SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજયપારિકૃતઆ પ્રમાણેના બંધુ મુનિનાં ઉપદેશનાં વાક્ય સાંભળી સુકુમારિકાએ ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું, અને નિર્મળ અંતઃકરણથી તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગઈ ધીર પુરૂષને વિષે મુખ્ય એવા તે મુનિએ વિવિધ પ્રકારના વિષયરુપી રજજુથી બંધાયા વિના જ ભ્રષ્ટ થયેલી પોતાની બેનને શીધ્ર ઉદ્ધાર કર્યો, અને તે પણ પાપને આલોવીને સ્વર્ગસુખને પામી.” સ્વાદક્ષાણાં જ ત્યાગાજ્યાગાત્ર પરવસ્તુષા જનન્યાદિષ્યભિવંગ, સ એવ નિર્જરાં થયેત છે ૧ અર્થ–“ઈદ્રિયને જય ત્યાગ કરવાથી થાય છે. ત્યાગ એટલે માતા વિગેરે પરવસ્તુને વિષે અભિળંગ જે રાગ તેથી રહિત થવું તે. તે ત્યાગજ નિજરને આશ્રય કરે છે, અર્થાત્ તેના ત્યાગથી જ નિર્જરા થાય છે.” આ પ્રસંગ ઉપર સુભાન કુમારની બીના ટૂંકામાં આ રીતે જાણવી– આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે, તેમાં અરિદમન નામે રાજા હતા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતે. તે કુમાર યુવાવસ્થા પામ્યું ત્યારે તેના પિતાએ રુપ, લાવણ્ય અને કળાવાળી એક કન્યાઓ તેને પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભગવતે ભાનુકુમાર સુખે સુખે દિવસ નિગમન કરતો હતો. એકદા શ્રીસંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને ભાનુકુમારને જણાવતી કહ્યું કે “અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક જુમતિ, અનેક અવધિજ્ઞાની. અનેક પૂર્વધર, અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદશી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણું ઉદ્યાનમાં સમવસર્યા છે. તે સાંભળી ભાનુકુમાર પિતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો, અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક ચોગ્ય સ્થાને બેઠે. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે-“સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરે તેજ છે. તેમાં સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવ પણાએ કરીને સ્વાદસ્તિ નામના પહેલા ભાંગાથી ગ્રહણ કરેલ જે આત્માને પરિણામ તે પિતાના આત્માને વિષે રહેલો સ્વધર્મ છે. તેને સમવાય સંબંધે કરીને અભેદ હેવાથી તે આત્મ ધર્મ તજવા યોગ્ય નથી; પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા મિથ્યાદષ્ટિપણાએ કરીને કુદેવાદિકને વિષે આસક્તિ વિગેરે જે અપ્રશસ્ત ભાવ છે તેના ગ્રહણને ત્યાગ કરવો યોગ્ય છે. તેમાં નામથી ત્યાગ-શબ્દના આલાપ (ઉચ્ચાર) રુપ છે. અને શાસ્ત્ર, યતિધર્મ અને જિનપૂજા વિગેરેમાં સ્થાપન કરેલ જે ત્યાગ તે સ્થાપના ત્યાગ કહેવાય છે. તથા બાહ્ય વૃત્તિથી ઈન્દ્રિયોના અભિલાષનો આહારને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy