SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ [ શ્રી વિજયપધરિકૃતતેઓ ગીતાર્થ થયા. પછી તેમણે પિતાની બેન સુકુમારિકાને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે સુકુમારિકા અત્યંત સ્વરુપમાન હવાથી અનેક યુવાન પુરુષનાં ચિત્તનું આકર્ષણ કરતી હતી. તેથી તે યુવાન પુરુષો સાધ્વીને ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સુકુમારિકાના રૂપને રાગદષ્ટિથી જોતા હતા. તે ઉપદ્રવને વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના ભાઈઓને કહ્યો. એટલે તેઓ સુકુમારિકાને એક જૂદા મકાનમાં રાખીને તેની રક્ષા કરવા લાગ્યા. સુકુમારિકાને ગુપ્ત રાખેલી જાણીને યુવાન પુરુષોએ તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા માંડયું. તે જોઈને સુકુમારિકાને વિચાર થયે કે મારા માટે મારા ભાઈઓ મોટો કલેશ પામે છે. માટે અનર્થ કરનારા એવા આ મારા શરીરને ધિક્કાર છે !” ઈત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું, તેથી કેટલેક દિવસે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મહના વશથી તેને મૃત્યુ પામેલી જાણી એટલે તે બન્નેએ ગામ બહાર તેને અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શીતળ વાયુના સ્પર્શથી તેને શુદ્ધિ આવી. તેવામાં કઈ સાર્થવાહે તેને જોઈ એટલે “આ કોઈ સ્ત્રીરત્ન છે” એમ જાણી તે તેને પિતાના મુકામમાં લઈ ગયો. પછી અત્યંગ, ઉદ્વર્તન તથા ઔષધ વિગેરે કરીને તેણે અનુક્રમે તેને પૂર્વની જેવી સુંદર રૂપવતી કરી. પછી સુકુમારિકા તે પ્રકારની ભવિતવ્યતાથી અને કર્મની વિચિત્રતાને લીધે “આ સાર્થવાહ મારે અનુપમ ઉપકારી અને વત્સલ છે” એમ માનવા લાગી. તેથી સાર્થવાહના કહેવા પ્રમાણે તેની સ્ત્રી થઈને કેટલેક કાળ તેને ઘેર રહી. એકદા તેણે પિતના બન્ને ભાઈઓ (મુનિ) ને જોયા. એટલે તેમને વંદના કરીને તેણે પિતાને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો. તે સાંભળીને તેઓએ સાર્થવાહ પાસેથી તેને છોડાવીને ફરીથી પ્રતિબંધ આવે કે – સરિત્સહસ્ત્રદાપૂર–સમુદ્રદરસેદરડા વ્રતો નૈવેન્દ્રિયગ્રામ, ભવ તૃપ્રોડક્તરાત્મના ૧ અર્થ–“હે ભવ્ય પ્રાણી ! હજારે નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જે ઈન્દ્રિય સમૂહ કદાપિ તૃપ્તિ પામતો નથી. માટે અન્તરાત્માએ કરીને જ તું તૃપ્ત થા.” સ્પષ્ટાર્થ –હે ભવ્ય ! આ ઈન્દ્રિયો કઈ પણ વખત તૃપ્ત થતી જ નથી. કેમકે નહીં ભગવેલા ભાગની ઈચ્છા રહે છે, ભગવતી વખતે તેમાં આસક્તિ રહે છે, અને ભગવાયેલા ભેગનું સ્મરણ રહ્યા કરે છે. એટલે ત્રણે કાળમાં ઈન્દ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે, અને ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલા જીવની તેને ભેગ વડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. ઇદ્રિયોનો સમૂહ કે છે? હજારો નદીઓના પ્રવાહ વડે પણ નહીં પૂરાતા સમુદ્ર જે છે. તે ઇંદ્રિયોનો અભિલાષ શમ સંતોષ વડેજ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિત કથન છે. તેથી તે ઉત્તમ જીવ ! તું તારા આત્મસ્વરુપે કરીને જ તૃપ્ત થા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy