SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપઘસરિતબહિરાતમા તે પર ઉપાધિ પૂર્ણતા એ પૂર્ણતા, સત્ય ન છતાં સત્ય માને જિનવચન સાધન રતા; મૈત્રી પ્રમુખ શુભ ભાવનાઓ ભાવતા દાનાદિને, સાધતા વિણસાવતા બહિરાત્મતા સ્થિતિ દેષને. ૧૨૩ સ્પષ્ટાથી–આ બહિરાત્મ દશાવાળો જીવ પર ઉપાધિ પૂર્ણતા એટલે ધન સી પુત્રાદિ રૂપ ઉપાધિની પૂર્ણતા વડે પિતાની પૂર્ણતા માને છે. અને તેની પૂર્ણતામાં સુખ ન છતાં પણ સુખ માને છે. અથવા તેમાં સાચું સુખ નથી તે પણ સાચું સુખ માને છે. અહીં બહિરાત્માનું વર્ણન પૂરું કરીને હવે અંતરાત્માનું સ્વરૂપ જણાવે છે–જેઓ જિનેશ્વર ભગવાનનાં કહેલાં વચનની આરાધના કરવામાં લીન થઈને મૈત્રી, પ્રમોદ, કાર્ય તથા માધ્ય» ભાવના વગેરે તેમજ અનિત્યાદિ ભાવાના ભાવે છે અને દાનાદિ એટલે દાન, શીલ, તપ અને ભાવનાને સાત્વિક ભાવે આરાધીને બહિરાત્મ દશાને પોષનારા વિષય કષાયાદિ દેને દૂર કરે છે. ૧૨૩ દેષ કહેલા દૂર કરતા અંતરાત્મ દશા ધરે, તે ભવ્ય જીવે ભાવનાદિક નિર્મલા પ્રતિદિન વરે આર્ત રૌદ્ર વિચાર છડી કરત વિશદ વિચારણા, ચિંતવે ન અનિષ્ટ કદિ પણ કેઈનું પણ તે જના. ૧૨૪ સ્પાઈ–ઉપર બહિરાત્મ દશાવાળા જીવના જે કષાય વગેરે દોષ કહ્યા તે દેને દૂર કરવાથી અંતરાત્મ દશા પ્રગટ થાય છે. આવી અંતરાત્મ દશાને મેળવનાર જે પુણ્યવંતા ભવ્ય જીવો, તે અંતરાત્મા કહેવાય. તેઓ નિર્મલ ભાવના વગેરેને દરરોજ વરે છે એટલે ભાવે છે. અને આધ્યાન તથા રૌદ્રધ્યાનના પરિણામો જે જીવને નરક ગતિ તિર્યંચ ગતિ રૂ૫ અશુભ ગતિમાં લઈ જાય છે તેવા પરિણામને ત્યાગ કરે છે. તથા વિશદ વિચારણા એટલે આત્માની નિર્મળ દશા (ચારિત્રાદિના સ્વરૂપ)ની વિચારણા કરે છે. તેમજ આવી અંતરાત્મ દશાવાળા જીવો કદી પણ કેઈનું અનિષ્ટ કરતા નથી એટલું જ નહિ પરંતુ અનિષ્ટ (બૂરું) કરવાની વિચારણા પણ કરતા નથી. ૧૨૪ ઈમ વિચારે અહિત કરવા જે ચહે તસ નિશ્ચયે, બુર્જ હેવે પર અહિત ભજના ઈહાં ઈમ ધારીએ; કલ્યાણ થાઓ સર્વનું પરહિત રતા સર્વે બને, સર્વ દે નાશ પામે જન બધા સુખિયા બને. ૧૨૫ સ્પાથ – કારણ કે આ અંતરાત્મ દશાવાળા જીવે એ વિચાર કરે છે કે જેઓ બીજાઓનું અનિષ્ટ કરવા એટલે નુકશાન કરવા ઈચ્છે છે, તેઓ બીજાનું બૂરું ન કરે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy