SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. સ્પષાર્થ-વળી હે જીવ! તારામાં ક્ષાંતિ એટલે ક્ષમા અથવા કોઈને અભાવ અને સરલતા એટલે કપટ રહિતપણું, તથા નમ્રતા એટલે અભિમાનને અથવા અડતાને ત્યાગ, તેમજ સંતોષ એટલે લોભને નાશ આવા સગુણે કયારે પ્રગટ થશે? અને પર સ્ત્રીને જોઈને તેના પ્રત્યે મા, બેન અથવા પુત્રી સરખી ભાવના તારામાં કયારે આવશે? તથા ભરત ચક્રવતી જેવી અને તેમના પુત્ર સૂર્યવંશી રાજા સરખી શુભ ભાવના તારામાં ક્યારે પ્રકટ થશે? તેમજ સંપૂર્ણ રીતે શીયલ વ્રત એટલે બ્રહ્મચર્ય પાળવાની શુભ ભાવના તારામાં કયારે આવશે? ૧૫૪ હે જીવ! સુકૃત કાર્યને અનુમોદજે ને પાપને, ગર્વજે પ્રભુ સિદ્ધ સાધુ ધર્મરા શરણને નિત્ય અંગીકાર કરે છે એહ ત્રણના સાધનો, તથાભવ્યત્વાદિ કારણ પામીએ સહેજે અને. ૧૫૫ સ્પાર્થ - વળી હે જીવ! તું સુકૃત કાર્ય એટલે પિતે કરેલાં તીર્થ યાત્રા વગેરે શુભ કામની અનુમોદના કરજે ને પાપ કર્મોની નિંદા કરજે. અને તે પ્રભુ એટલે શ્રી અરિહંત દેવનું, અને પરમાત્મા સિદ્ધનું એટલે આઠ કર્મ ખપાવીને મેક્ષમાં ગએલા ભગવતેનું તથા સાધુ એટલે પાંચ મહાવ્રતને ધારણ કરનાર મુનિરાજનું તથા કેવલિભાષિત શ્રીજિન ધર્મનું શરણ હંમેશાં અંગીકાર કરજે, કારણ કે આ સંસારમાં જીવને એ ચાર પદાર્થોજ સાચા શરણ રૂપ છે. એ પ્રમાણે સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગહ તથા ચાર શરણને સ્વીકાર એ ત્રણની સાધના કરવાથી તથાભવ્યત્વ વગેરે ભવભ્રમણને ટાળવાના કારણોને સહેજે પામે છે. ૧૫૫ હેય દુષ્કૃત નાશ તેથી સાધના શુભ ધર્મની, તેહથી ભવનાશ હવે એમ શિક્ષા પ્રભુતણું; તું અનાદિ ભવ અનાદિ ભવભ્રમણ તુજ કર્મથી, કર્મના રાગાદિ કારણ તેહ વિણસે ધર્મથી. ૧૫૬ –જયારે જીવ તથાભવ્યત્વદિ કારને શમે છે, ત્યારે દુષ્કૃત નાશ એટલે પૂર્વે કરેલાં અશુભ કર્મોને નાશ થાય છે. તે પછી શુભ ધર્મની અથવા પુણ્યની સાધના થાય છે. જ્યારે અશુભ કર્મોને નાશ થાય છે અને ધર્મની નિર્મલ સાધના થાય છે ત્યારે ભવનાશ એટલે સંસારની રખડપટ્ટીને પણ નાશ થાય છે. એ પ્રમાણે કેવલી શ્રી તીર્થકર દેએ કહ્યું છે. તું અનાદિ કાલને છે અને આ સંસારમાં પરિભ્રમણ તે તને લાગેલાં કર્મોને લીધે છે. અને તે કર્મોને બાંધવાના રાગ દ્વેષ વગેરે (મિથ્યાત્વ અવિરતિ કષાય તે) કારણે છે. આ કર્મબંધ થવાનાં જે કારણે છે, તેને નાશ જિન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy