SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ હ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]. નથી, અને સ્થિર પણ નથી તેથી તે શેડો વખત રહે છે. વળી ફરીથી બંનેની સરખામણી કરતાં કહે છે કે કાચમાં અને ચિંતામણીમાં અથવા ખદ્યોત એટલે આગીઓ (કીડે) જીવડો કે જેનું તેજ અંધારામાં કાંઈક પ્રકાશ આપે છે તેમાં અને સૂર્યમાં જેટલો તફાવત છે તેટલે તફાવત તે બંનેમાં જાણવે, અથવા એક બાજુ કલ્પવૃક્ષ જે ઈચ્છિત વસ્તુને આપનાર છે તેમાં અને કાંટાવાળી બેરડીમાં જેટલો તફાવત છે તેટલો બંનેના આનંદમાં તફાવત છે. વળી અશુચિ એટલે અપવિત્ર વિષ્ટાદિ પદાર્થોમાં અને અમૃતમાં જેટલે તફાવત છે તેટલો તે બંને પ્રકારના આનંદમાં તફાવત છે. ૧૪૧ રાગથી ભય આધિ આદિક બહુ વધંતા નિશ્ચયે, બેલ તેજ યશ વિશ્વાસ થીરતા ધર્મરંગ ઘટાડીએ; વૈરાગ્ય ઇંદ્રિય દમન સાધન વચનની આદેયતા, એહથી થોર શાંતિ સમતા હર્ષ સાત્વિક દક્ષતા. ૧૪૨ સ્પષ્ટાર્થ–રાગ તથા વૈરાગ્યમાં તફાવત જણાવતાં કહે છે કે રાગને લીધે (એટલે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિને લીધે) ભય, આધિ એટલે મનની પીડા વગેરે નિશ્ચય બહુ વધતા જાય છે. વળી તે રાગને લીધે શરીરના બલમાં તથા તેજમાં ઘટાડો થાય છે. તે સાથે જશ, વિશ્વાસ, સ્થીરતા તથા ધર્મ ઉપરને રાગ પણ ઘટતું જાય છે. વૈરાગ્ય ઇન્દ્રિયને વશ કરવાનું અપૂર્વ સાધન છે. તથા વૈરાગ્યથી વચનની આદેયતા થાય છે એટલે વૈરાગ્યવાળા જીનું વચન સૌ કોઈને માનવા લાયક થાય છે. વળી વૈરાગ્યથી સ્થીરતા ગુણની તથા શાંતિ અને સમતા તથા સાત્વિક હર્ષ એટલે આત્માના ગુણે સંબંધી વિચારણા કરવામાં દક્ષતા અથવા હોંશિયારી વગેરે સદ્દગુણની પ્રાપ્તિ, અને ઘણાં ચીકણાં કર્મોને નાશ પણ જલદી થાય છે. આ શ્લોકમાં કહેલ ઇંદ્રિય દમન કરાવનાર વૈરાગ્યનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે ઇંદ્રિના સ્વરૂપાદિની બીના દષ્ટાંતાદિ સાથે જરૂર જણાવવી જોઈએ, તે શ્રી ગણધરદેવે નહિં કહેલી છતાં અપૂર્વ બેધદાયક હેવાથી હું ટૂંકામાં જણાવું છું– શ્રુત્વેન્દ્રિયસ્વરૂપાણિ, શ્રીજ્ઞાતનંદનાસ્થત સ સુભદ્રોડનુચાડભૂત; પંચાક્ષવિષયે—ખા ૧ છે અર્થ–“શ્રી મહાવીર સ્વામીના મુખથી પાંચ ઇન્દ્રિયના સ્વરૂપને સાંભળી પાંચ ઈન્દ્રિયોના વિષયથી પરાક્ષુખ થયેલ તે સુભદ્ર અણગાર (મુનિ) થયા.” તેનું દષ્ટાંત આ પ્રમાણે સુભદ્રની કથા શ્રી રાજગૃહ નગરમાં કઈ શ્રેણીને પુત્ર સુભદ્ર નામે હતો. તે જન્મથીજ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદરનિર્વાહ કરતે હતે. એફદા તે નગરમાં શ્રી *૧૦ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy