SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી વિજ્યપઘસરિકૃતપૂર્વે બાંધેલા કર્મોના ફલરૂપ છે. આ પ્રસંગે “ દીન બી વીતી જાયગા” એ વાક્યના ભાવાર્થને જરૂર વિચારજે. આ વાકયનું રહસ્ય એ છે કે ગમે તેવા દુઃખના દિવસે હશે તે પણ તે કાયમ રહેવાના નથી. માટે દુખ આવે ત્યારે તેને સમભાવે સહન કરીને ભેગવી લેજે. અને ફરીથી તેવું દુઃખ ભોગવવાનો સમય ન આવે, માટે તેવાં દુઃખો જેનાથી ભેગવવા પડે છે, તેવાં કર્મોને બાંધવાના સમયે જરૂર સાવધાની રાખજે. અને દુઃખના સમયે શરીર તથા મનથી વિશેષતાથી (વધારે પ્રમાણમાં) ધર્મ કરવામાં આવે તે પુણ્યનું જોર વધવાથી આપત્તિઓ જરૂર દૂર થાય છે. એટલે તન મનથી ધર્મ કરવાથી તે ચાલુ દુખને જલદી નાશ થાય છે. આ શ્લોકમાં કહેવા “ઓ દીન બી વિગત જાયગા” આ વાકયવાળા દષ્ટાંતની બીના બીજી આવૃત્તિવાળી શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં ૨૨૮મા શ્લેકના અર્થમાં ૨૧૩ મા પાને વિસ્તારથી જણાવી છે. તેને સાર ટૂંકામાં આ રીતે જાણો–એક રાજાનો મહાબુદ્ધિશાલી દીવાન હતો. તે રાજ્ય ચલાવવામાં તેમજ રાજા અને પ્રજા વચ્ચેનો પ્રેમભાવ જાળવવામાં બહુજ હોંશિયાર હતા. આ ગુણને લઈને રાજાની પ્રસન્નતા તેની ઉપર સંપૂર્ણ હતી. એક વખત કેઈ દુર્જન (વિદન સંતેષી) માણસે રાજાને કહ્યું કે-“આ દીવાન તમને પદભ્રષ્ટ કરવાને કશીશ કરી રહ્યો છે.” “રાજાને કાન હોય, પણ સાન ન હોય” આ કહેવતને અનુસાર આ બેટી વાતને પણ માની લીધી. દીવાન હંમેશના નિયમ મુજબ જ્યારે બીજે દિવસે સવારે કચેરીમાં આવ્યા, તે વખતે ક્રોધ કરીને રાજાએ હુકમ ફરમાવ્યું કે–હે સીપાઈ ! આ દીવાનને કેદમાં પૂરી દે. હુકમ પ્રમાણે સીપાઈ દીવાનને કેદમાં લઈ ગયા. અહીં દીવાન વિચારે છે કે –નાકી કેઈ દુષ્ટ માણસે રાજાના કાન ખોટી રીતે ભંભેર્યા છે. નહિ તે મને બીનગૂનેગારને ગૂનો પણ જણાવ્યા વિના કેદમાં કેમ પૂરે? રાજાએ દીવાનને ભજન પણ ન આપવું એ હુકમ કર્યો હતે. આથી દીવાનને ખાવાનું પણ મલતું નથી. આ દુઃખનો સમય છે, તે પણ જ્ઞાની દીવાન લગાર પણ ખેદ કરતા નથી. અને આત્માને આશ્વાસન દેવા માટે આનંદ પૂર્વક એજ શબ્દો વારંવાર બોલે છે કે–દીન બી વીતી જાયગા. દીવાનના મોઢા ઉપર લગાર પણ ઉદાસીનતા (ખેદ) દેખાતી નથી. સિપાઈઓ દરરોજ દીવાને કહેલા શબ્દો સાંભળે છે ખરા, પણ તેનો અર્થ સમજતા નથી. કેટલાક સમય વીત્યા બાદ રાજાએ દીવાનની ખબર પૂછી, ત્યારે સીપાઈઓએ કહ્યું કે હે રાજન ! દીવાન તે બહુજ આનંદમાં રહે છે, ને એ દીન બી વીતી જાયગા” આવું બોલે છે. રાજા વિચારે છે કે-આ વાક્યને અર્થ છે હશે? દીવાનને લાવીને પૂછું, તે આને ખુલાસે મળે. રાજાએ સીપાઈને કહ્યું કેદીવાનને બોલાવે. રાજાના હુકમથી સીપાઈ તેને કચેરીમાં રાજાની આગળ લાવ્યું. રાજાએ પૂછ્યું કે “દિન બી વાત જાયગા ” આ વાક્યનો અર્થ શું ? દીવાને કહ્યું કેહે રાજન ! આનો અર્થ કહેતાં આપનો અવિનય થાય, માટે હું અર્થને કહેવાને ચાહતે નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy