SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપધપતિસ્પષ્ટાથ-જેમ એક નટ નાટકમાં રાજાના, પુરૂષને, ચીને વગેરે રૂપે જુદા જુદા વેશ ભજવે છે પરંતુ તેથી તે નટ જેમ પિતાના મૂળ રૂપથી જૂદ નથી હેતે, તેમ સંસારમાં ભમતો આ જીવ પણ અનેક રૂપો કરે છે, તે પણ પિતાનું મૂળ સ્વરૂપ તે તજ નથી. માટે દ્રવ્ય રૂપે જીવ શાશ્વતે અથવા નાશ નહિ પામનારે છે એમ જાણવું. કારણ કે જીવ મરીને મનુષ્ય થાય કે તિર્યંચ થાય પરંતુ તેમાં તે જીવ રૂપે મટી જતો નથી, પરંતુ સદાકાળ જીવ રૂપે તે કાયમ રહે છે. માટે જીવને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અથવા શાશ્વત જાણો. અહીં જેમ નટે ધારણ કરેલા જુદા જુદા રૂપે (વેશ) તે તેની પય અથવા અવસ્થાઓ છે, તેમ જીવની મનુષ્ય, તિર્યંચ, નારકી વગેરે અવસ્થાએ (પર્યાયે) તે તેના પર્યાયે જાણવા. અને આ પર્યાયે અથિર એટલે નાશવંત જાણવા. માટે જ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક આત્માને નિત્ય કહ્યો છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ દરેક આત્માને અનિત્ય કહ્યો છે. આ રીતે સ્યાદ્વાદ શૈલીથી આત્માને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માન્ય નથી પણ નિત્યાનિત્ય માન્ય છે. માટે મારે આત્મા નિશ્ચય નયની અપેક્ષાએ જ્ઞાનાદિને ધારણ કરનાર છે એટલે મારે આત્મા સંસારમાં ભ્રમણ કરતાં ગમે તેવી અવસ્થાઓ પામે તે પણ તેના લક્ષણ રૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ સવા કાળ તેનામાં ઓછા વધતા પ્રમાણમાં રહેલા હોય છે. કારણ કે કઈ પણ દ્રવ્ય તેના લક્ષણથી કેઈ કાળે જવું પડતું નથી. માટે જ આત્માના જ્ઞાનાદિક ગુણે સદા કાળ આત્મામાં રહેલા હોય છે. પરંતુ કોઈ પણ કાળે તે ગુણે આત્માથી જૂદા પડતા જ નથી. માટે આ જ્ઞાનાદિક લક્ષણે રૂપી કરણ (સાધન, અસાધારણ કારણ) વડે આત્મા રૂપી લક્ષ્યને વિચાર કરે જોઈએ, ને વિભાવ રમણતાને ત્યાગ કર જોઈએ. ૧૧ મારા ગુણે મારી કને છે અન્યથી ન મળી શકે, સત્ય વસ્તુ એજ મુજ ઠંડી મને ન રહી શકે શેષ છે પર મુજ નથી એ એમ પ્રવચનથી લહી, રાચીશ ના પરભાવમાં નિજ ગુણ રમણતામાં રહી. ૧૨૦ સ્પષ્ટાથ–પૂર્વે કહ્યા મુજબ જે જ્ઞાનાદિક ગુણે છે તેજ મારે છે. પરંતુ તે ગુણ બીજાની પાસેથી મળી શકતા નથી. માટે આ જ્ઞાનાદિક ગુણો છે, તે જ મારી સાચી વસ્તુ અથવા સાચું ધન છે. અને એ મારું સાચું ધન મને છોડીને એકલું રહી શકતું નથી. અથવા આ મારું જ્ઞાનાદિ રૂપી ધન કેઈ કાળે મારાથી જૂદું થવાનું નથી. એટલે મારું આ સાચું ધન કોઈ ચોર પણ ચેરી શકે નહીં એવું છે. માટે આ જ્ઞાનાદિક સિવાયના બાકીના જે ભાવે એટલે ધન દોલત કુટુંબ વગેરે પદાર્થો એ મારા નથી, અને તેમાં મારાપણાની માન્યતા ખોટી છે. હે જીવ! તું આ વાત જિનેશ્વરે કહેલાં વચનથી જાણીને પરભાવમાં રાચીશ નહિ એટલે દેલત ઘર બંગલા વગેરેની મેહ જાલમાં ફસાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy