SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] દિવસે તે કમળમાં પેસે છે. પછી રાત્રે તે કમળ બીડાઈ જાય છે, એટલે તે આખી રાત્રી મહા દુઃખ પામે છે. જહુવા ઈન્દ્રિયને વશ થયેલા મત્સ્ય લેઢાના કાંટાના અગ્ર ભાગપર રાખેલી લેટની ગેળીઓ જોઈને તેમાં લુબ્ધ થઈ માંસની બુદ્ધિથી તે ગેળીઓ ખાવા જાય છે, એટલે તરતજ લેહના કાંટાથી વીંધાઈને મરણ પામે છે. આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખેથી સાંભળીને અભયકુમારે સર્વ પૌરલકોને કહ્યું કે “હે પરજને ! તમારામાંથી જે કઈ માત્ર એક એક ઈન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચ્ચખાણ લે તેને હું આ મહામૂલ્યવાળું રત્ન આપું.” તે સાંભળીને તે લોકોમાંથી કઈ પણ તેમ કરવાને તૈયાર થયો નહીં, સર્વ જનો મૌન ધરી રહ્યા. ત્યારે અભયકુમારે મુનિને કહ્યું કે “હે સ્વામી! આપે તે શ્રી વીર પ્રભુની સાક્ષીએ પાંચે ઈન્દ્રિયોના વિષયનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ પાંચ રત્ન આ૫ ગ્રહણ કરો.” મુનિ બેલ્યા કે “એ રત્નને હું શું કરું? મને તો કાંચન અને પાષાણમાં સમાન બુદ્ધિ છે. મેં તો ત્રિવિધ ત્રિવિધે શરીરની સુશ્રુષા કરવાની અને પરિગ્રહ, માત્રનો ત્યાગ કરેલો છે. ઈન્દ્રાદિકના સુખમાં પણ મને ત્રિકાળે પણ ઈચ્છા નથી.” તે * સાંભળીને સર્વ પૌરલેકે વિસ્મય પામી કહેવા લાગ્યા કે “અહો ! આ મુનિ ખરેખર નિઃસ્પૃહ છે. આપણે મૂએ આજ સુધી તેની ફેગટ નિંદા કરી.” આ પ્રમાણે તેમના મુખથી મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલે અભયકુમાર મુનિને નમન કરીને જેનધર્મનો મહિમા વધારીને પોતાને ઘેર ગયે, અને સુભદ્ર મુનિ શુભ ઉપયોગથી પૂર્ણ થયા સતા આત્મકાર્ય સાધવામાં તત્પર થયા. ઈન્દ્રિયના વિષયો પ્રાપ્ત થાય ત્યારે શ્રી વીરપ્રભુના વાકયનું સ્મરણ કરીને તે વિષયો પર જરા પણ વિશ્વાસ કરે નહીં. જુઓ ! ઇન્દ્રિયને વશ કરવાથી સુભદ્ર મુનિએ એકાંતે રહીને આત્મભાવ પ્રગટ કર્યો. આ પ્રસંગે શબ્દાદિની અનિષ્ટતા વિસ્તારથી આ રીતે જાણવી આત્માનં વિષ પાર્શર્ભવવા પરામુખમાં ઇન્દ્રિયાણિ નિબક્તિ, મોહરાજસ્ય કિંકરાર છે ૧ | અર્થ_“ભવવાસથી એટલે સંસારમાં રહેવાથી પરાભુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મહારાજાના કિંકર ૫ ઇંદ્રિયો વિષય રુપી પાશ વડે બાંધી લે છે, અને તેને પાછા સંસારમાં ભમાવે છે. તે ઉપર સુકુમારિકાનો સબંધ છે તે આ પ્રમાણે સુકુમારિકા સાથ્વીની કથા વસંતપુરના રાજાના સસક અને ભસક નામના પુત્રએ વૈરાગ્યથી દીક્ષા લીધી. અનુક્રમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy