SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] ભેગવવામાં કાયમ રસિક થયા છે એટલે નિર્મલ ચારિત્રની આરાધના કરીને સાદિ અનંત ભાંગે મોક્ષે ગયા છે. ૧૩૭ રાગ કરતાં રેગમાં માત્રા અધિક ઘે બેધને, રાગ સંગે રગ પ્રગટે તિણ તજે ઝટ તેહને, સત્ય બંધન બેઉ જાણો એહ રાગ દ્વેષને, બેઉ ભવમાં દુખ પુષ્કલ બેઉથી ભવિ જીવને. ૧૩૮ સ્પદાર્થ –રાગ શબ્દ કરતાં રોગ શબ્દમાં એક માત્રા અધિક છે. તેના ઉપરથી બંધ એ મળે છે કે જેઓ રાગને સંગ કરે છે તેમનામાં રેગની માત્રા વધે છે. એટલે રાગ કરવાથી રોગો પ્રગટ થાય છે. તે કારણથી તમે તે રાગને જલદી ત્યાગ કરે. વળી તમે આ રાગ અને દ્વેષને સાચાં બંધન તરીકે જાણજે. કારણ કે બીજાં બંધનમાંથી જલદી છૂટી શકાય છે, પરંતુ રાગ અને દ્વેષ રૂપી બંધનથી જેઓ બંધાએલા છે તેઓ તેમાંથી એકદમ છૂટી શકતા નથી. આ રાગ અને દ્વેષને લીધે ભવ્ય જીને આ ભવમાં તથા પરભવમાં એમ બંને ભવમાં અનેક પ્રકારનાં પુષ્કલ દુને ભેગવવાં પડે છે. ૧૩૮ બાહ્યથી છૂટો છતાં આ જીવ બાંધ્યો બેઉથી. વિવિધ ગતિમાં વિવિધ હરખે ભેગવે બહુ દૈન્યથી; દેવ પણ કેઈક ચ્યવન ક્ષણ રાગથી મન દુખ ધરે, નરે ઘણાએ રાગથી ઝટ દુર્ગતિમાં સંચરે. સ્પષાર્થ –બાહ્ય દૃષ્ટિથી જતાં તે આ જીવ છૂટે જણાય છે, કારણ કે કેઈને દેરડાથી બાંધ્યો હોય તે તે હરી ફરી શકતા નથી. તેનાં બંધન છેડવામાં આવે તે જ તે હરી ફરી શકે છે, તેમ દેહમાં રહેલ જીવ પણ હરતે ફરતે જણાય છે, આ રીતે બાહ્ય દષ્ટિથી તે છૂટે છે, એમ દેખાય છે, પરંતુ તે (જીવ) આ રાગ અને દ્વેષ વડે બંધાએલો હોવાથી નરક તિર્યંચ વગેરે જુદી જુદી ગતિમાં બહુ દીનતા પૂર્વક અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. તે આ રીતે–દેવને પણ જ્યારે ઍવવાનો વખત આવે છે ત્યારે તેના મનમાં દુઃખ થાય છે, તેનું ખરું કારણ રાગ છે. કારણ કે પોતે જે દીવ્ય સુખ તથા ઋદ્ધિને ભોગવતો હતો તેના ઉપર તેને રાગ રહેલે છે. હવે તે સુખ તથા ઋદ્ધિને છોડીને ચાલ્યા જવાનું છે, એવું જણાતાં તેના મનમાં રાગને લીધે દુઃખ થાય છે. તેવી રીતે મનુષ્ય ગતિમાં પણ રાગને લીધે ઘણું મનુષ્ય અહીં દુઃખી થતાં નજરે જોઈએ છીએ. કારણ કે જે ધન, કુટુંબ, બંગલા, મોટરો વગેરે ઉપર તેમનો રાગ રહેલો છે, તેને લીધે તે બધું મારૂં છે એવું તેઓ માની રહ્યા છે અને તે જોઈને ઘણાં ખૂશી ખૂશી થઈ જાય છે. પરંતુ જ્યારે તે પદાર્થોને અગ્નિ ચેર વગેરેમાંના કેઈ પણ કારણને લીધે ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy