SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપારિત નમ્રતાદિ ગુણ પમાડે શ્રેષ્ઠ પરમાત્મત્વને, પરમાતમા તેથી લહંતા અનંતા જ્ઞાનાદિને. ૧૧૨ અષ્ટા – દેવ ગુરૂના વચનને અનુસારે જેના ભાવાદિક ત્રણ એટલે મનના પરિણામ, વચન તથા કાયાની પ્રવૃત્તિ વળી નિજ ગુણ રમણતા એટલે પિતાના જ્ઞાનાદિક ગુણની પૂર્ણ અને અખંડ રમણતાના આનંદને અનુભવ તથા ક્ષમાને ધારણ કરવી, અને નમ્રતા એટલે અભિમાનને ત્યાગ વગેરે ઉત્તમ ગુણની સાત્તિવકી આરાધના પરમાત્મપણાને પમાડે છે. અહીં આદિ (વગેરે)થી સરલતા, નિર્લોભતા, તપ વગેરે ગુણો સમજવા. આ ગુણોવાળા આત્મા પરમાત્મ દશા જયારે મેળવે છે ત્યારે તેઓ અનંતા જ્ઞાન, દર્શન, ચારિત્રને મેળવે છે. ૧૧૨ ૧૧૩ હવે આત્માના ત્રણ ભેદાદિની બીના વિસ્તારથી જણાવે છે – શુદ્ધરૂપ તે એક છે સામાન્ય સત્તા ધર્મથી, નિત્ય અનુભવ મંદિરે મારા રમે સદ્દભાગ્યથી; આત્મા તણું ત્રણ ભેદ પહેલે ભેદ ત્યાં બહિરાતમા, અંતરાત્મ પરાત્મ તેમાં એહ છે બહિરાતમા. સ્પષ્ટાર્થી–તે પરમાત્મા શાશ્વત છે કારણ કે આત્મા પિતાની શુદ્ધ નિર્મળ દશા જ્યારે મેળવે છે ત્યારે તેનાં સઘળાં કર્મોને નાશ થાય છે. અને કર્મોને નાશ થયે હોવાથી તેમને સંસારમાં લાવનારૂં કેઈ કારણ રહ્યું નથી. કારણ ન હોય તે કાર્ય બને નહિ. માટે પરમાત્મા શાશ્વતા છે. સામાન્ય સત્તા ધર્મથી તે એક છે. જો કે જે જે આત્મા પરમાત્મ દશાને પામે છે તે દરેક પરમાત્મા થાય છે એટલે વ્યક્તિ રૂપે તે પરમાત્મા અનંતા છે, કારણ કે અનંતા જી પરમાત્મ દશાને પામ્યા છે, પામે છે, ને પામશે. તે પણ તે બધા પરમાત્માઓ અનંત જ્ઞાનાદિ એક જ સ્વરૂપવાળા છે એટલે બધાની પરમાત્મપણા રૂપ સત્તા એક સરખી છે. અનંત જ્ઞાન, અનંત દર્શનમય હવાથી. આ કારણથી અનંતા પરમાત્મા છતાં સત્તા રૂપે સમાન હોવાથી પરમાત્મા એક છે, એમ કહ્યું છે. હે ભવ્ય જી ! મારા સદ્ભાગ્યથી એટલે પુણ્યદયે તે પરમાત્મા મારા અનુભવ રૂપી મંદિરમાં રમણ કરે. અથવા પરમાત્મ દશાનું મને અનુભવ જ્ઞાન થાઓ, એમ હંમેશાં વિચારજે. તથા આત્માના ત્રણ ભેદ કહેલા છે. તેમાં (૧). પ્રથમ ભેદ “બહિરાભા' જાણ. (૨) બીજે ભેદ અંતરાત્મા જાણ અને ત્રીજો ભેદ પરમાતમા જાણવો. તેમાં બહિરાત્મા જે પ્રથમ ભેદ છે તેના સવરૂપને જણાવવાની શરૂઆત ૧૧૪ મા લેકથી કરે છે. ૧૧૩. આ આત્મા કે છે? તે બીના જણાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy