SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ) અને સાચું સુખ રહેલું છે તેવા શાંતિ અને સુખ લેગામાં નથી. માટે જ કહ્યું છે કેલક્ષાધિપતિ એટલે પૈસાદાર તથા ભિક્ષાપતિ એટલે ભિક્ષા માગીને જીવન ચલાવનાર સાધુ ગીરાજ તે બંનેમાં વૈરાગ્યવંત ભિક્ષાપતિ ઉત્તમ છે. કારણ કે સંસારમાં આસક્ત એવા ધનપતિને અનેક પ્રકારની ઉપાધિઓ હોવાથી તે રાત્રીએ પણ શાંતિથી સૂઈ શકતો નથી. જ્યારે ભિક્ષાપતિ પૂજ્ય મુનિવરે સંસારની ઉપાધિ વિનાના હેવાથી તેમને ઉત્તમ કહા છે. ૧૫૮ આત્માને પૂછવા લાયક પ્રશ્નોની બીના આઠ ગ્લૅકમાં જણાવે છે – ધળા થયા તુજ વાળ પણ તુજ બુદ્ધિ સિત થઈ કે નહીં, ઉંમર વધી પણ ધર્મ કેરી સાધના વધી કે નહીં ? દાત પડ્યા પણ આત્મચિંતા રજ પડી છે કે નહીં?, તન બલ ઘટયું પણ ભેગ તૃષ્ણા તે ઘટાડી કે નહીં.? ૧૫૯ સ્પાઈ–વળી હે જીવ! તું હંમેશાં આ રીતે જરૂર વિચાર કરજે કે–તારા વાળ ધળા થયા છે એટલે તેને માથામાં ઘડપણને જણાવનારાં પળીયાં આવી ગયાં છે, પરંતુ તારી બુદ્ધિ ધોળી-નિર્મળ થઈ છે કે નહીં? આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે ઘડપણમાં તે તારી બુદ્ધિ જરૂર નિર્મલ થવી જ જોઈએ. અને તારી ઉંમર વધી છે પરંતુ ધર્મની સાધના વધી છે કે નથી વધી તેને વિચાર કરજે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ધર્મ બુદ્ધિ વધવી જ જોઈએ કારણ કે ઘડપણમાં મનુષ્ય ભવમાં જીવવાને કાળ થડે બાકી રહ્યો છે, ત્યાં સુધીમાં જેટલું બની શકે તેટલું ધર્મ સાધન કરી લેવું જોઈએ. તારા દાંત પડી ગયા છે પરંતુ તને તારા આત્મા સંબંધી વિચારણા કદી પણ જરા થઈ છે કે નહિ તેને વિચાર કરજે, વળી તારા શરીરનું બળ ઘટી ગયું છે પરંતુ તારી ભગતૃષ્ણા એટલે વિષય વાસનાઓ ઘટી છે કે નહિ? તેને હું વિચાર કરજે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે કદાચ યુવાન અવસ્થામાં ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થઈને તે કઈ પણ પ્રકારનું ધર્મ સાધન ન કર્યું હોય તે હવે જ્યારે ઘડપણ આવ્યું (વનમાં પહે) ત્યારે તે જેટલું બને તેટલું પરભવ જતાં ભાતાં જેવું નિર્મલ ધર્મ સાધન જરૂર કરી લેવું જ જોઈએ. ૧૫૯ કરજે વિચારે એમ જોયાં તેં સવારે જેમને, ચાલ્યા ગયા તેઓ બપોરે યાદ નહિ શું તે તને, જોયા બપેરે જેમને પરભવ ગયા તેઓ ઘણાં, એવા બધા ભવના પદાર્થો જાણજે હે ભવિજના.? ૧૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy