SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ દેશનાચિંતામણિ ભાગ પાંચમા ] લાગેલા મેલ એટલે માટી વગેરે જ્યારે દૂર થાય છે ત્યારે અસલ રૂપે શુદ્ધ સેાનુ ં દેખાય છે તેવી જ રીતે જ્યારે કર્મોના આત્માની સાથેનો સંયાગ દૂર થાય છે ત્યારે આ આત્મા પણ પેાતાના અસલ શુદ્ધ સ્વરૂપમાં જાય છે. માટે મેાક્ષના સુખને મેળવવા માટે આત્માને લાગેલા વિવિધ પ્રકારનાં કર્મોને જરૂર દૂર કરવાં જોઇએ. ૧૦૬ ઘન ઘટાએ જેમ વિશશિ કિરણ ગણુ અવરાય છે, વાયુ ચાગે વિખરતા તે બેઉ પ્રકટ જણાય છે; કર્મ રૂપી વાદળાં શિવ માર્ગ પવને વિઘટતાં, આત્મ દિનકર સ્વગુણુ કરણા સ્પષ્ટ રૂપે ભાસતા. ૧૦૭ સ્પા – જેમ ગાઢ મેઘના સમૂહથી સૂર્ય અને ચંદ્રના કિરણેાના સમૂહ મવરાઈ જાય છે એટલે તેનું તેજ ઢંકાઈ જાય છે. પરંતુ જ્યારે વાયરાના યાગથી તે વાદળાં વિખરાઈ જાય છે ત્યારે તે સૂર્ય અને ચંદ્ર પોતાના સંપૂર્ણ તેજથી (મૂલ સ્વરૂપે) પ્રગટ થાય (ચળકે) છે. તેવી રીતે આત્માના જ્ઞાનાદિ ગુણાને ઢાંકનારાં કર્મી રૂપી વાદળાં શિવ મા એટલે મેાક્ષ માર્ગની સાત્ત્વિકી આરાધના રૂપી પવન વડે વિખરાઇ જાય છે, ત્યારે આત્મ દિન એટલે આત્મા રૂપી સૂર્ય પોતાના અનંત ગુણા રૂપી કિરણા વડે સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે. ૧૦૭ Jain Education International ઘન ઘટાના વિખરવામાં હીનતા વૃદ્ધિ શ્રેણી, કર્મના ક્ષય આદિમાં પણ હીનતા વૃદ્ધિ ધણી; તેહને અનુસાર તેના વિવિધ ભેદ વિચારીએ, આત્મા ઉપર હાવે અસર તસ તેહ પણ ના ભૂલીએ. ૧૦૮ સ્પષ્ટા :-—જેમ વાદળાંના સમૂહના વિખરવામાં અનેક પ્રકારની વૃદ્ધિ હાનિ થાય છે અને તેથી સૂર્ય ચંદ્રના પ્રકાશમાં પણ અનેક પ્રકારની વૃદ્ધિ હાનિ જણાય છે, તેવી રીતે કર્મના ક્ષય આદિમાં એટલે ક્ષય, ક્ષયાપશમ, ઉપશમ, ઉદય વગેરેમાં અનેક પ્રકારની વૃદ્ધિ હાનિ જણાય છે. અને તે કર્મના અનેક પ્રકારના ક્ષયાપશ્ચમાર્દિકને લીધે જીવના પણ અનેક પ્રકારના સ્વરૂપ જણાય છે. કારણ કે કર્મના ક્ષયાપશ્ચમાદિની આત્માના જ્ઞાનાદિ ગુણાની ઉપર અસર પડે છે તે વાત ભૂલવી નહિ. આ રીતે કહેવાના સાર એ છે કે બધા જીવા મૂળ સ્વરૂપે તા સૂર્ય ચંદ્રની પેઠે નિર્મળ જ્ઞાનાદિ ગુણાવાળા છે. પરંતુ સૂર્ય ચંદ્રને આડું જૂદા જૂદા સ્વરૂપે વાદળુ આવે છે, ત્યારે તેના તેજમાં અનેક પ્રકારની તરતમતા (આછાશ, વૃદ્ધિ) જણાય છે તેવી રીતે શુદ્ધ સ્વરૂપી આ આત્માના જ્ઞાનાદિ ગુÀાનાં સ્વરૂપમાં પણ કર્મારૂપી આવરણાને લીધે અને આવરણામાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy