SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પક દેશનચિંતામણિ ભાગ પાંચમ ]. નહિ. જે તેમાં રાચનાર થઈશ તે તેથી અવશ્ય દુર્ગતિમાં જશે. માટે તે પરભાવને ત્યાગ કરીને નિજ ગુણ રમણતા એટલે આત્માના જ્ઞાનાદિક ગુણેની વિચારણામાં જ પરમ લીન થજે. ૧૨૦ અજ્ઞાન મહાદિક બલે એ આત્મ સ્થિતિને વિસ્મરી, જ્યાં સુધી છે બાહ્ય ને અનુકૂલ દષ્ટિ દીલ ધરી સ્ત્રી આદિના મોહેજ જે આરંભ આદિક આચરે, જૂઠ બેલે જીવ વધ માયા પ્રપંચાદિક કરે. ૧૨૧ સ્પાર્થ –આ જીવ અજ્ઞાન એટલે અણસમજણ તથા મોહ વગેરેના બળથી એટલે અજ્ઞાનની તથા મોહની પ્રબળતાને લીધે પિતાનું આત્મ સ્વરૂપ વિસરી જાય છે. એટલે હું કેણ છું? મારા કયા ગુણે છે? મારાથી શરીર કુટુંબ, ધન વગેરે જૂદા છે વગેરે આત્માના મૂલ સ્વરૂપને ભૂલી જાય છે. વળી જ્યાં સુધી જીવની દષ્ટિ (માન્યતા) બાહ્ય એટલે ધન, દોલત, સ્ત્રી, પુત્ર પરિવાર વગેરેમાં આસક્તિ પૂર્વક અનુકૂળ છે. એટલે જ્યાં સુધી ઉપર જણાવેલા બાહા પદાર્થોમાં જીવને મમતા ભાવ રહે છે. વળી જે સ્ત્રી વગેરેના મેહમાં ફસાએલો છે તે આરંભ એટલે જીવહિંસાના કાર્યો આચરે છે. એટલે પાપનાં કાર્યો કરતાં ડરતા નથી. જૂઠું બોલે છે, જીવને વધ એટલે હિંસા કરે છે. વળી તે અનેક પ્રકારનાં જળ પ્રપંચે કરે છે. આવા પ્રકારની બહિરાત્મ ભાવવાળા જીવની સ્થિતિ જાણવી. ૧૨૧ યુદ્ધાદિ રંગે વિવિધ પાપ આચરીને નિર્વ, મહારંભ પરિગ્રહી માંસાદિ ભેજન રતિ વહે પંચેન્દ્રિયે પુષ્કલ હણતાં હર્ષ મનમાં બહુ ધરે, વિષય તીવ્ર કષાય આદિક કર્મ કારણ આચરે. ૧૨૨ સ્પષ્ટાર્થ –વળી આ બહિરાતમ ભાવવાળો છવ યુદ્ધ વગેરે વિવિધ પ્રકારનાં પાપને આચરીને તેમાં રાજી થાય છે અને મહા આરંભના કાર્યો કરે છે કે જેમાં ઘણાં જીવને ઘાત થાય છે તથા મહાપરિગ્રહ રાખે છે. ગમે તેટલું ધન ભેગું થાય તે પણ લોકેને અનેક રીતે ઠગીને તથા દુઃખી કરીને પણ વધારે વધારે મેળવવાના પ્રયત્ન કર્યા કરે છે. તેમજ માંસ, દારૂ વગેરે અભય પદાર્થોનું ભોજન પણ કરે છે. ઘણાં પંચેન્દ્રિય જીવોને વાત કરતાં પણ મનમાં અચકાતે નથી, ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ રાખે છે. તેમજ કોધ, માન, માયા અને લેભ રૂપી કષાયની તીવ્રતા વગેરે સ્વરૂપ નવાં ચીકણાં કર્મોને બંધ થવાનાં કારણેને પણ સેવે છે. આ કારણથી તે : બહિરાત્માઓ ભવિષ્યમાં ઘણાં કાલ સુધી ગતિનાં ભયંકર દુખે ભેગવે છે. ૧૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy