SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] પાંચે ઉપકરણ ઈન્દ્રિયો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ સ્કૂલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત્ર, નાસિકા અને નેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે પૃથુ છે, જિલ્લો ઈન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે, અને સ્પર્શનેન્દ્રિય દેહ પ્રમાણ વિસ્તારવાળી છે. પાંચે ઈન્દ્રિયના વિષયનું માન આ પ્રમાણે છે–નેત્ર વિના બીજી ચાર ઈન્દ્રિ જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગમાત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્ર ઈન્દ્રિય જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલાં અંજન, રજ, મેલ વિગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિલ્લા અને સ્પર્શન એ ત્રણ ઈન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવતા ગંધ, રસ તથા સ્પર્શને અનુકમે ગ્રહણ કરે છે. કર્ણ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ બાર એજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે, અને ચક્ષુરિન્દ્રિય સાધિક લાખ યોજન દૂર રહેલા રૂપને જોઈ શકે છે. વળી– એકાક્ષાદિવ્યવહારે, ભદ્દ દ્રવ્યેન્દ્રિય કિલા અન્યથા બકુલા પંચાક્ષઃ સ્વયંચાગિત ૧ રણનૂપુરશૃંગારચાલેલેક્ષણમુખાતા નિર્યસુગન્ધિમદિરાગંડૂષાદેષ પુષ્યતિ છે ૨. અર્થ_એકેન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્ય ઈન્દ્રિયોએ કરીને જ થાય છે, નહીં તે બકુલ વૃક્ષ પાંચે ઈન્દ્રિયેના ઉપગવાળું હવાથી પંચેન્દ્રિય કહેવાય. પણ તે એકેન્દ્રિયજ છે, (૧) પગમાં શબ્દ કરતા નપુર વિગેરે શૃંગાર ધારણ કરેલી સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કેગળાથી બકુલ વૃક્ષ પુષિત થાય છે. અહીં બકુલ વૃક્ષને પાંચે ભાવ ઈન્દ્રિયને ઉપગ આ પ્રમાણે સમજવો– નૂપુરના શબ્દવાળા પાદને સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે તેથી કર્ણ અને સ્પર્શ એ બે ઈન્દ્રિયોને ઉપયોગ, સુંદર નેત્રવાળી સ્ત્રીને લીધે પ્રફુલ્લિત થાય છે તેથી નેત્રઇન્દ્રિયને ઉપયોગ અને સુગંધી મદિરાના રસથી પ્રફુલ્લિત થવાને અંગે રસેંદ્રિય ને ધ્રાણેદ્રિયને ઉપયોગ–એમ પાંચે ઈન્દ્રિયના વિષયને ઉપગ જાણ. આ પ્રમાણે ઈન્દ્રિયના સ્વરુપને જાણીને તેના શબ્દાદિ વિષયમાં ક્ષણમાત્ર પણ મનની પ્રવૃતિ કરવી નહીં. કહ્યું છે કે ઇંદિઅધુત્તાણ અહો, તિલતુસમિત્ત પિ દેસુ મા પસર અહ દિન્નો તે નીઓ, જસ્થ ખણે વરિસોડિસમ છે ? અર્થ—-“અહો ! ઈન્દ્રિય પી જૂને તલના ફોતરા જેટલા પણ પ્રસાર (અવકાશ) આપીશ નહી. જે કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપીશ તે તે જરુર કેટી વર્ષ સુધી જશે નહી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy