SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] અને ઉપધિ વગેરેનો જે ત્યાગ કરે તે દ્રવ્યત્યાગ કહેવાય છે. તેમજ જે અંતરંગ વૃત્તિથી રાગ, દ્વેષ તથા મિથ્યાત્વ વિગેરે આશ્રવ પરિણતિને ત્યાગ કરે તે ભાવત્યાગ કહેવાય છે. વિષ ગરલ અનુષ્ઠાનવડે કરીને જે ત્યાગ કરે, તે નૈગમ, સંગ્રહ ને વ્યવહાર નયે ત્યાગ સમજ, અને કડવા વિપાકની ભીતિથી જે ત્યાગ તે જુસૂત્રને ત્યાગ જાણે, તતક્રિયાપણે ત્યાગ તે શબ્દ ને સમભિરુઢ નયે સમજ, અને વવાના યત્નવડે સર્વથા વજન તે એવંભૂત નયે સમજવું.” ઈત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રહનીય કર્મને ક્ષયોપશમ વડે સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એ ભાનુકુમાર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને બેલ્યો કે “શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં સાર્થવાહ સમાન, અને વસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ! હે સ્વામી ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરે (આપો) કે જેથી વિષય કષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.” તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવત ગ્રહણ પૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. તે જ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભુને વાંદવા આવ્યો. ત્યાં પિતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પણ પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે ભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પિતાના માતાપિતાને વિલાપ કરતાં જોઈને તે દેવે તેમને કહ્યું કે “તમને એવું શું દુઃખ પડયું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરે છે?” તે સાંભળીને રાજા તથા રાણી બોલ્યાં કે “અમારે અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી” દેવ બોલ્યો કે “હે રાજા ! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તે તે હું છું, માટે મારા પર પ્રીતિ કરે, અને જે તેનું શરીર પ્રિય હોય તે આ તેના પહેલા શરીર પર પ્રીતિ કરે. હે માતા ! તમે કેમ વારંવાર વિલાપ કરે છે? તમારે પુત્ર કયે ઠેકાણે શરીરમાં કે જીવમાં કયાં રહેલું છે ? તેનું શરીર અને જીવ એ બને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.” તે સાંભળીને રાજા બેલ્યા કે “તારે વિષે અથવા આ પહેલા શરીરને વિષે (બેમાંથી એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.” દેવ બે કે “ ત્યારે તે સ્વાર્થ જ સર્વ પ્રાણીને ઈષ્ટ છે, અને પરમાર્થ કેઈને ઈષ્ટ નથી એવું થયું. આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંધ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો ? સર્વ લૌકિક સંબંધ ભ્રાંતિરુપજ છે. હે માતાપિતા ! વિરતિ રહિત પ્રાણીઓને સંબંધ અનાદિ કાળથી હોય છે, પણ તે અધુવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ શમ ૧ આ સાત નયે ત્યાગ ગુગમથી બરાબર સમજવા યોગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy