશમાં એટલે કે મેળવવાનો હોય ત્યારે તે કદાપિ વાયદા કરતો નથી. ત્યાં તને એમ લાગે છે કે આ બાબતમાં વાયદા કરીશું તે આપણને જ નુકસાન થવાનું છે તે પછી તને અત્યંત હિતકારી (મોક્ષદાયક) ધમની સાધના કરવામાં વાયદા કરવાથી શા ફાયદા છે. એમ સમજીને તું ધર્મના કાર્યમાં લગાર પણ ઢીલ કરીશ નહિ. ૧૬૨ હું કોણ છું? મારું સ્વરૂપ શું? ભવભ્રમણ શા કારણે, નિજ ગુણ રમણતા હાલ વ કે વિભાવ રમણ મને; નિષ્ફલ વિચાર વચન પ્રવૃત્તિ આત્મચિંતા વિસ્મરી, પુષ્કલ કરી દઢ કર્મ બાંધ્યાં કર્મ ક્ષપણા શી કરી? ૧૬૩ સ્પષ્ટાઈ–વળી હે જીવ! તું માનવ જીવનમાં બહુજ જરૂરી આ બાબતને પણ વિચાર કરજે કે-હું કોણ છું? મારું સ્વરૂપ કેવું છે? અને મારે શા કારણથી આ સંસારમાં રખડપટ્ટી કરવી પડે છે. હાલમાં મારામાં નિજ ગુણ રમણુતા એટલે મારા જ્ઞાન દર્શનાદિ ગુણોમાં રમણતા વર્તે છે કે નહિ? અથવા તો મારી વિભાવ રમણતા શાથી વર્તે છે? અહીં વિભાવ એટલે આત્માથી ઉલટા ભાવ રૂપ પૌગલિક પદાર્થોને વિષે રમણતા એટલે પૌગલિક સુખમાં રાચી માચીને રહેવું તે વિભાવ રમણતા જાણવી. જે વિભાવ રમણતા વર્તતી હોય તે તું તરત સાવધાન બનીને આ રીતે વિચાર કરજે કે તે અત્યાર સુધીમાં નકામા વિચારો કરવામાં, તથા ફેગટની વચન (બેલવું) પ્રવૃત્તિ (દોડધામ) કરવામાં ઘણે કાલ ફેગટ ગુમાવ્યો છે અને આત્માની ચિંતાને વિસારી મૂકી છે તેથી તે ઘણાં નિકાચિત કર્મોને બંધ કર્યો છે અને આત્માને વધારે ભારે કમી બનાવ્યો છે. એમ વિચારી વિભાવ રમણતાને દૂર કરી નિજ ગુણ રમણુતામાં જરૂર લીન થજે. વળી અત્યાર સુધીમાં તે કર્મની નિર્જરા પણ કેટલી કરી ? તેને પણ જરૂર વિચાર કરીને સંવર માગને સેવજે. યાદ રાખજે કે-કર્મોને બાંધવામાં બહાદુરી નથી. ખરી બહાદુરી તે કર્મોથી બચવામાં જ રહેલી છે. ૧૬૩ પ્રબલ પુણ્ય લબ્ધ સાધન સાધના કરી કેટલી?, દાન શીલ તપ ભાવના આરાધના કરી કેટલી? દેષ ટાળી આત્મગુણ સંચય કર્યો તેં કેટલો?, દિવસ માસ વરસ વિષે ઈમ આય વ્યય કર્યો કેટલો?. ૧૬૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy