SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપઘાસરિકૃતક્ષપશમાદિથી થતા અનેક જાતના ફેરફારને લીધે અનેક પ્રકારની તરતમતા (હાનિ વૃદ્ધિ વગેરે) જણાય છે. ૧૦૮ આત્મ તત્ત્વની વિચારણા કેવી રીતે કરવી? તેને ઉત્તર ચાર શ્લેકેમાં જણાવે છે – પરમાત્મ તત્વે લક્ષ્ય રાખી આત્મતત્વ વિચારણ, હે જીવ! તું કરજે તજી ચાળા સકલ બહિરાત્મના અંતરાત્મ સ્વરૂપ થઇ પરમાત્મા સ્થિતિને પામવા, આલંબને શુભ સેવજે તે આ પ્રમાણે જાણવા. ૧૦૯ સ્પષ્ટાર્થ પરમાત્મા તત્વ એટલે આત્માનું શુદ્ધ નિર્મલ પ્રગટ થએલું સ્વરૂપ તેને લક્ષમાં રાખીને એટલે આપણે પણ તેવી શુદ્ધ દશા પ્રાપ્ત કરવી છે તે ધ્યાનમાં રાખીને હે જીવ! તું આત્મ તત્વની વિચારણું આ રીતે કરજે. એટલે તું તે પરમાભામાં અને તારામાં શું તફાવત છે તેને વિચાર કરજે. આત્માની ત્રણ દશાઓ કહેલી છે. તેમાં પહેલી બહિરાત્મ દશા, બીજી અંતરાત્મ દશા અને ત્રીજી પરમાત્મ દશા. તેમાં જે જીવ એમ માને છે કે-રૂપ, ધન, દોલત, ઘર, બંગલા વગેરે સ્વરૂપ બાહ્ય પદાર્થો મારાં છે તેમજ શરીર વગેરે માાં છે. એવી માન્યતાથી પર પદાર્થોમાં રાચનારે પુદગલાનંદી જે જીવ તે બહિરામાં જાણ, અને જે જીવે આત્માનું સ્વરૂપ જાણ્યું છે અને જે એમ સમજે છે કે-શરીર અને જીવ બે જૂદા દ્રવ્યું છે. મારે આત્મા જ્ઞાન દર્શન, ચારિત્ર સ્વરૂપ છે. ધન કુટુંબ વગેરે આત્માથી જૂદા (૫ર વિભાવ) છે. તથા જે જીવ સુદેવ, સુગુરૂ તથા સુધર્મનું સ્વરૂપ સમજીને પરમાત્મ પંથે પ્રયાણ કરે છે, તે અંતરાત્મા જાણ. તેમજ સકલ કર્મોથી રહિત પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરનાર અનંત જ્ઞાન, દર્શનમય આત્મા તે પરમાતમાં જાણ. હે જીવ! તું આ બીનાને લક્ષ્યમાં રાખીને બહિરાત્મ દશાના સઘળા ચાળાઓનો ત્યાગ કરજે, અને તું અંતરાત્મ દશામાં રહીને પરમાત્મ દશા પામવાને માટે શુદ્ધ આલંબનનું સેવન કરજે. આ રીતે કહેવાનો સાર એ છે કે જ્યાં સુધી બહિરાત્મ દશાને ત્યાગ કરવામાં આવતું નથી, ત્યાં સુધી જીવ માનવ જીવનની ઉંચ કોટી મેળવી શકતું નથી. માટે પ્રથમ તે બહિરાત્મ દશાને ત્યાગ કરવા માટે અંતરાત્મ દશાનું સ્વરૂપ જાણીને તે અંતરાત્મ દશામાં પિતાના આત્માને તલ્લીન બનાવવું જોઈએ. એમ અનુક્રમે અંતરાત્મ દશા મેળવનાર ભવ્ય જીવે જ, પરમાત્મ દશાને પમાડનારા શુદ્ધ આલંબનોને સ્થિર ચિત્તે પરમ ઉલ્લાસથી આરાધતાં અંતે પરમાત્મ સ્વરૂપને જરૂર પામી શકે છે. ૧૦૯ નિત્ય ગુરૂકુલ વાસ જે જ્ઞાનાદિ સાધન જાણીએ, ચારિત્ર દર્શન વૃદ્ધિ સ્થિરતા શુદ્ધિ સાધન માનીએ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy