SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ IEF [ શ્રી વિજયપઘસરિકૃતનાશ થાય છે અગર તે પોતાને મરણ કાલ નજીક આવેલો જણાતાં આ બધી પિતાની માનેલી વસ્તુઓ છેડીને ચાલ્યા જવાનું છે એવું જણાતાં રાગને લીધે દુઃખી થાય છે. તેમજ રાગને લીધે ચીકણું કર્મો બાંધીને મરીને દુર્ગતિમાં પણ જાય છે. માટે આ રીતે મનુષ્ય ગતિમાં પણ રાગને લીધે લાંબા કાળ સુધી તીવ્ર દુઃખે ભેગવવાં પડે છે. ૧૩૯ હેલાં કરેલા રાગથી નારક ઘણું દુઃખ ભેગવે, તિર્યંચ પણ તે કારણે મરણાદિ દુઃખ બહુ અનુભવે; પરબવાળી નાર પામે મરણ આયુ હીન થતા, ઇમ દીએ દુખ આકરા એ રાગ તિણ બુધ ઍડતા. ૧૪૦ સ્પષ્ટાથ-નારકીના જીવે પણ રાગથી તીવ્ર દુખે અનુભવે છે, તે જણાવતાં કહે છે કે નારકીના છ બીજા છ કરતાં ઘણાં વધારે દુઃખ ભોગવે છે તેમાં અનેક કારણેમાંથી ખરૂં કારણ તે જીવે પૂર્વ ભવમાં કરેલો રાગ જ છે. કારણકે રાગને લીધે જીવ નરકગતિ વગેરે અશુભ કર્મ પ્રકૃતિઓ બાંધે અને તે બાંધેલી અશુભ પ્રકૃતિએને તે જીવ નારકી રૂપે ઉત્પન્ન થઈને ભગવે છે. માટે નારકીમાં પણ જે દુખો ભેગવે છે તેનું કાણ પૂર્વ ભવન રાગ જ છે. તિર્યંચ ગતિમાં પણ રાગને લીધે સર્પાદિ રૂપે જીવ ઘણાં દુઃખો ભગવે છે. રાગને લીધે અસમાધિ મરણને પામે છે તે જણાવતાં કહે છે કે એક પરબવાળી સ્ત્રીની પાસે કઈક જુવાન પુરૂષ પાણી પીવા આવ્યા. તે વખતે પાણી પાતાં તે સ્ત્રીને તે પુરૂષ ઉપર બહુ જ રાગ થયો કે જેથી તે પુરૂષ પાણી પીને ચાલ્યો ગયો, ત્યારે દેખાતે બંધ થતાં તે પરબવાળી સ્ત્રી રાગથી જલદી આયુષ્ય પૂરું થવાથી મરણ પામી. આ પ્રમાણે આ રાગ સંસારી જીવને આકરાં દુઃખો આપે છે, તેથી સમજુ પુરૂષો વૈરાગ્ય ભાવનાથી તે રાગને ત્યાગ કરે છે. ૧૪૦ રાગી જીવેના અને વૈરાગી એના આનંદને તફાવત ત્રણ લોકોમાં જણાવે છેરાગીના આનંદમાં વૈરાગીના આનંદમાં, ભેદ તેવો જેહવો છે જે ગર્દભ હસ્તિમાં કાચ ને ચિંતામણિમાં સૂર્ય ને ખદ્યોતમાં, કલ્પતરૂ તિમ બોરડીમાં અશુચિ અમૃત આદિમાં. ૧૪૧ સ્પષ્ટાથે એક બાજુ રાગી પુરૂષને આનંદ અને બીજી તરફ વૈરાગ્યવાળા પુરૂષને આનંદ એ બંનેની જે સરખામણી કરવામાં આવે તો તે બંનેના આનંદમાં ગધેડા અને હાથીના જેટલો ભેદ છે. કારણ કે વૈરાગીને આનંદ સ્વાભાવિક હોવાથી સાત્વિક આનંદ છે અને તે કાયમ રહેનાર છે, ત્યારે રાગી પુરૂષને આનંદ વાસ્તવિક (ખ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy