SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ રાશનાચિંતામણિ ભાગ પાંચમ ] બહુ જ સમજાવ્યા. પરંતુ દઢ વૈરાગ્યવાળા નમિ રાજર્ષિએ ઇંદ્રના પ્રશ્નોના સચોટ જવાબ આપી રાજ્યનો ત્યાગ કર્યો. ઈ નમિ રાજર્ષિની દઢતાને વખાણ કર્યા. ત્યાર પછી પિતાની મેળે બંધ પામેલ હેવાથી પ્રત્યેક બુદ્ધ એવા નમિ રાજર્ષિએ નિરતિચારપણે ચારિત્રનું પાલન કર્યું. ને કર્મોને ક્ષય કરી કેવલી થઈને મોક્ષે ગયા. ૧૦૨ વસ્તુ કેરા તત્ત્વને હે જીવ! ખુબ વિચારજે, આ વિશ્વમાં કઈ ચીજ તારી કયાં સુધી ઈમ ધારજે; ભવ પદાથે કોઈના હોતા નથી હશે નહી, મારું તારું મેહ મિથ્યા રત્ન ત્રણ સાચા સહી. ૧૦૩ સ્પષ્ટાથ – હે જીવ! તું વસ્તુ એટલે દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપને ખૂબ વિચાર કરજે. કયું દ્રવ્ય કેવા સ્વરૂપવાળું છે, નાશવંત છે કે નાશ રહિત છે વગેરે બાબતને તું સારી રીતે વિચાર કરજે. આ દુનિયામાં વર્તતી કઈ ચીજ તારી કયાં સુધી રહેવાની છે? તેને પણ તું વિચાર કરજે. અથવા કઈ ચીજ તારી સાથે કાયમ રહેનારી નથી, કારણ કે એ પદાર્થો પિતે નાશવંત છે માટે તેને જ્યારે નાશ થાય ત્યારે અથવા જ્યારે તારું આયુષ્ય પૂરું થાય ત્યારે તે પદાર્થો તારી સાથે આવવાના નથી, આ રીતે તે પદાર્થો તારી સાથે કાયમ રહી શકતા નથી. માટે જ કહ્યું છે કે આ સંસારના પુત્રાદિ સર્વ પદાર્થો કેઈના થયા નથી ને થવાના પણ નથી. માટે આ મારૂં ધન, આ મારૂં ઘર, આ મારે બંગલો, આ મારો છોકરે વગેરે (મારૂં તારું) ની માન્યતા મિથ્યા મોહ રૂપ છે. અથવા એ બધું તારું નથી છતાં તારું માનવું તે જ તારી ખોટી ભ્રમણા છે અને તે ભ્રમણા કરાવનાર મેહ છે, મેહને લીધે તારૂં નથી તે તને તારું લાગે છે. અને તારું શું છે તે તને સમજાતું નથી. પણ શાંત ચિત્તે બરાબર વિચાર કરતાં જરૂર સમજાશે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રને તે જ તારાં છે અને તે જ હંમેશાં તારી પાસે રહેનાર છે. ૧૦૩ પૂર્વ ભવનું સર્વ ઈડી જીવ જન્મે એકલે, ધન આદિ સર્વ પદાર્થ છડી મરણ પામે એકલે; કર્મ સારાં તેમ નરસાં જીવ બાંધે એકલે, શુભ અશુભ ફલ તેહના તે અનુભવે પણ એકલે. ૧૦૪ સ્પાર્થ-જ્યારે જીવ મરીને ન જન્મ પામે છે ત્યારે તે પૂર્વ ભવના સર્વ ધન, કુટુંબ, બંગલા, ઘર વગેરે પદાર્થોને છેડીને એક નવો જન્મ પામે છે. તેવી રીતે જ્યારે મરણ પામે છે ત્યારે પણ ધન વગેરે સર્વ પદાર્થોને અહીં જ છેડીને એકલો જ મરીને પરભવમાં જાય છે. સારાં કર્મોને (પુણ્ય કર્મોને) તેમજ નરસાં કર્મોને (પાપ કર્મોને) પણ આ જીવ એકલેજ બાંધે છે. તેમજ તે બાંધેલાં શુભાશુભ કર્મોનાં ફલેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy