SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ * [ શ્રી વિજયપાસરિકૃતવિષે સમાન દષ્ટિ ક્યારે થશે? તેમજ કેઈ નિદક એટલે નિંદા કરનારે હેય કે કઈ પ્રશંસા કરનારે હોય તે બંનેને વિષે સમાન ભાવ ક્યારે પ્રકટ થશે. વળી મોક્ષને વિષે તથા આ સંસારને વિષે તારી એક સરખી ભાવના (સમતા) ક્યારે પ્રકટ થશે, તેને તું નિરંતર વિચાર કરજે. ૧૫૧ જિનરાજ નામ સ્મરણમાં લય ભાવ કયારે જાગશે ? ચારિત્ર સાધન સમય સમતા ભાવ કયારે જાગશે; શ્રીસિદ્ધચક્ર સ્વરૂપચિંતન લીનતા ક્યારે થશે?, કર્મરિપુની સાથે સ્પર્ધા કરણ મતિ ક્યારે થશે?. ૧૫ર સ્પષ્ટાર્થ – હે જીવ! શ્રી જિનેશ્વર પ્રભુના નામનું સ્મરણ કરવામાં તારી લીનતા કયારે થશે. અથવા તું સાચા ભાવ પૂર્વક જિનેશ્વર પ્રભુના નામને જાપ કયારે કરીશ? વળી ચારિત્રની સાધના કરવાના વખતે તારામાં અપૂર્વ સમતા ભાવ કયારે પ્રગટ થશે? વળી સિદ્ધ ચક્ર અથવા નવપદજીના રવરૂપની ચિંતવના અથવા વિચારણા કરવામાં તારી લીનતા અથવા એકાગ્રતા ક્યારે થશે? અને તેને આ સંસારમાં રખડાવીને ભયંકર દુખે આપનાર કર્મો રૂપી ભાવ શત્રુઓની સાથે સ્પર્ધા કરવાની એટલે કર્મોને હઠાવીને તેને નાશ કરવાની બુદ્ધિ તારામાં ક્યારે જાગશે ? આ બધી બાબતને તું સમતા ભાવે વિચાર કરજે. ૧૫ર અપવિત્ર જીવને પવિત્ર કરવા ભાવના કયારે થશે ?, શત્રુનું પણ શ્રેય કરવા ભાવના કયારે થશે ? દખિયાં તણા દુઃખ ટાળવાની ભાવના કયારે થશે?, શાસન રસિક કરવા બધાને તીવ્ર મતિ કયારે થશે ? ૧૫૩ સ્પષ્ટાર્થ – અને હે જીવ! બા કમરૂપી મેલથી તેમજ તે કર્મના ઉદયથી થએલ મલિન પરિણામોથી અપવિત્ર બનેલા આ સંસારી જીવેને પવિત્ર કરવાની એટલે તેને શુદ્ધ સ્વરૂપમાં લાવવાની ભાવના તારામાં કયારે આવશે? તથા શત્રુ અથવા દુશ્મનનું પણ કલ્યાણ કરવાની ઈચ્છા રૂપી ભાવના ક્યારે થશે? તેમજ આ સંસારમાં અનેક પ્રકારના દુઃખથી પીડાતા દુઃખી જીના દુઃખને દૂર કરવાની ભાવના પણ તને કયારે પ્રકટ થશે ? વળી બધા એને આ જૈન શાસનની આરાધનામાં રસિક બનાવવાની તીવ્ર બુદ્ધિ (ભાવના) પણ કયારે પ્રગટ થશે? તેને હે જીવ! તું શાંતિથી નિરંતર વિચાર કરજે. ૧૫૩ શાંતિ સરલતા નમ્રતા સંતેષ કયારે પ્રકટશે ?, પરનારમાં મા બે પુત્રી ભાવના કયારે થશે ? ભરત સૂર્યયશા સમી શુભ ભાવના કયારે થશે?, પૂર્ણ શીલવ્રત પાળવાની ભાવના કયારે થશે?. ૧૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy